Connect Gujarat
ભરૂચ

ભરૂચ: ઝઘડિયાના ઉચેડિયા ગામે નિર્માણ પામનાર ભારતના સૌ પ્રથમ દિવ્યાંગ વૃદ્ધાશ્રમનું CM ભુપેન્દ્ર પટેલના હસ્તે ખાતમુર્હુત

ઝઘડીયા તાલુકાના ઉચેડીયા ગામ નજીક નિર્માણ પામનાર દેશના પ્રથમ દિવ્યાંગ વૃધ્ધાશ્રમનું રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલના હસ્તે ખાતમુર્હુત કરવામાં આવ્યું હતું

ભરૂચ: ઝઘડિયાના ઉચેડિયા ગામે નિર્માણ પામનાર ભારતના સૌ પ્રથમ દિવ્યાંગ વૃદ્ધાશ્રમનું CM ભુપેન્દ્ર પટેલના હસ્તે ખાતમુર્હુત
X

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના ઉચેડીયા ગામ નજીક નિર્માણ પામનાર દેશના પ્રથમ દિવ્યાંગ વૃધ્ધાશ્રમનું રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલના હસ્તે ખાતમુર્હુત કરવામાં આવ્યું હતું

દિવ્યાંગ વૃદ્ધો માટેનો રિસોર્ટ ભરૂચમાં નર્મદા નદી કિનારે ઝઘડિયાના ઉંચેડિયા ગામે ગુમાનદેવ મંદિર સામે સાડા ૯ વીંઘામાં કરોડોના ખર્ચે આકાર લેવા જઈ રહ્યો છે. ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે આ પ્રકલ્પનું ખાતમુર્હુત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભરૂચ જિલ્લાના ધારાસભ્યો રિતેશ વસાવા, ઈશ્વરસિંહ પટેલ, રમેશ મિસ્ત્રી,ડી.કે.સ્વામી,પદ્મશ્રી કનુ ટેલર,કલેક્ટર તુષાર સુમેરા,જિલ્લા પોલીસ વડા ડો.લીના પાટીલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

ભરૂચ, ગુજરાત, દેશ અને દુનિયામાં વૃદ્ધો, અનાથ, ગરીબો માટે તો અનેક આશ્રમો આવેલા છે. પણ દિવ્યાંગ વૃદ્ધ માટે કોઈ વૃદ્ધાશ્રમ નથી. જેને રિસોર્ટ તરીકે આકાર આપી પ્રભુના ઘર તરીકે નિર્માણ કરવાનું ભગીરથ કાર્ય સુરતના પદ્મશ્રી કનુભાઈ ટેલર કરવાના છે. ડિસેબલ વેલ્ફેર ટ્રસ્ટ ઓફ ઇન્ડિયાના પ્રમુખ એવા પદ્મશ્રી કનુભાઈ ટેલર ૨૦૦ દિવ્યાંગ વૃદ્ધ નિઃશુલ્ક રહી શકે તે માટે આ વિશ્વનો પહેલો દિવ્યાગ વૃદ્ધાશ્રમ બનાવી રહ્યાં છે. જેમાં સ્વિમિંગ પુલ, ગેમ ઝોન, સહિતની ૪૯ જેટલી આધુનિક સુવિધા અને સવલતો છે.

Next Story