ભરૂચ : રંગોના તહેવાર હોળી-ધૂળેટી પૂર્વે મોંઘવારી લાવી બજારોમાં મંદી, જુઓ વેપારીઓએ શું કહ્યું..!

રંગોના તહેવાર હોળી-ધૂળેટી પર્વ પૂર્વે ભરૂચમાં રંગયુદ્ધના શસ્ત્ર એવી પિચકારીઓનું મંદીના કારણે વેંચાણ નહીં થતાં રંગોત્સવનો રંગ ફિક્કો જણાઈ રહ્યો છે.

New Update
ભરૂચ : રંગોના તહેવાર હોળી-ધૂળેટી પૂર્વે મોંઘવારી લાવી બજારોમાં મંદી, જુઓ વેપારીઓએ શું કહ્યું..!

રંગોના તહેવાર હોળી-ધૂળેટી પર્વ પૂર્વે ભરૂચમાં રંગયુદ્ધના શસ્ત્ર એવી પિચકારીઓનું મંદીના કારણે વેંચાણ નહીં થતાં રંગોત્સવનો રંગ ફિક્કો જણાઈ રહ્યો છે. જોકે, વેપારીઓને તહેવારોના અંતિમ દિવસોમાં બજારમાં ઘરાકી નીકળે તેવી આશા છે.

રંગોના તહેવાર હોળી-ધૂળેટીને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે ભરૂચના બજારોમાં ખડકાયેલ પિચકારી અને રંગોની દુકાનો પર માહોલ હજુ જામી રહ્યો નથી. રંગયુદ્ધનું શસ્ત્ર એવી પિચકારીઓની અવનવી વેરાયટીથી બજાર ઉભરાઈ રહ્યા છે. તો શકિતનાથ, લિંક રોડ, મકતમપુર અને ઝાડેશ્વર રોડ સહિતના વિસ્તારોમાં હંગામી સ્ટોલ પણ લાગી ચૂક્યા છે, જ્યાં વિવિધ પ્રકારની પિચકારીઓ રૂ. 100થી 700 સુધીમાં મળી રહી છે. ગતવર્ષ કરતા આ વર્ષે લગભગ 30 ટકા જેટલો ભાવ વધારો જોવા મળી રહ્યો છે. તો બીજી તરફ, હજુ શાળાઓમાં પરીક્ષાઓ ચાલતી હોવાથી બજારોમાં મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે. જેથી વેપારીઓના લલાટે ચિંતાની લકીરો જોવા મળી રહી છે. જોકે, અંતિમ દિવસોમાં બજારમાં ઘરાકી નીકળશે તેવી વેપારીઓ આશા રાખી રહ્યા છે.

Read the Next Article

અંકલેશ્વર : અંદાડા ખાતે સંત નિરંકારી મિશન દ્વારા મહારક્તદાન શિબિર યોજાઈ,70 જેટલા રકતદાતાઓએ કર્યું બ્લડ ડોનેટ

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના અંદાડા ગામના પટેલ સ્મૃતિ ભવન ખાતે સંત નિરંકારી ચેરીટેબલ ફાઉન્ડેશન દિલ્હી ઝોન દ્વારા મહારક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.

New Update
  • અંદાડામાં યોજાઈ મહારક્તદાન શિબિર

  • સંત નિરંકારી મિશન દ્વારા કરાયું આયોજન

  • રેડક્રોસ બ્લડ બેંકના સહયોગથી કરાયું આયોજન

  • 70થી વધુ રક્તદાતાઓએ કર્યું રક્તદાન  

  • સંસ્થા દ્વારા વર્ષમાં બે વખત કરાય છે આયોજન

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના અંદાડા ગામના પટેલ સ્મૃતિ ભવન ખાતે સંત નિરંકારી ચેરીટેબલ ફાઉન્ડેશન દિલ્હી ઝોન દ્વારા મહારક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભરૂચની રેડક્રોસ બ્લડ બેંકના સહયોગથી સંત નિરંકારી મિશનના સભ્યો દ્વારા 70થી વધુ યુનિટનું રક્તદાન કરવામાં આવ્યું હતું. આ સંસ્થા દ્વારા વર્ષમાં બે વખત રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવે છે,અને સંસ્થાના સભ્યો ઉત્સાહભેર રક્તદાન કરે છે.

આ કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી .જેમાં અંદાડા ગામના સરપંચ નીરૂ પટેલ ,સંત નિરંકારી ચેરીટેબલ ફાઉન્ડેશન ઝોન અંકલેશ્વરના સંયોજક આર પી ગુપ્તા વડોદરાના જ્ઞાનપ્રચારક મહાત્મા ચીમન પરમાર,બબન મહાદિક ,સંત નિરંકારી મિશન અને મંડળના સભ્યો તેમજ ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

Latest Stories