ભરૂચ : રાષ્ટ્રીય ચક્ષુદાન પખવાડીયા અંતર્ગત સિવિલ હોસ્પિટલ દ્વારા ચક્ષુદાન જનજાગૃતિ રેલી યોજાય...

શહેરની સિવિલ હોસ્પિટલ ખાતે રાષ્ટ્રીય ચક્ષુદાન પખવાડીયા ઉજવણી અંતર્ગત ચક્ષુદાન જનજાગૃતિનું આયોજન કરવામાં આવ્યું હતું.

New Update
ભરૂચ : રાષ્ટ્રીય ચક્ષુદાન પખવાડીયા અંતર્ગત સિવિલ હોસ્પિટલ દ્વારા ચક્ષુદાન જનજાગૃતિ રેલી યોજાય...

ભરૂચ શહેરની સિવિલ હોસ્પિટલ ખાતે રાષ્ટ્રીય ચક્ષુદાન પખવાડીયા ઉજવણી અંતર્ગત ચક્ષુદાન જનજાગૃતિનું આયોજન કરવામાં આવ્યું હતું.

Advertisment

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દીર્ઘદ્રષ્ટિથી દેશના અંધ નાગરિકોને વિનામૂલ્યે આંખો મળી રહે તેવા હેતુથી દેશમાં ચક્ષુદાન અંગે જનજાગૃતિ ફેલાય તે માટે ચક્ષુદાન પખવાડીયાની ઉજવણી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતેથી પાંચબતી સર્કલ સુધી રેલી યોજી ચક્ષુદાન અંગે જનજાગૃતિ ફેલાવવામાં આવી હતી. ભરૂચ સિવિલ હોસ્પિટલના ડો. મહેશ સોજી, ડો. નિતેશ શાહ, સિવિલ હોસ્પિટલના કોર્ડીનેટર ગોપીકા મીથીયાના માર્ગદર્શન હેઠળ સિવિલ હોસ્પિટલથી પાંચબતી સુધી ચક્ષુદાન અભિયાન અંતર્ગત રેલી યોજવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં સિવિલ હોસ્પિટલ સ્ટાફ અને નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓ જન જાગૃતીના સૂત્રો સાથે રેલીમાં જોડાયા હતા.

Advertisment