ભરૂચ: વાઇબ્રન્ટ ગુજરાત સમિટ 2022 માટે ઉદ્યોગકારોને માહિતગાર કરવા જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા બેઠક યોજાઇ

ભરૂચ ડિસ્ટ્રિક્ટ મેનેજમેન્ટ એસોસિએશન કચેરી ખાતે જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા વાઇબ્રન્ટ ગુજરાત સમિટ 2022 માટે માહિતગાર કરવા અને જિલ્લાના ઉદ્યોગકારોને ભાગીદાર બનાવવા બેઠક યોજાઇ હતી.

New Update
ભરૂચ: વાઇબ્રન્ટ ગુજરાત સમિટ 2022 માટે ઉદ્યોગકારોને માહિતગાર કરવા જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા બેઠક યોજાઇ

ભરૂચ ડિસ્ટ્રિક્ટ મેનેજમેન્ટ એસોસિએશન કચેરી ખાતે જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા વાઇબ્રન્ટ ગુજરાત સમિટ 2022 માટે માહિતગાર કરવા અને જિલ્લાના ઉદ્યોગકારોને ભાગીદાર બનાવવા બેઠક યોજાઇ હતી.

ઔદ્યોગિક ગઢ ભરૂચ જિલ્લામાં ઉદ્યોગો અને ઉદ્યોગકારો ગાંધીનગરમાં યોજાનારા ત્રિદિવસીય વાઇબ્રન્ટ ગુજરાત સમીટ 2022થી માહિતગાર કરવા બેઠકનું આયોજન કરાયું હતું. ભરૂચ ડિસ્ટ્રીકટ મેનેજમેન્ટ એસોસિયેશનના કોલેજ રોડ ઉપર આવેલી કચેરી ખાતે જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા આ સેમિનારનું આયોજન કરાયું હતું. જેમાં જિલ્લાની ઔદ્યોગિક વસાહતના વિવિધ સભ્યોએ ભાગ લીધો હતો. રાજ્યના ઇન્ડસ્ટ્રીઝ ડેપ્યુટી કમિશનર જે. બી. દવે એ ઉપસ્થિત રહી ઉદ્યોગોના હાજર સભ્યોને વાઇબ્રન્ટ સમીટ 2021ની વિસ્તૃત જાણકારી આપી હતી. જાન્યુઆરી 10 થી 12 યોજાનારી વાઇબ્રન્ટ ગુજરાત સમીટમાં ભરૂચ જિલ્લામાંથી વધુમાં વધુ ઉદ્યોગકારો ભાગીદારી નોંધાવી ભાગ લે તેના ઉપર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો. ગાંધીનગરમાં ત્રિદિવસીય સમીટમાં આયોજિત તમામ કાર્યક્રમોના જાણકારી જિલ્લાના તમામ ઔદ્યોગિક મંડળના પ્રતિનિધિઓએ મેળવી હતી. બેઠકમાં BDMAના પ્રમુખ હરીશ જોશી સહિત જિલ્લાની ઓદ્યોગિક વસાહતના વિવિધ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

Read the Next Article

ભરૂચ : લુવારા ગામના ખેડૂતોની મુશ્કેલીમાં વધારો,NH-48ના ફ્લાયઓવર કામના કારણે ખેતરોમાં ભરાયા પાણી

ભરૂચ જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઇવે નં.48 પર હાલ ચાલી રહેલા ફ્લાયઓવર નિર્માણ કામ લુવારા ગામના ખેડૂતો માટે નવી મુશ્કેલીરૂપ બની ગયું છે.

New Update

લુવારા પાસે નિર્માણ થઇ રહ્યો છે ફ્લાયઓવર

ફ્લાયઓવરથી ખેડૂતોની મુશ્કેલી વધી

ફ્લાયઓવરથી  ખેતરમાં ભરાયા પાણી

ખેડૂતોએ નેશનલ હાઇવે ઓથોરિટીમાં કરી રજૂઆત  

ખેડૂતોએ હાઇવે ઓથોરિટી સામે વ્યક્ત કર્યો રોષ

ભરૂચ જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઇવે નં.48 પર હાલ ચાલી રહેલા ફ્લાયઓવર નિર્માણ કામ લુવારા ગામના ખેડૂતો માટે નવી મુશ્કેલીરૂપ બની ગયું છે. ફ્લાયઓવર નીચે નાખવામાં આવેલા બોક્સ ગટરનું લેવલ ઉંચુ રાખવામાં આવતા આસપાસના નીચાણવાળા ખેતરોમાં વરસાદી પાણી ભરાઈ જતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે.

હાઈવે ઓથોરિટી દ્વારા આ કામગીરીમાં ધ્યાન ન આપવામાં આવતા ખેતરોમાં પાણી જમા થયું હોવાનો આક્ષેપ ખેડૂતો કરી રહ્યા છેજેના કારણે પાક બગડવાનો ભય ઉભો થયો છે. ખેડૂતો દ્વારા તાત્કાલિક અસરકારક નિકાલ વ્યવસ્થા ઉભી કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે.લુવારા ગામના ઘણા ખેડૂતોનો આક્ષેપ છે કે આ સમસ્યાની જાણ નેશનલ હાઇવે ઓથોરિટીને કરવામાં આવી છેછતાં હજુ સુધી કોઈ પગલું લેવાયું નથી.ખેડૂતોનો આવકના મુખ્ય સ્ત્રોત ખેતર જ છેજેના નુકસાનથી તેઓ ગંભીર આર્થિક અસર ભોગવી શકે છે.હાલ તો ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે અને તેમણે ચીમકી ઉચ્ચારી છે કે જો તાત્કાલિક ઉકેલ નહીં આવે તો તેઓ આંદોલન કરવા મજબૂર બનશે.

Latest Stories