ભરૂચ : રંગોના તહેવાર હોળી-ધૂળેટી પૂર્વે મોંઘવારી લાવી બજારોમાં મંદી, જુઓ વેપારીઓએ શું કહ્યું..!

રંગોના તહેવાર હોળી-ધૂળેટી પર્વ પૂર્વે ભરૂચમાં રંગયુદ્ધના શસ્ત્ર એવી પિચકારીઓનું મંદીના કારણે વેંચાણ નહીં થતાં રંગોત્સવનો રંગ ફિક્કો જણાઈ રહ્યો છે.

New Update
ભરૂચ : રંગોના તહેવાર હોળી-ધૂળેટી પૂર્વે મોંઘવારી લાવી બજારોમાં મંદી, જુઓ વેપારીઓએ શું કહ્યું..!

રંગોના તહેવાર હોળી-ધૂળેટી પર્વ પૂર્વે ભરૂચમાં રંગયુદ્ધના શસ્ત્ર એવી પિચકારીઓનું મંદીના કારણે વેંચાણ નહીં થતાં રંગોત્સવનો રંગ ફિક્કો જણાઈ રહ્યો છે. જોકે, વેપારીઓને તહેવારોના અંતિમ દિવસોમાં બજારમાં ઘરાકી નીકળે તેવી આશા છે.

Advertisment

રંગોના તહેવાર હોળી-ધૂળેટીને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે ભરૂચના બજારોમાં ખડકાયેલ પિચકારી અને રંગોની દુકાનો પર માહોલ હજુ જામી રહ્યો નથી. રંગયુદ્ધનું શસ્ત્ર એવી પિચકારીઓની અવનવી વેરાયટીથી બજાર ઉભરાઈ રહ્યા છે. તો શકિતનાથ, લિંક રોડ, મકતમપુર અને ઝાડેશ્વર રોડ સહિતના વિસ્તારોમાં હંગામી સ્ટોલ પણ લાગી ચૂક્યા છે, જ્યાં વિવિધ પ્રકારની પિચકારીઓ રૂ. 100થી 700 સુધીમાં મળી રહી છે. ગતવર્ષ કરતા આ વર્ષે લગભગ 30 ટકા જેટલો ભાવ વધારો જોવા મળી રહ્યો છે. તો બીજી તરફ, હજુ શાળાઓમાં પરીક્ષાઓ ચાલતી હોવાથી બજારોમાં મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે. જેથી વેપારીઓના લલાટે ચિંતાની લકીરો જોવા મળી રહી છે. જોકે, અંતિમ દિવસોમાં બજારમાં ઘરાકી નીકળશે તેવી વેપારીઓ આશા રાખી રહ્યા છે.

Advertisment
Read the Next Article

અંકલેશ્વર: કમોસમી વરસાદ સાથે પ્રદૂષણના દ્રશ્યો સામે આવ્યા, રાસાયણિક પાણી ખાડીમાં વહ્યું !

અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં સી પમ્પીંગ સ્ટેશન ગેટ અને કેનાલ ઓવરફલો થતા રાસાયણિક પાણી અમરાવતી નદી અને છાપરા ખાડીમાં વહી ગયું જીપીસીબી દ્વારા નમૂના લેવામાં આવ્યા

New Update
  • અંકલેશ્વરમાં કમોસમી વરસાદ

  • કમોસમી વરસાદ સાથે પ્રદૂષણના દ્રશ્યો

  • પ્રદુષિત પાણી ઓવરફ્લો થયું

  • લાખો લીટર પાણી ખાડીમાં વહ્યું

  • જીપીસીબી દ્વારા નમૂના લેવામાં આવ્યા

Advertisment
અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં સી પમ્પીંગ સ્ટેશન ગેટ અને કેનાલ ઓવરફલો થતા રાસાયણિક પાણી અમરાવતી નદી અને છાપરા ખાડીમાં વહી ગયું હતું. હજુ ચોમાસુ બેઠું નથી એ પૂર્વે જ અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં વરસાદી પાણી સાથે રાસાયણિક પાણી વિપુલ માત્રામાં વહી ગયું હતું.10 દિવસમાં બીજી વાર પડેલા માવઠામાં પ્રથમ માવઠામાં અમરાવતી નદીમાં માછલાંના મોત થયા હતા અને હવે બીજા માવઠામાં જળ સંપદા અને જમીન સંપદાને વ્યાપક નુકશાન થવાના દ્રશ્યો સામે આવ્યા છે.
ખાસ કરીને સી પમ્પીંગ સ્ટેશન પાસે નોટીફાઈડ વિભાગ દ્વારા બનાવેલ પાળો અને તેની નજીક મુકેલ ગેટ પર ઓવરફ્લો થઇને ઔદ્યોગિક વસાહતનું રાસાયણિક પાણી ખાડીમાં ધોધ સ્વરૂપે વહી રહ્યું હતું.આ અંગે જીવદયા પ્રેમીઓ જીપીસીબીને જાણ કરતા અધિકારીઓએ ત્વરિત અસરથી સ્થળ પર દોડી આવ્યા હતા અને સેમ્પલ લીધા હતા તેમજ નોટીફાઈડ વિભાગના અધિકારીઓ અને ઉદ્યોગ મંડળને પ્રિ મોન્સૂન કામગીરી અંતર્ગત પાળો ઉંચો કરવા તાકીદ કરવામાં આવી હતી. 
Advertisment