ભરૂચ : ઝાડેશ્વર ચોકડી પર મોટા વાહનોથી સતત રહેતો ભારે ટ્રાફિક જામ, લોકોને હેરાન પરેશાન થવાનો વારો !

ભરૂચ શહેરના ઝાડેશ્વર ચોકડી પર રોજબરોજના ટ્રાફિક જામથી સ્થાનિકો અને રાહદારીઓ હેરાન પરેશાન થઇ ઉઠ્યા છે

New Update
ભરૂચ : ઝાડેશ્વર ચોકડી પર મોટા વાહનોથી સતત રહેતો ભારે ટ્રાફિક જામ, લોકોને હેરાન પરેશાન થવાનો વારો !

ભરૂચ શહેરના ઝાડેશ્વર ચોકડી પર રોજબરોજના ટ્રાફિક જામથી સ્થાનિકો અને રાહદારીઓ હેરાન પરેશાન થઇ ઉઠ્યા છે, ત્યારે તંત્રને વારંવાર રજૂઆતો કરવા છતાં પણ કોઈ નિરાકરણ નહીં આવતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

ભરૂચ શહેરની ઝાડેશ્વર ચોકડીથી તવરા સુધીના મુખ્ય માર્ગ ઉપર જ ખૂબ જ મોટા પ્રમાણમાં ટ્રાવેલ્સોના પાર્કિંગો હોવાથી 500થી પણ વધુ બસો આ વિસ્તારમાં પાર્ક થતી હોય છે, જયારે આ બસો ડ્યુટી પ્રમાણે નીકળતી હોય છે. જેમાં વહેલી સવારે, બપોરે અને સાંજના સમયે એક સાથે જ ખૂબ મોટા પ્રમાણમાં આ બસો પાર્કિંગ ઝોનમાંથી નીકળી મુખ્ય રોડ પર આવતા ટ્રાફિક જામની સમસ્યા વધુ વિકટ બને છે. જેના કારણે શાળા-કોલેજ જતા વિદ્યાર્થીઓ, ધંધા રોજગાર અર્થે જતા લોકોને પણ ટ્રાફિક જામમાં ફસાવવાનો વારો આવતો હોય છે. લોકોને હેરાનગતિ થવાની વારંવાર બુમો ઊઠતી હોય છે, ત્યારે આજે બપોરના સમયે મોટા વાહનોના કારણે મુખ્ય માર્ગ ટ્રાફિક જામ સર્જાયો હતો. જેમાં 2 એમ્બ્યુલન્સ ફસાઈ ગઈ હતી. જેને 15થી 20 મિનિટની ભારે જહેમત બાદ ટ્રાફિકમાંથી બહાર કાઢવામાં આવી હતી, ત્યારે હાલ તો ટ્રાફિક જામની સમસ્યામાંથી ક્યારે છુટકારો મળશે તેવા લોકોના મનમાં પ્રશ્નો ઉભા થયા છે. એટલું જ નહિ, જો ટ્રાવેલ્સોના પાર્કિંગ ઝોન ઝાડેશ્વર ચોકડીના બદલે નર્મદા ચોકડી વિસ્તાર તરફ આપવામાં આવે તો આ ટ્રાફિક જામની સમસ્યાનો અંત આવે તેવું પણ સ્થાનિકોનું માનવું છે.

Read the Next Article

ભરૂચ: દહેજ બાયપાસ રોડ પર ભારદારી વાહનોના પ્રવેશ પર પ્રતિબંધથી ટ્રાફિકજામની સમસ્યા હળવી બની

જાહેરનામું બહાર પાડવામાં આવ્યા બાદ દહેજ બાયપાસ રોડ ઉપર શ્રવણ ચોકડી અને મનુબર ચોકડી સહિતના મહત્વના વિસ્તારોમાં ટ્રાફિકજામની પરિસ્થિતિ હળવી બની

New Update
  • ભરૂચના દહેજ બાયપાય રોડનું તંત્રનું જાહેરનામું

  • ભારદારી વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ

  • જાહેરનામાના કારણે ટ્રાફિકજામની સમસ્યા હળવી બની

  • બહારથી આવતા વાહનચાલકો પરેશાન

  • કલાકોના કલાકો હાઇવે પર જ વિતાવવા પડે છે

ભરૂચના દહેજ બાયપાસ રોડ પર ભારદારી વાહનોના પ્રવેશ પર પ્રતિબંધના તંત્રના જાહેરનામા બાદ ટ્રાફિકજામની સમસ્યા આંશિક હળવી બની છે જોકે બહારથી આવતા ભારદારી વાહનોના ચાલકોએ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

ભરૂચ વહીવટી તંત્ર દ્વારા શહેરના દહેજ બાયપાસ રોડ પર ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે જેની અસર હવે માર્ગો પર દેખાઈ રહી છે. આ જાહેરનામું બહાર પાડવામાં આવ્યા બાદ દહેજ બાયપાસ રોડ ઉપર શ્રવણ ચોકડી અને મનુબર ચોકડી સહિતના મહત્વના વિસ્તારોમાં ટ્રાફિકજામની પરિસ્થિતિ હળવી બની છે શ્રવણ ચોકડી નજીક બની રહેલ એલિવેટર બ્રિજની કામગીરીના કારણે ટ્રાફિકજામની સર્જાતી પરિસ્થિતિને પહોંચી વળવા તંત્ર દ્વારા આ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે જેમાં મોટા ભારદારી વાહનો સવારે 6 વાગ્યાથી રાત્રીના 8 વાગ્યા દરમ્યાન પસાર થઈ શકતા નથી. 

જાહેરનામાના કારણે દહેજ ઔદ્યોગિક વસાહતમાં નોકરી જતા સેંકડો વાહન ચાલકોને રાહત સાંપડી છે તો બીજી તરફ દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે અને દહેજ તરફથી આવતા ભારદારી વાહનચાલકોની હાલત કફોડી બની છે તેઓએ કલાકોના કલાકો એન્ટ્રી માટે રાહ જોવી પડી રહી છે. અન્ય પ્રદેશમાંથી આવતા વાહન ચાલકોને આ જાહેરનામનો ખ્યાલ ન હોવાના કારણે તેઓ ભરૂચ સુધી તો આવી જાય છે પરંતુ દહેજ બાયપાસ રોડ પરનો એન્ટ્રીના કારણે તેઓએ હાઇવે પર જ 10 થી 12 કલાક વિતાવવા પડે છે.

#Traffic jam #Bharuch News #heavy vehicles #Dahej Bypass Road #Bharuch Traffic Jam
Latest Stories