ભરૂચ : આમોદ પંથકમાં શ્વાનનો આતંક યથાવત, નગરજનોમાં ભયનો માહોલ...

આમોદ પંથકમાં છેલ્લા ઘણા સમયથી શ્વાનનો આતંક યથાવત રહ્યો છે, ત્યારે સ્થાનિક નગરજનોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે.

New Update
ભરૂચ : આમોદ પંથકમાં શ્વાનનો આતંક યથાવત, નગરજનોમાં ભયનો માહોલ...

ભરૂચ જિલ્લાના આમોદ પંથકમાં છેલ્લા ઘણા સમયથી શ્વાનનો આતંક યથાવત રહ્યો છે, ત્યારે સ્થાનિક નગરજનોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે.

ભરૂચ જિલ્લાના આમોદ નગરના વોર્ડ નં. 2ના વાવડી ફળિયા વિસ્તારમાં થોડા દિવસ અગાઉ શ્વાન દ્વારા 3થી 4 નાના બાળકો પર હુમલો કરવામાં આવ્યો હતો. તો બીજી તરફ, પાલિકામાં ફરજ બજાવતા કર્મચારી જ્યારે પોતાની બાઇક સાફ કરી રહ્યા હતા, ત્યારે પાછળથી એક શ્વાને આવી અચાનક હુમલો કર્યો હતો. શ્વાનના આતંક સામે જાગૃત નાગરીકો દ્વારા નગરપાલિકાને જાણ કરતાં પાલિકાના સેનેટરી ઇન્સ્પેક્ટરે બહારથી ટીમ બોલાવી આતંક મચાવનાર શ્વાનને ભારે જહેમત બાદ પકડી લેવામાં આવ્યો હતો. શ્વાન પકડાઈ જતાં જ સ્થાનીકોએ રાહતનો શ્વાસ લીધો હતો.