ભરૂચ: ઝઘડિયાના ઉચેડિયા ગામે નિર્માણ પામનાર ભારતના સૌ પ્રથમ દિવ્યાંગ વૃદ્ધાશ્રમનું CM ભુપેન્દ્ર પટેલના હસ્તે ખાતમુર્હુત

ઝઘડીયા તાલુકાના ઉચેડીયા ગામ નજીક નિર્માણ પામનાર દેશના પ્રથમ દિવ્યાંગ વૃધ્ધાશ્રમનું રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલના હસ્તે ખાતમુર્હુત કરવામાં આવ્યું હતું

New Update
ભરૂચ: ઝઘડિયાના ઉચેડિયા ગામે નિર્માણ પામનાર ભારતના સૌ પ્રથમ દિવ્યાંગ વૃદ્ધાશ્રમનું CM ભુપેન્દ્ર પટેલના હસ્તે ખાતમુર્હુત

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના ઉચેડીયા ગામ નજીક નિર્માણ પામનાર દેશના પ્રથમ દિવ્યાંગ વૃધ્ધાશ્રમનું રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલના હસ્તે ખાતમુર્હુત કરવામાં આવ્યું હતું

Advertisment

દિવ્યાંગ વૃદ્ધો માટેનો રિસોર્ટ ભરૂચમાં નર્મદા નદી કિનારે ઝઘડિયાના ઉંચેડિયા ગામે ગુમાનદેવ મંદિર સામે સાડા ૯ વીંઘામાં કરોડોના ખર્ચે આકાર લેવા જઈ રહ્યો છે. ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે આ પ્રકલ્પનું ખાતમુર્હુત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભરૂચ જિલ્લાના ધારાસભ્યો રિતેશ વસાવા, ઈશ્વરસિંહ પટેલ, રમેશ મિસ્ત્રી,ડી.કે.સ્વામી,પદ્મશ્રી કનુ ટેલર,કલેક્ટર તુષાર સુમેરા,જિલ્લા પોલીસ વડા ડો.લીના પાટીલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

ભરૂચ, ગુજરાત, દેશ અને દુનિયામાં વૃદ્ધો, અનાથ, ગરીબો માટે તો અનેક આશ્રમો આવેલા છે. પણ દિવ્યાંગ વૃદ્ધ માટે કોઈ વૃદ્ધાશ્રમ નથી. જેને રિસોર્ટ તરીકે આકાર આપી પ્રભુના ઘર તરીકે નિર્માણ કરવાનું ભગીરથ કાર્ય સુરતના પદ્મશ્રી કનુભાઈ ટેલર કરવાના છે. ડિસેબલ વેલ્ફેર ટ્રસ્ટ ઓફ ઇન્ડિયાના પ્રમુખ એવા પદ્મશ્રી કનુભાઈ ટેલર ૨૦૦ દિવ્યાંગ વૃદ્ધ નિઃશુલ્ક રહી શકે તે માટે આ વિશ્વનો પહેલો દિવ્યાગ વૃદ્ધાશ્રમ બનાવી રહ્યાં છે. જેમાં સ્વિમિંગ પુલ, ગેમ ઝોન, સહિતની ૪૯ જેટલી આધુનિક સુવિધા અને સવલતો છે.

Advertisment
Read the Next Article

અંકલેશ્વર: ઉટિયાદરા ગામેથી રૂ.3 લાખનો વિદેશી દારૂ ઝડપાવાના મામલામાં વધુ 2 આરોપીની ધરપકડ

અંકલેશ્વર તાલુકાના ઉટિયાદરા ગામની શિલાખેલ સોસાયટીમાં ભાડેના મકાનમાં વિદેશી દારૂનો જથ્થો સંતાડી રાખેલ છે.જેવી બાતમીના આધારે ભરૂચ એલસીબીએ દરોડા પાડ્યા હતા

New Update
અંકલેશ્વરના ઉટિયાદરા ગામની શિલાલેખ સોસાયટીમાં ભાડે રાખેલ મકાનમાંથી વિદેશી દારૂ ઝડપાવવાના મામલે પોલીસે વધુ બે આરોપીને તાલુકા પોલીસે ઝડપી પાડ્યા હતા.
ગત તારીખ-3જી મેના રોજ કોસંબાના બુટલેગર જીજ્ઞેશ કૌશિક પટેલ દ્વારા અંકલેશ્વર તાલુકાના ઉટિયાદરા ગામની શિલાખેલ સોસાયટીમાં ભાડેના મકાનમાં વિદેશી દારૂનો જથ્થો સંતાડી રાખેલ છે.જેવી બાતમીના આધારે ભરૂચ એલસીબીએ દરોડા પાડ્યા હતા.પોલીસને સ્થળ પરથી વિદેશી દારૂની 1664 નંગ બોટલ મળી આવી હતી.પોલીસે 3 લાખનો દારૂ અને ફોન તેમજ રોકડા મળી કુલ 4.06 લાખના મુદ્દામાલ સાથે જીજ્ઞેશ પટેલને ઝડપી પાડ્યો હતો.
જ્યારે વિદેશી દારૂ મોકલનાર અને મંગાવનાર સહિત 10 ઇસમોને વોન્ટેડ જાહેર કર્યા હતા.તે દરમિયાન પોલીસે 10 પૈકી અગાઉ 3 આરોપીને ઝડપી પાડ્યા બાદ આ ગુનામાં સંડોવાયેલ ઝનોર ગામના સોનેરી ટેકરીમાં રહેતો શશીકાંત ઉર્ફે શશી કાંતિલાલ વસાવા અને રાકેશ ઉર્ફે ગફુર જીતુ જોશીને અંકલેશ્વર તાલુકા પોલીસે ઝડપી પાડ્યા હતા.
Advertisment
Latest Stories