ભરૂચ : સરકારી ભરતી પેપર લીક મુદ્દે કોંગ્રેસ આખરે જાગી, ધરણાં યોજી સરકારને ઘેરી

રાજયમાં હેડ કલાર્કની ભરતી માટે લેવાયેલી પરીક્ષાનું પેપર ફુટી જવાની ઘટના બાદ કોંગ્રેસ સફાળી જાગી છે.

New Update
ભરૂચ : સરકારી ભરતી પેપર લીક મુદ્દે કોંગ્રેસ આખરે જાગી, ધરણાં યોજી સરકારને ઘેરી

રાજયમાં હેડ કલાર્કની ભરતી માટે લેવાયેલી પરીક્ષાનું પેપર ફુટી જવાની ઘટના બાદ કોંગ્રેસ સફાળી જાગી છે. ભરૂચમાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ ધરણાં યોજી સરકાર પર વાકપ્રહારો કર્યા હતાં....

રાજયમાં સરકારી ભરતી માટે તનતોડ મહેનત કરતાં ઉમેદવારોના ભાવિ પેપરો ફુટી જવાના કારણે અંધકારમય બની ગયાં છે. સરકારી ભરતી માટે લેવામાં આવતી પરીક્ષાઓ હવે ધીમે ધીમે તેની વિશ્વસનીયતા ગુમાવી રહી છે. અત્યાર સુધીમાં 9 જેટલી ભરતી પરીક્ષાઓના પેપરો ફુટી ગયાં છે. તાજેતરમાં સરકારી કચેરીઓમાં હેડ કલાર્કની ભરતી માટે લેવાયેલી પરીક્ષાનું પેપર ફુટી ગયું હતું. પેપર ફુટવાની ઘટનાઓ સરકાર માટે માથાના દુખાવા સમાન બની ચુકી છે. હેડ કલાર્કની ભરતીના પેપર મુ્દે કોંગ્રેસ આખરે જાગી છે અને ભરૂચમાં ધરણાનો કાર્યક્રમ આપ્યો હતો. ભરૂચના સ્ટેશન રોડ પર આવેલાં કોંગ્રેસ કાર્યાલય ખાતે યોજાયેલાં કાર્યક્રમમાં જિલ્લા પ્રમુખ પરિમલસિંહ રણા, શહેર પ્રમુખ વિકકી શોખી, મહિલા કોંગ્રેસ પ્રમુખ જયોતિ તડવી સહિતના આગેવાનો અને કાર્યકરો હાજર રહયાં હતાં. જિલ્લા પ્રમુખ પરિમલસિંહ રણાએ સરકારને ટોણો મારતાં કહયું હતું કે, સરકારે પેપર ફોડ યોજના શરૂ કરી હોય તેમ લાગી રહયું છે...

Read the Next Article

અંકલેશ્વર: ખરોડ ગામે યુવાનની હત્યા કરનાર આરોપીની ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ, અગાઉ થયેલ માથાકૂટની રીસ રાખી હત્યા કરાય

અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામેથી મળી આવેલ મૃતદેહના મામલામાં ચોકાવનારો ખુલાસો થયો છે પોલીસે યુવાનની હત્યા કરનાર આરોપીની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

New Update

અંકલેશ્વરના ખરોડમાં મળી આવ્યો હતો મૃતદેહ

હત્યા થઈ હોવાનું આવ્યું બહાર

પોલીસે હત્યારાની કરી ધરપડક

અગાઉના ઝઘડાની રીસ રાખી કરાય હત્યા

પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી


અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામેથી મળી આવેલ મૃતદેહના મામલામાં ચોકાવનારો ખુલાસો થયો છે પોલીસે યુવાનની હત્યા કરનાર આરોપીની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અંકલેશ્વરના ખરોડ ગામની સીમમાં આવેલ બાકરોલ વગામાં ખેતરના શેઢા ઉપર અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ વિકૃત હાલતમાં મળી આવ્યો હતો.આ બાબતે પાનોલી પોલીસે ગુનો નોંધી મૃત્યુનું કારણ જાણવા તપાસ શરૂ કરી હતી.આ તરફ ક્રાઇમ બ્રાન્ચ પણ તપાસમાં જોડાય હતી દરમ્યામ પોલીસને બાતમી મળી હતી કે આ ગુનામાં  અક્કલકુવાનો શંકર મોવરીયા વસાવા નામનો ઈસમ સંડોવાયો છે જે અંકલેશ્વર તથા પાનોલી વિસ્તારમા છુટક મજુરી કરે છે.પોલીસે હ્યુમન ઇન્ટેલીજન્સના આધારે આરોપીની ખરોડ નજીકથી ધરપકડ કરી હતી. પોલીસની પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો. આ મામલામાં મરણ જનાર ઇસમે થોડા દિવસ અગાઉ મારમારી 1500 રૂપિયા લૂંટી લીધા હતા જેની રીસ રાખી આરોપી શંકર વસાવાએ મૃતકને શોધી તેને મજૂરી કામ અપાવવાના બહાને ખરોડ ગામની સીમમાં લઈ ગયો હતો અને ત્યાં પથ્થરના ઘા મારી હત્યા કર્યા બાદ તેના વતન ફરાર થઇ ગયો હતો.પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.