ભરૂચ: વાલિયાના કોંઢ ગામે તળાવમાં ડૂબી જતા મામા ભાણેજનું મોત, ગણેશ વિસર્જન બાદ સર્જાય દુર્ઘટના

ભરૂચ જિલ્લાના વાલિયાના કોંઢ ગામે ગામ તળાવ પાસેથી ઘરે જતા મામા ભાણેજનું તળાવના ઉંડા પાણીમાં ડૂબી જતાં મોત નીપજયું હતું.

New Update
ભરૂચ: વાલિયાના કોંઢ ગામે તળાવમાં ડૂબી જતા મામા ભાણેજનું મોત, ગણેશ વિસર્જન બાદ સર્જાય દુર્ઘટના

ભરૂચ જિલ્લાના વાલિયાના કોંઢ ગામે ગામ તળાવ પાસેથી ઘરે જતા મામા ભાણેજનું તળાવના ઉંડા પાણીમાં ડૂબી જતાં મોત નીપજયું હતું.મામા અને ભાણેજ તળાવ કિનારેથી પસાર થઈ રહ્યા હતા એ દરમ્યાન આ દુર્ઘટના સર્જાય હતી.

Advertisment

ભરૂચના વાલિયા તાલુકાના કોંઢ ગામની નવી નગરીમાં રહેતા ૨૮ વર્ષીય સુનીલ વસાવા ૧૦ વર્ષીય ભાણીયા રોન્શન વસાવા સાથે બોઈદ્રા ગામ ઉપર આવેલ તળાવમાં ગ્રામજનો સાથે ગણેશ વિસર્જન માટે ગયા હતા જેઓ ત્યાંથી પોતાના ઘરે જઈ રહ્યા હતા તે વેળા ગામ તળાવ પાસે પગ લપસી જતા બંને તળાવમાં ગરક થઇ ગયા હતા જેને પગલે બંને ડૂબી ગયા હતા આજરોજ સવારે બાળકનો મૃતદેહ ગ્રામજનોએ જોતા ગામના આગેવાનોએ વાલિયા પોલીસ મથક ખાતે જાણ કરતા પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો બાળકના મૃતદેહનો કબજો મેળવી તેના મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે વાલિયાના સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડી અને તરવૈયાઓની મદદથી લાપત્તા બનેલ મામાની શોધખોળ હાથ ધરી હતી. તરવૈયાને ભારે શોધખોળ બાદ ૩ કલાકે સુનીલ વસાવાનો પણ મૃતદેહ મળી આવ્યો હતો. મામા અને ભાણેજનું મોત નિપજતા પંથકમાં ગમનો માહોલ જોવા મળી રહયો છે.

Advertisment
Latest Stories