Connect Gujarat
ભરૂચ

ભરૂચ : આવનાર તહેવારો પૂર્વે શહેરમાં સુખ-સુવિધા મુદ્દે પાલિકા વિપક્ષની પાલિકા પ્રમુખને રજૂઆત…

X

ભરૂચ શહેરમાં આગામી દિવસોમાં વિવિધ ધાર્મિક તહેવારોની ઉજવણી થનાર છે, ત્યારે રોડ-રસ્તા, કાર્પેટીંગ, સ્ટ્રીટ લાઈટ સહિતની કામગીરી વહેલી તકે કરવામાં આવે તે માટે નગરપાલિકા ખાતે વિપક્ષ દ્વારા પાલિકા પ્રમુખને રજૂઆત કરવામાં આવી હતી.

ભરૂચ નગરપાલિકાના હદ વિસ્તારમાં થનારી છડીનોમ, મેઘરાજા મહોત્સવ, ગણેશ મહોત્સવ અને ઈદ-એ-મિલાદના તહેવારને લઈ પાલિકા દ્વારા જે તે વિસ્તારમાં રોડ-રસ્તા, સ્ટ્રીટ લાઈટ, સાફ-સફાઈની કામગીરી દરરોજ નિયમિત પ્રમાણે કરવામાં આવે સાથે વાલ્મિકી સમાજ, ભોઈ સમાજ દ્વારા પરંપરાગત રીતે કાઢવામાં આવતી છડી યાત્રાના તમામ રૂટ ઉપર તાત્કાલિક સાફ-સફાઈ કરવામાં આવે, આ રસ્તાની આજુબાજુ ઉભરાતી ગટરોની સફાઈ કરવામાં આવે, જંતુનાશક દવાનો છંટકાવ તેમજ છડીના રૂટ ઉપર રસ્તા પર પડેલ ખાડાઓ પુરવામાં આવે, અને જરૂર જણાય તો તાત્કાલિક ધોરણે રસ્તાઓને રીકાર્પેટિંગ કરવામાં આવે, તો આ જ રૂટ પર વીજ વાયરો નમી પડેલા હોય જેને ડીજીવીસીએલ કચેરીને જાણ કરી વીજ વાયરો ઉપર કરવામાં આવે સહિતની કામગીરી બાબતે વિપક્ષના નેતા સમસાદ અલી સૈયદ, હેમેન્દ્ર કોઠીવાલા, સલીમ અમદાવાદી સહિતના કોંગ્રેસના સભ્યો દ્વારા પાલિકા પ્રમુખ અમિત ચાવડાને રજૂઆત કરવામાં આવી હતી. વિપક્ષની રજૂઆત બાબતે પાલિકા પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, પાલિકા દ્વારા અઠવાડિયાથી દરેક છડીના રૂટો પર સફાઈ, સ્ટ્રીટ લાઈટ અને કાર્પેટીંગની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરી દેવામાં આવી છે, જેથી આવનારા તહેવારોમાં લોકો શાંતિપ્રિય રીતે અને મુશ્કેલી વગર તહેવારોની મઝા માણી શકે.

Next Story