ભરૂચ : ગામડાઓમાં વિકાસની યાત્રા અવિરત રહેશે : નાયબ મુખ્ય દંડક દુષ્યંત પટેલ

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત રાજયભરમાં આત્મનિર્ભર ગ્રામ યાત્રાઓ નીકળી રહી છે.

New Update
ભરૂચ : ગામડાઓમાં વિકાસની યાત્રા અવિરત રહેશે : નાયબ મુખ્ય દંડક દુષ્યંત પટેલ

ભરૂચ જિલ્લામાં આત્મનિર્ભર ગ્રામ યાત્રાનો ભોલાવ ખાતેથી વિધાનસભાના નાયબ મુખ્ય દંડક દુષ્યંત પટેલની હાજરીમાં પ્રારંભ કરાયો. આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત રાજયભરમાં આત્મનિર્ભર ગ્રામ યાત્રાઓ નીકળી રહી છે. ભરૂચની યાત્રાનો ભોલાવ ખાતેથી પ્રારંભ કરાવવામાં આવ્યો.વિધાનસભાના નાયબ મુખ્ય દંડક દુષ્યંત પટેલે જણાવ્યું હતું કે, ગામડાઓના લોકો પોતે પગભર થાય તથા તેમના ગામનો સર્વાંગી વિકાસ થાય તે માટે આત્મનિર્ભર ગ્રામ યાત્રાઓ કાઢવામાં આવી રહી છે. આ રથયાત્રા ત્રણ દિવસ જિલ્લાભરમાં ફરી લોકોના સુખાકારી માટે ની યોજનાઓનું માગદર્શન આપી લોકોને પગભર કરવાનો પ્રયાસ હાથ ધરશે.ભોલાવ ખાતે આયોજીત કાર્યક્રમમાં જિલ્લા ભાજપ અધ્યક્ષ મારૂતિસિંહ અટોદરીયા, પાલિકા પ્રમુખ અમિત ચાવડા, બાંધકામ સમિતિના અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી સહિતના મહેમાનો હાજર રહયાં હતાં.

Read the Next Article

ભરૂચ: જિલ્લા પંચાયતની ગ્રાન્ટમાંથી વાલિયાના 9 ગામોને પાણીના ટેન્કર અર્પણ કરાયા

15માં નાણાપંચની ગ્રાન્ટમાંથી મંજુર થયેલ પાણીના 9 ટેન્કર ધારાસભ્ય રિતેશ વસાવા અને જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીના હસ્તે અર્પણ કરવામાં આવ્યા

New Update
  • ભરૂચના વાલિયા ખાતે યોજાયો કાર્યક્રમ

  • 9 ગામોને પાણીના ટેન્કર અર્પણ કરાયા

  • જિલ્લાપંચાયતની ગ્રાન્ટમાંથી ટેન્કર આપવામાં આવ્યા

  • ધારાસભ્ય રિતેશ  રહ્યા ઉપસ્થિત

  • ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીએ પણ આપી હાજરી

ભરૂચની વાલિયા ગ્રામ પંચાયત કચેરી ખાતે 15માં નાણાપંચની ગ્રાન્ટમાંથી મંજુર થયેલ પાણીના 9 ટેન્કર ધારાસભ્ય રિતેશ વસાવા અને જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીના હસ્તે અર્પણ કરવામાં આવ્યા હતા.
ભરૂચ જિલ્લા પંચાયતની 15માં નાણાપંચ 10 ટકાની ગ્રાન્ટમાંથી વાલિયા-ડહેલીના સભ્ય અલ્પેશ વસાવા અને શાહીસ્તાબેન કડીવાલાના સમન્વયથી વાલિયા,વટારીયા,કોંઢ,ઘોડા,પણસોલી,હોલા કોતર,મોખડી,દેસાડ,ડહેલી સહિત 9 ગામોને 3500 લીટરની ક્ષમતા ધરાવતા પીવાના પાણીના 9 ટેન્કર મંજુર થયા હતા.જે  ધારાસભ્ય રિતેશ વસાવા અને જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીના હસ્તે સરપંચોને અર્પણ કરવામાં આવ્યા હતાં.
આ કાર્યક્રમમાં જિલ્લા સંગઠન મંત્રી જીજ્ઞેશ મિસ્ત્રી,તાલુકા પંચાયત પ્રમુખ સીતાબેન વસાવા,ધરમસિંહ વસાવા તેમજ તાલુકા ભાજપ પ્રમુખ પૃથ્વીરાજસિંહ ગોહિલ,મહામંત્રી પ્રદીપસિંહ ભરથાણીયા,રતિલાલ વસાવા સહિત આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા.