Connect Gujarat
ભરૂચ

ભરૂચ: કૃષિ કાયદાને પરત ખેંચવાના નિર્ણય પર કોંગ્રેસની પ્રતિક્રિયા; કહ્યું- નિર્ણય ચૂંટણીલક્ષી

વડાપ્રધાને કૃષિ કાયદાને પરત ખેંચવાનું એલાન કર્યું હતું જેના પર ભરૂચ ખાતે કાર્યક્રમમાં હાજરી આપવા આવેલા ગુજરાત કોંગ્રેસ

X

વડાપ્રધાને કૃષિ કાયદાને પરત ખેંચવાનું એલાન કર્યું હતું જેના પર ભરૂચ ખાતે કાર્યક્રમમાં હાજરી આપવા આવેલા ગુજરાત કોંગ્રેસનાં પ્રભારી તેમજ પ્રદેશ પ્રમુખ સહિત વિપક્ષના નેતાએ પ્રતિક્રિયા હતી.

વડાપ્રધાન મોદીએ આજરોજ વહેલી સવારે પોતાના સંબોધનમાં ખેડૂતોની વાત કરતાં ત્રણેય કૃષિ કાયદાને પરત ખેંચવાનું એલાન કર્યું હતું. જે અંગે આગામી સંસદ સત્રમાં જરૂરી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે. ત્યારે રાજ્યની રાજનીતિક પાર્ટીની પ્રતિક્રિયાઓ આવી રહી છે. આ તરફ ભરૂચ ખાતે કોંગ્રેસનાં સભ્ય નોંધણી અભિયાન અંતર્ગત યોજાયેલા કાર્યક્રમમાં ગુજરાત કોંગ્રેસ પ્રભારી રધુરામ શર્મા, પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા અને ગુજરાત વિધાનસભા વિપક્ષ નેતા પરેશ ધાનાણી આવ્યા હતા. જ્યાં તેઓએ વડાપ્રધાનના આ નિર્ણય અંગે પ્રતિક્રિયા આપતા જણાવ્યુ હતું કે, આ ખેડુનોના સંઘર્ષની જીત છે. જ્યારે આ નિર્ણય ચૂંટણીલક્ષી હોવાનું જણાવ્યુ હતું.

Next Story