Connect Gujarat
ભરૂચ

ભરૂચ : શ્રી સત્ય સાંઈ સેવા સમિતિ દ્વારા રક્તદાન શિબિર યોજાય, રક્તદાતાઓએ ઉત્સાહભેર રક્તદાન કર્યું...

ભરૂચ શહેરના નંદેલાવ રોડ પર આવેલ બુસા સોસાયટી નજીક શ્રી સત્ય સાઇ સેવા સમિતિ ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.

X

ભરૂચ શહેરના નંદેલાવ રોડ પર આવેલ બુસા સોસાયટી નજીક શ્રી સત્ય સાઇ સેવા સમિતિ ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.

શ્રી સત્ય સાઇ સેવા સમિતિ-ભરૂચ દ્વારા ભરૂચ શહેરના નંદેલાવ રોડ પર આવેલ બુસા સોસાયટી નજીક શ્રી સત્ય સાઇ સેવા સમિતિ ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રી સત્ય સાઇ સેવા સમિતિ દ્વારા ભજન, અભ્યાસ વર્તુળ, નગર સંકીર્તન, બાલ વિકાસ વર્ગો, યોગ વર્ગ, ભજન અંગેની તાલીમ સહિતની પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવે છે. જેના ભાગરૂપે ભરૂચ સિવિલ હોસ્પિટલના સહયોગથી શ્રી સત્ય સાઈ સેવા સમિતિ દ્વારા રક્તદાન મહાદાન પર્વનું આયોજન કરવામાં આવ્યું હતું. રક્તદાનથી ફક્ત દર્દીને જ નહિ પરંતુ દર્દી ઉપર નિર્ભર સમગ્ર પરિવારને અને સમાજને પણ મદદરૂપ બની શકાય છે. શ્રી સત્ય સાંઈ સેવા સમિતિ દ્વારા આયોજિત રક્તદાન શિબિરમાં 100થી વધુ યુનિટ રકતા એકત્રિત કરવામાં આવ્યું હતું.

Next Story