ભરૂચ: ભઠિયાડવાડમાં વાહનને ઓવરટેક કરવા મુદ્દે બબાલ, પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી

વાહનને ઓવર ટેક કરવા મુદ્દે નવ ઈસમોએ પાંચ વ્યક્તિઓને માર મારતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

New Update
ભરૂચ: ભઠિયાડવાડમાં વાહનને ઓવરટેક કરવા મુદ્દે બબાલ, પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી

ભરૂચના ભઠિયાડવાડના ચોક વિસ્તારમાં વાહનને ઓવર ટેક કરવા મુદ્દે નવ ઈસમોએ પાંચ વ્યક્તિઓને માર મારતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે. ભરૂચના સક્કરા તળાવ હસુબાવાની દરગાહની સામે રહેતા વશીમ હનીફ ખંડેરાવના ભાઈ મહમંદ યુનુફ મોપેડ લઇ એદ્રશબાવાની દરગાહ ખાતે જવા નીકળ્યો હતો તે દરમિયાન ભઠિયાડવાડના ચોક વિસ્તારમાં એક્સુવી ગાડીની ઓવર ટેક કરી રહ્યો હતો તે દરમિયાન ઇમરાન ડોકટરના દવાખાની સામે એક્સુવી ગાડી અને મહમંદ યુનુફ સાથે માથાકૂટ કરી અપશબ્દો ઉચ્ચારી માર માર્યો હતો.

આ અંગે મહમંદ યુનુફએ તેના ભાઈને જાણ કરતા તેઓનો ભાઈ અને મિત્ર મોહાફીજ સ્થળ પર દોડી આવ્યા હતા તે વેળા મામલો વધુ ગરમાયો હતો આ માથાકુટમાં આવેશમાં આવી ગયેલા હાશ્મી ચોકસી,ઇમરાન ડોક્ટર,અયાઝ મલેક,જુબેર ફૂલફીવાલા સહીત અન્ય ઈસમોએ ભેગા મળી સપાટા વડે મારા મારી રહ્યા હતા તે દરમિયાન વશીમના અન્ય મિત્ર શેફુ બચીર અને હુઝેફા બચીર વચ્ચે છોડાવવા પડતા તેઓને પર માર માર્યો હતો આ મારમારીમાં ઈજાગ્રસ્ત પાંચેયને તાત્કાલિક સારવાર માટે વેલ્ફેર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા મારામારી અંગે બી ડીવીઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Read the Next Article

ભરૂચ : નંદેલાવ બ્રિજ નીચે કેમિકલ ભરેલું કન્ટેનર પિલર સાથે ધડાકાભેર અથડાતા મંગલદીપ સોસાયટીની દિવાલ તૂટી

ભરૂચની મઢુલી ચોકડી નજીક કેમિકલ ભરેલ કન્ટેનરના ચાલકે નવા બ્રિજના પિલરને ટક્કર મારી હતી. ત્યારબાદ કન્ટેનર મંગલદીપ સોસાયટીની કમ્પાઉન્ડ વોલ સાથે અથડાતા અફરાતફરી મચી હતી

New Update
  • નંદેલાવ બ્રિજ પાસે સર્જાયો અકસ્માત

  • બેલગામ કન્ટેનર બ્રિજના પિલરમાં ભટકાયું

  • પિલર બાદ મંગલદીપ સોસાયટીમાં પણ અથડાયું

  • સોસાયટીના મંદિરની દીવાલ તૂટતા નુકસાન

  • જાનહાની ટળતા લોકોએ લીધો રાહતનો શ્વાસ

ભરૂચની મઢુલી ચોકડી નજીક કેમિકલ ભરેલ કન્ટેનરના ચાલકે નવા બ્રિજના પિલરને ટક્કર મારી હતી. ત્યારબાદ કન્ટેનર મંગલદીપ સોસાયટીની કમ્પાઉન્ડ વોલ સાથે અથડાતા અફરાતફરી મચી હતી.
 
ભરૂચ દહેજ બાયપાસ માર્ગ પર નંદેલાવ પાસે નવા બ્રિજ નીચે ગુરુવારે એક ગંભીર અકસ્માત થયો હતો. હજીરા અદાણીથી કેમિકલ ભરેલું કન્ટેનર દહેજ સ્થિત મેઘમણી કંપનીમાં જઈ રહ્યું હતું. એ દરમિયાન કન્ટેનર ચાલકનો સ્ટિયરિંગ પર નિયંત્રણ ખોરવાતા કન્ટેનર સીધું નવા પિલરને અથડાઈને સીધુ મંગલદીપ સોસાયટીની મંદિરે જોડાયેલી કમ્પાઉન્ડ વોલમાં ટકરાયું હતું.

આ અકસ્માતમાં બ્રિજના પિલર સાથે સાથે મંદિરની દિવાલને પણ ગંભીર નુકસાન થયું હતું. જોકે, ઘટના દરમિયાન કોઈપણ જાતની જાનહાની ન પહોંચતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. કન્ટેનરનો ચાલક દ્વારા કન્ટેનરને બેલગામ દોડાવવામાં આવી રહ્યું હતું.ઘટનાના પગલે સ્થળ પર તાત્કાલિક ફાયર વિભાગ તથા પોલીસ દોડી આવી હતી. ભારે વજનના કેમિકલ ભરેલા કન્ટેનરને સ્થળ પરથી દૂર કરવા ત્રણ હાઇડ્રાની મદદ લેવાઈ હતી. લાંબા સમય બાદ માર્ગ પર સર્જાયેલો ટ્રાફિક પુનઃ રાબેતા મુજબ થયો હતો.મંગલદીપ સોસાયટીના પ્રમુખ જીતુ  પ્રજાપતિએ જણાવ્યું હતું કે,કન્ટેનર અમારા મંદિરની દીવાલ તોડી ઘૂસી ગયું હતું. સદનસીબે કોઈ વ્યક્તિ ત્યાં નહોતી. પરંતુ આવી ઘટનાઓથી ભવિષ્યમાં વધુ ગંભીર પરિસ્થિતિ ઉભી ન થાય એ માટે પગલાં લેવા જરૂરી છે.