ભરૂચ: બિસ્માર માર્ગનોના સમારકામની માંગ, કોંગ્રેસ દ્વારા ન.પા.માં કરાય રજૂઆત

ચોમાસામાં ભરૂચના માર્ગો બન્યા બિસ્માર, કોંગ્રેસ દ્વારા ન.પા.માં કરાય રજૂઆત.

New Update
ભરૂચ: બિસ્માર માર્ગનોના સમારકામની માંગ, કોંગ્રેસ દ્વારા ન.પા.માં કરાય રજૂઆત

ભરૂચ શહેરના બિસ્માર બનેલા માર્ગો બાબતે આજરોજ વિપક્ષ કોંગ્રેસ દ્વારા નગર સેવા સદન્મા રજૂઆત કરી માર્ગના તાત્કાલિક સમારકામની માંગ કરવામાં આવી હતી.

ભાંગ્યુ ભાંગ્યુ તોય ભરૂચ... ચોમાસું આવતાની સાથે ભરૂચવાસીઓ માટે આ કહેવત સાચી પડે છે. સામાન્ય વરસાદ વરસતાની સાથે રસ્તાઓ પત્તાના મહેલની માફક ધોવાઇ જાય છે. ડામર અને કપચીના બદલે રસ્તાઓ પર મોટા ખાડાઓ દેખાવા માંડે તો સમજી લેવાનું કે ભરૂચવાસીઓના ખરાબ દિવસોની શરૂઆત થઇ ચુકી છે. દર વર્ષે પાલિકાની તિજોરીમાં વેરા પેટે કરોડો રૂપિયા જમા કરાવવા છતાં પાલિકાના શાસકો શહેરીજનોને સારા અને ગુણવત્તાસભર રસ્તાઓની સુવિધા પુરી પાડવામાં સદંતર નિષ્ફળ રહયાં છે.ભરૂચના વિવિધ વિસ્તારોમાં માર્ગોની બિંસાર હાલત થઈ છે.

આ અંગે કનેક્ટ ગુજરાત દ્વારા અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો ત્યાર બાદ આજરોજ કોંગ્રેસ દ્વારા નગર સેવા સદનના ચીફ ઓફિસર અને પ્રમુખને રજૂઆત કરવામાં આવી હતી અને માર્ગના સમારકામની માંગ કરવામાં આવી હતી.

આ અંગે ભરુચ નગર સેવા સદનના પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યુ હતું કે શહેરમાં બિસ્માર બનેલા માર્ગોના સમારકામની કામગીરી ચાલી જ રહી છે અને આવનારા દિવસોમાં તમામ માર્ગોનું સમારકામ કરવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે વિપક્ષ કોંગ્રેસના સભ્યો નગર સેવા સદન કચેરી ખાતે રજૂઆત કરવા પહોંચ્યા એ સમયે કચેરી ખાતે ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો જે બાબતે વિપક્ષના સભ્યોમાં કચવાટ જોવા મળ્યો હતો.

Read the Next Article

ભરૂચ: નર્મદા પરિક્રમાવાસીઓ માટે CM ભુપેન્દ્ર પટેલનો મહત્વનો નિર્ણય, હાંસોટના વમલેશ્વરમાં 100091 ચો.મી.જમીન ફાળવાય

ભરૂચના હાંસોટના વમલેશ્વર ખાતે નર્મદા પરિક્રમા પથના યાત્રાધામોના વિકાસ માટે મુખ્યમંત્રીએ મહત્વપૂર્ણ નિર્ણય લઈ 10091 ચો. મીટર જમીનની ફાળવણી કરી છે.

New Update
bhupendra

ભરૂચના હાંસોટના વમલેશ્વર ખાતે નર્મદા પરિક્રમા પથના યાત્રાધામોના વિકાસ માટે મુખ્યમંત્રીએ મહત્વપૂર્ણ નિર્ણય લઈ 10091 ચો. મીટર જમીનની ફાળવણી કરી છે.

નર્મદા પરિક્રમા માર્ગ પર આવેલા યાત્રાધામો અને પરિક્રમાપથ ખાતે યાત્રાધામોના વિકાસની કામગીરી અર્થે પ્રવાસન ખાતા (ઉદ્યોગ અને ખાણ) વિભાગને વહીવટી હુકમ- 3 હેઠળ જમીન તબદીલ કરી આપવામાં આવી છે.ગુજરાત રાજ્યમાં નર્મદા પરિક્રમા આગવી ઓળખ સાથે ધાર્મિક મહત્વ ધરાવે છે. વમલેશ્વર યાત્રાધામ સહિત નર્મદા પરિક્રમા માર્ગ પર આવેલા અને પરિક્રમાપથના યાત્રાધામોના વિકાસથી ગુજરાત અને મઘ્યપ્રદેશ રાજ્યના હજારો પરિક્રમાવાસીઓ અને શ્રદ્ધાળુને પડતી વિવિધ મુશ્કેલીઓ હવે ભૂતકાળ બનશે.રાજ્ય સરકારના આ સંવેદનશીલ નિર્ણયથી ખરા અર્થમાં ભરૂચ જિલ્લામાં પ્રવાસન વિભાગને પ્રોત્સાહન મળશે તેમજ સ્થાનિકોને પણ તેનો લાભ થનાર છે. નર્મદા પરિક્રમા માર્ગ પર આવેલા યાત્રાધામો અને પરિક્રમાપથ ખાતે યાત્રાધામોના વિકાસની કામગીરી અર્થે મહત્વનો નિર્ણય લઇ જમીન ફાળવવાની મુખ્યમંત્રીએ મંજૂરી આપી છે. પ્રવાસન ખાતા દ્વારા વમલેશ્વર ખાતે સર્વે નંબર 553 ની 10091 ચોરસ મીટર જમીન ફાળવવા અંગે સરકારમાં માંગણી કરવામાં આવી હતી. જેને અનુલક્ષી મુખ્યમંત્રીએ આ નિર્ણય કર્યો છે.
ભરૂચ જિલ્લાના હાંસોટ તાલુકામાં આવેલું વમલેશ્વર ધાર્મિક સ્થળોમાં ખૂબ વિખ્યાત યાત્રાધામ છે. આ યાત્રાધામ સાથે નર્મદા પરિક્રમા ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. વહીવટી મંજૂર હુકમ 3 હેઠળ તબદીલ કરતા મુખ્યમંત્રીનો આ નિર્ણય મહત્વપૂર્ણ બની રહેશે.