ભરૂચ:માંડવા ટોલપ્લાઝા પર સ્થાનિક વાહનચાલકો પાસે પણ ટેક્ષ વસૂલવામાં આવતા કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન

ભરુચ પાર્સિંગના વાહનો પાસે ટેક્સ વસૂલ કરવામાં આવતા આજરોજ જિલ્લા કોંગ્રેસ સમિતિએ વિરોધ પ્રદર્શન નોંધાવતાં પોલીસે કોંગી આગેવાનોની અટકાયત કરી હતી.

New Update
ભરૂચ:માંડવા ટોલપ્લાઝા પર સ્થાનિક વાહનચાલકો પાસે પણ ટેક્ષ વસૂલવામાં આવતા કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન

ભરૂચ નજીક નેશનલ હાઇવે પર માંડવા ટોલ પ્લાઝા ખાતે ભરુચ પાર્સિંગના વાહનો પાસે ટેક્સ વસૂલ કરવામાં આવતા આજરોજ જિલ્લા કોંગ્રેસ સમિતિએ વિરોધ પ્રદર્શન નોંધાવતાં પોલીસે કોંગી આગેવાનોની અટકાયત કરી હતી.

ભરુચ જિલ્લામાંથી પસાર થતાં નેશનલ હાઇવે ઉપર માંડવા ટોલ પ્લાઝા ખાતે ટોલ સંચાલકો દ્વારા સ્થાનિક પાર્સિંગ ચાલકો પાસે ટોલ ટેક્સ વસૂલ કરવામાં આવતા વાહન ચાલકો અને ટોલ ટેક્સ સંચાલકો વચ્ચે અવાર નવાર ઘર્ષણ સર્જાઈ રહ્યું છે જેને પગલે આજરોજ ભરુચ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ પરિમલસિંહ રણાની આગેવાનીમાં માંડવા ટોલ ટેક્સ પાસે વિવિધ બેનરો સાથે વિરોધ પ્રદર્શન યોજાયું હતું.કોંગ્રેસના આગેવાનો શેરખાન પઠાણ,સંદીપ માંગરોલા,યૂથ કોંગ્રેસ પ્રમુખ સકીલ અકુજી,ભરુચ શહેર પ્રમુખ હરેશ પરમાર,વિપક્ષના નેતા સમશાદ અલી સૈયદ,હેમેન્દ્ર કોઠીવાલા,જ્યોતિબેન તડવી,શરિફ કાનુગા,ધનરાજ વસાવા,ફતેસિંગ વસાવા સહિતના કાર્યકરોએ ભાજપ વિરોધી સૂત્રોચ્ચાર કરી ટોલ ટેક્સ બંધ કરોના નારા લગાવી વિરોધ નોંધાવ્યો હતો અનેજિલ્લા કોંગ્રેસ પ્રમુખે જી.જે.16ના વાહનોને ટોલ ટેક્ષમાંથી મુક્તિ આપવા સાથે ભાજપ સરકારના શાસનમાં ટોલ નાબૂદીને બદલે ટોલ ટેક્સ વસૂલ કરવામાં આવી રહ્યો છે.જે ઘણી શરમ જનક બાબત ગણાવી વહેલી તકે તેઓનો ઉકેલ નહીં આવે તો સાંસદ અને ભાજપ કાર્યાલયનો ઘેરાવો કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

Read the Next Article

અંકલેશ્વરથી વાલિયા-નેત્રંગને જોડતા માર્ગની કામગીરીમાં ભ્રષ્ટાચારના આક્ષેપ, કોંગ્રેસે આંદોલનની ચીમકી ઉચ્ચારી

ભરૂચના નેત્રંગના કોંગ્રેસી આગેવાન શેરખાન પઠાણ દ્વારા અંકલેશ્વર-વાલિયા માર્ગની કામગીરીમાં ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ સાથે જવાબદાર એજન્સી સહિતના અધિકારીઓ સામે પગલાં ભરવા માંગ કરવામાં આવી છે.

New Update
  • અંકલેશ્વરથી નેત્રંગને જોડતા માર્ગની કામગીરી

  • રૂ.55 કરોડના ખર્ચે માર્ગનું થઈ રહ્યું છે નિર્માણ

  • માર્ગની કામગીરીમાં ભ્રષ્ટાચારના આક્ષેપ

  • કોંગ્રેસ દ્વારા આંદોલનની ચીમકી ઉચ્ચરાય

  • કોર્ટ કેસની પણ ચીમકી

ભરૂચના નેત્રંગના કોંગ્રેસી આગેવાન શેરખાન પઠાણ દ્વારા અંકલેશ્વર-વાલિયા માર્ગની કામગીરીમાં ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ સાથે જવાબદાર એજન્સી સહિતના અધિકારીઓ સામે પગલાં ભરવા માંગ કરવામાં આવી છે.
ભરૂચના વાલિયા તાલુકાના સહકારી આગેવાન અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી સંદીપસિંહ માંગરોલા બાદ નેત્રંગના કોંગ્રેસી આગેવાન શેરખાન પઠાણ દ્વારા અંકલેશ્વર-વાલિયા માર્ગની કામગીરી અધિકારીઓ અને કોન્ટ્રાકટરની મિલી ભગતથી હલકી ગુણવત્તાની કરવામાં આવતી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે.અંકલેશ્વર-વાલિયા અને નેત્રંગને જોડતો રાજ્ય ધોરીમાર્ગ નંબર-13 પ્રથમ વરસાદે જ બિસ્માર બન્યો છે.ઠેરઠેર ખાડાઓ અને માર્ગ તૂટી ગયો હોવાથી તેમાં યોગ્ય સામગ્રી વાપરવા નહીં આવી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે.
ભરૂચ જિલ્લામાં મનરેગા કૌભાંડ સામે આવ્યું છે.તે રીતે 55 કરોડના ખર્ચે બની રહેલ નેત્રંગ-અંકલેશ્વર માર્ગમાં ભ્રષ્ટાચાર થયો હોવા સાથે અધિકારી,કોન્ટ્રાકટર સહિત લાગતા વળતા વિભાગના મંત્રીનો હાથ હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે.જો આ કામગીરી સારી ગુણવત્તાની નહીં કરવામાં આવે તો તાળાબંધીની ચીમકી ઉચ્ચારવામા આવી છે.અને  માર્ગનું નિર્માણ કરનાર શિવાલય ઈંફાસ્ટ્રક્ચર એજન્સી તેમજ અધિકારી સામે કોર્ટ કેસ કરવાની પણ ચીમકી ઉચ્ચારવામા આવી છે.