ભરૂચ : બેંકોએ ખેડુતો પાસેથી વસુલ્યું 7 ટકા વ્યાજ, AAPએ કહયું વ્યાજની રકમ પરત કરો

પાક ધિરાણ પર લેવાયું 7 ટકાનું વ્યાજ રાષ્ટ્રીયકૃત બેંકો સામે AAP કરશે આંદોલન કલેકટર ને આવેદનપત્ર આપવામાં આવ્યું

New Update
ભરૂચ : બેંકોએ ખેડુતો પાસેથી વસુલ્યું 7 ટકા વ્યાજ, AAPએ કહયું વ્યાજની રકમ પરત કરો

રાષ્ટ્રીયકૃત બેંકોએ ખેડુતો પાસેથી પાક ધિરાણ પર 7 ટકા વ્યાજની વસુલાત કરવામાં આવી હોવાના આક્ષેપ સાથે આમ આદમી પાર્ટીએ આંદોલનના મંડાણ કર્યા છે. આ સંદર્ભમાં ભરૂચમાં પાર્ટીના કાર્યકરોએ કલેકટરને આવેદનપત્ર આપ્યું છે. આવેદનપત્રમાં જણાવાયું છે કે ખેડૂતોને આપવામાં આવતી પાક ધિરાણ લોન રૂ .3 લાખ સુધીની શુન્ય ટકાના વ્યાજની હોય છે. અને આ અંગે સરકારનો પરિપત્ર પણ છે.

તેમ છતાં રાષ્ટ્રીય કૃત બેંકો માં દરેક ખેડૂત પાસેથી ગયા વર્ષે 7% લેખે વ્યાજ વસૂલવામાં આવ્યું છે. જે હજુ સુધી ખેડૂતોને રિફંડ મળ્યું નથી. અમુક બેંકમાં તો 2 વર્ષથી ખેડૂતોના પૈસા ફસાયેલા છે. બેંક અધિકારીઓ પાસે ખેડુતો જાય છે ત્યારે તેમને જવાબ મળે છે કે રાજ્ય સરકાર દ્વારા બેંકોને વ્યાજની રકમ ચૂકવાઇ નથી એટલે અમે તમને આપી શકીએ નહિ. બેંકો અને સરકારના વાંકે ખેડુતોની રકમ અટવાય પડી છે.

Read the Next Article

અંકલેશ્વર: NH 48 પર ટ્રાફિકજામની રોજિંદી સમસ્યા, બિસ્માર માર્ગોના પગલે સમસ્યા

અંકલેશ્વર નેશનલ હાઇવે પર  આમલાખાડી પરના બિસ્માર બ્રિજ અને હાઇવેનો માર્ગ ખખડધજ બનતા સતત ટ્રાફિકજામની પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે. અંકલેશ્વર નેશનલ હાઇવે

New Update
MixCollage-09-Jul-2025-08-21-PM-8778

અંકલેશ્વર નેશનલ હાઇવે પર  આમલાખાડી પરના બિસ્માર બ્રિજ અને હાઇવેનો માર્ગ ખખડધજ બનતા સતત ટ્રાફિકજામની પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે.

અંકલેશ્વર નેશનલ હાઇવે ઉપર આવેલ આમલાખાડી પરનો બ્રિજ છેલ્લા ઘણા સમયથી બિસ્માર બન્યો છે.બીજી તરફ ચોમાસુ જામતા જ હાઇવે પર ખાડાઓની ભરમાર છે.તેવામાં રોજેરોજ ટ્રાફિકજામની પરિસ્થિતિનું નિર્માણ થતા વાહન ચાલકો હેરાન પરેશાન બન્યા છે.વાહનોનું ભારણ અને બ્રિજ જર્જરિત,રસ્તા પર ખાડાઓ પડતા વાહન ચાલકો પોતાનો કિંમતી સમય સાથે ઇંધણ બગાડી રહ્યા છે.દિવસે દિવસે માથાના દુખાવા સમાન બનેલ આ ટ્રાફિકની સમસ્યા હલ કરવામાં આવે તે જરૂરી છે.તંત્ર યોગ્ય નિરાકરણ લાવે એવી વાહનચાલકો માંગ કરી રહ્યા છે
Latest Stories