Connect Gujarat
ભરૂચ

ભરૂચ : ડો. બાબાસાહેબ આંબેડકરની આજે જન્મજયંતી, જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરાય

ભારતના બંધારણના ઘડવૈયા ડો. બાબાસાહેબ આંબેડકરની આજે 131મી જન્મજયંતી નિમિત્તે ભરૂચ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે પુષ્પાંજલિનો કાર્યક્રમ યોજાયો હતો.

X

ભારતના બંધારણના ઘડવૈયા ડો. બાબાસાહેબ આંબેડકરની આજે 131મી જન્મજયંતી નિમિત્તે ભરૂચ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે પુષ્પાંજલિનો કાર્યક્રમ યોજાયો હતો.

આંબેડકર જયંતિ એ તા. 14 એપ્રિલના રોજ ભારતીય નાગરિક અધિકાર કાર્યકર્તા ડૉ. બાબાસાહેબ આંબેડકરની સ્મૃતિમાં મનાવવામાં આવતો વાર્ષિક તહેવાર છે. બાબાસાહેબ આંબેડકરે જીવનભર સમાનતા માટે સંઘર્ષ કર્યો હતો, તેથી તેમના જન્મદિવસને ભારતમાં 'સમાનતા દિવસ' તરીકે પણ ઉજવવામાં આવે છે, ત્યારે આજે ડો. બાબાસાહેબ આંબેડકર સાહેબની 131મી જન્મજયંતી નિમિત્તે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે પુષ્પાંજલિનો કાર્યક્રમ યોજાયો હતો. કોંગ્રેસના આગેવાનો અને કાર્યકર્તાઓ દ્વારા બાબાસાહેબ આંબેડકરની તસવીરને ફૂલહાર કરી પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પરિમલસિંહ રણા, શહેર કોંગ્રેસ પ્રમુખ તેજપ્રીત શોખી સહિત મોટી સંખ્યામાં કોંગી કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

Next Story