ભરૂચ : પૂર્વ વડાપ્રધાન સ્વ. રાજીવ ગાંધીની પુણ્યતિથિ નિમિત્તે કોંગ્રેસ દ્વારા શ્રદ્ધાંજલી અર્પણ કરાય...

આધુનિક ભારતના શિલ્પી અને પૂર્વ વડાપ્રધાન સ્વ. રાજીવ ગાંધીની આજરોજ પુણ્યતિથિ નિમિત્તે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા હતા.

New Update
ભરૂચ : પૂર્વ વડાપ્રધાન સ્વ. રાજીવ ગાંધીની પુણ્યતિથિ નિમિત્તે કોંગ્રેસ દ્વારા શ્રદ્ધાંજલી અર્પણ કરાય...

આધુનિક ભારતના શિલ્પી અને પૂર્વ વડાપ્રધાન સ્વ. રાજીવ ગાંધીની આજરોજ પુણ્યતિથિ નિમિત્તે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા હતા.

દેશના પૂર્વ વડાપ્રધાન સ્વ. રાજીવ ગાંધીની પુણ્યતિથિ નિમિત્તે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યાં હતા. ભારતમાં કમ્પ્યુટરની ક્રાંતિ લાવનારા તથા યુવા વયે દેશના વડાપ્રધાન રાજીવ ગાંધી તા. 21મી મે 1991ના દિવસે આતંકવાદી હુમલામાં મોતને ભેટ્યા હતા. આધુનિક ભારતના શિલ્પી સ્વ. રાજીવ ગાંધીની પુણ્યતિથિ નિમિત્તે કોંગ્રેસ દ્વારા શ્રદ્ધાંજલી અર્પણ કરવામાં આવી હતી. સ્વ. રાજીવ ગાંધીને ડીજીટલ ક્રાંતિના પ્રણેતા પણ માનવામાં આવે છે. ભરૂચ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે આયોજીત શ્રધ્ધાજલિ કાર્યક્રમમાં ભરૂચ જિલ્લા જિલ્લા પ્રમુખ રાજેન્દ્રસિંહ રણા, શહેર પ્રમુખ હરેશ પરમાર, નગરપાલિકાના સભ્ય હમેન્દ્ર કોઠીવાલા સહિતના કાર્યકરોએ ઉપસ્થિત રહી સ્વ. રાજીવ ગાંધીની તસવીરને ફૂલહાર પહેરાવી શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા.

Latest Stories