ભરૂચ: અંકલેશ્વરના સંજાલી ગામેથી બોગસ તબીબની પોલીસે કરી ધરપકડ

ભરૂચ એસઓજીએ અંકલેશ્વરના સંજાલી ગામમાં હોળી ચકલા લીમડા ફળિયામાંથી બોગસ તબીબને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.

New Update
ભરૂચ: અંકલેશ્વરના સંજાલી ગામેથી બોગસ તબીબની પોલીસે કરી ધરપકડ

ભરૂચ એસઓજીએ અંકલેશ્વરના સંજાલી ગામમાં હોળી ચકલા લીમડા ફળિયામાંથી બોગસ તબીબને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.

ભરૂચ એસઓજીનો સ્ટાફ અંકલેશ્વરના પાનોલી વિસ્તારમાં એટીએસ ચાર્ટર મુજબની કામગીરીના પેટ્રોલીંગમાં હતો. તે દરમિયાન બાતમી મળી હતી કે, અંકલેશ્વરના સંજાલી ગામમાં હોળી ચકલા લીમડા ફળિયામાં સંગમ કલીનીક નામનું ડીગ્રી વિના દવાખાનું ખોલી એક ઇસમ મેડીકલ પ્રેક્ટીસ કરી રહ્યો છે. જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસે સ્થળ પરથી મેડીકલ સાધનો અને દવાઓ સહીતના સાધનો મળી કુલ 7 હજારથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને ડીગ્રી વિના મેડીકલ પ્રેકટીસ કરતા મૂળ વેસ્ટ બંગાળ અને હાલ બાકરોલ ગામના રાઠવા નગરમાં રહેતો રોબીન જગદીશ રાયને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.

Read the Next Article

અંકલેશ્વર : કોસમડી ગામે વીજ તાર તૂટીને પડવાથી બે અબોલ પશુઓના વીજ કરંટથી મોત

અંકલેશ્વરનાકોસમડી ખાડીમાં વીજ કંપનીનો જીવતો વીજ તાર તૂટીને પડ્યો હતો.જેના કારણે ચારો ચરતા અબોલ પશુઓને વીજ કરંટ લગતા બે અબોલ પશુઓના નિપજ્યા મોત

New Update
  • કોસમડીમાં વીજ તાર તૂટીને પડવાનો મામલો

  • બે મહિલાઓ પશુ ચરાવવા માટે ગઈ હતી 

  • સાંજે પરત ફરીથી વેળાએ બની ઘટના

  • ખાડી પાસે વીજ તાર તૂટીને પડ્યો હતો

  • વીજ કરંટ લાગતા બે અબોલ પશુઓના નિપજ્યા મોત

અંકલેશ્વર તાલુકાના કોસમડી ગામની ખાડી પાસે વીજ લાઈનનો એક તાર તૂટીને પડ્યો હતો,જેનો કરંટ બે અબોલ પશુઓને લગતા મોતને ભેટ્યા હતા. અંકલેશ્વર તાલુકાના કોસમડી ગામના નવાપરા ફળિયામાં રહેતા જમણા વસાવા અને રેવા વસાવા પોતાની ભેંસોને ચરાવવા માટે ગામની સીમમાં ગયા હતા,ત્યાંથી સાંજના સુમારે પરત ફરતી વેળાએ એક દુર્ઘટના સર્જાય હતી.

જેમાં કોસમડી ખાડીમાં વીજ કંપનીનો જીવતો વીજ તાર તૂટીને પડ્યો હતો.જેના કારણે ચારો ચરતા અબોલ પશુઓને વીજ કરંટ લાગ્યો હતો,વીજ કરંટના જોરદાર ઝટકાથી એક ભેંસ અને પાડાના મોત નિપજ્યા હતા,ઘટના અંગે જમના વસાવાએ જીઆઇડીસી પોલીસ મથકમાં ફરિયાદ દર્જ કરાવી હતી. 

 

Read the Next Article

ભરૂચ: પશ્ચિમ વિસ્તારમાં સંતોષી વસાહત નજીક 100 ગાયનો મુખ્યમાર્ગ પર અડિંગો, સ્થાનિકોમાં અકસ્માતનો ભય

ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં આવેલ સંતોષી વસાહત પાસે મુખ્ય માર્ગ પર 100 જેટલી ગાયો કોઈ છોડી જતા ટ્રાફિકજામ અને અકસ્માતનો ભય સ્થાનિકો સેવી રહ્યા છે.

New Update
ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં આવેલ સંતોષી વસાહત પાસે મુખ્ય માર્ગ પર 100 જેટલી ગાયો કોઈ છોડી જતા ટ્રાફિકજામ અને અકસ્માતનો ભય સ્થાનિકો સેવી રહ્યા છે.
ભરૂચ શહેરમાં રખડતા પશુઓનો જમાવડો મુખ્ય માર્ગો ઉપર જોવા મળી રહ્યો છે.લિંક રોડ ઉપર અયોધ્યા નગર પાસે પણ રખડતા પશુઓ જોવા મળી રહ્યા છે ત્યારે આજરોજ ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં આવેલ સંતોષી વસાહત પાસે મુખ્ય માર્ગ પર 100 જેટલી ગાયો કોઈ છોડી જતા ટ્રાફિકજામ અને અકસ્માતનો ભય સ્થાનિકો સેવી રહ્યા છે.સાથે સ્થાનિકોએઅકસ્માતમાં કોઈનો જીવ જશે તો પાલિકા સામે માનવ વધનો ગુન્હો દાખલ કરાવવાની ફરજ પડશે તેમ જણાવ્યું હતું.
Read the Next Article

ભરૂચ: ચોમાસાના પ્રારંભે જ 6 ગામોમાં વીજ પુરવઠો ઠપ્પ, લોકોએ વીજ કંપની પર ઠાલવ્યો રોષ

વીજળી વિના પાણી પુરવઠો પણ ખોરવાતા રહીશોએ ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો ત્યારે 6 ગામના સરપંચો અને આગેવાનોએ વીજ કંપનીની કચેરી પર વિરોધ પ્રદર્શન કરી રજૂઆત કરી

New Update
  • ભરૂચમાં ચોમાસાનો વિધિવત પ્રારંભ

  • ચોમાસુ શરૂ થતા જ વીજળી ડુલ

  • 6 ગામોમાં વીજળી ડુલ થતા લોકોમાં રોષ

  • વીજ કંપનીની કચેરી પર વિરોધ પ્રદર્શન

ભરૂચના 6 ગામોમાં ચોમાસાની શરૂઆતમાં જ વીજળી વેરણ બનતા આગેવાનો અને ગ્રામજનોએ વીજ કંપનીની કચેરી પર ઉગ્ર રજુઆત કરી હતી. ચોમાસાની શરૂઆત સાથે જ રાજ્યના અનેક વિસ્તારોમાં વીજ પુરવઠાની અસમંતુલિતા સામે લોકો રોષી બન્યા છે. ભરૂચ જિલ્લાના હલદરવા પેટા વિભાગ હેઠળ આવતા કુકરવાડા, વેસદરા, વાસી અને દેત્રાલ સહિતના 6 ગામના રહીશોએ છેલ્લા 24 કલાકથી વીજ પુરવઠો ખોરવાતા વીજ કંપની સામે રોષ વ્યક્ત કર્યો હતો.
વીજળી વિના પાણી પુરવઠો પણ ખોરવાતા રહીશોએ ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો ત્યારે 6 ગામના સરપંચો અને આગેવાનોએ દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડની હલદરવા પેટા કચેરીએ પહોંચીને ધરણાં યોજ્યાં હતા અને વહીવટ તંત્ર સામે ઉગ્ર રજૂઆત કરી હતી.