Connect Gujarat
ભરૂચ

ભરૂચ:ખાનગી હોસ્પિટલમાં દર્દીનું ઓપરેશન દરમિયાન મોત થતાં પરિવારજનોનો હોબાળો,તબીબોની બેદરકારીના આક્ષેપ

હોસ્પિટલના તબીબોની બેદરકારીને કારણે દર્દીનું મોત થયું હોવાના આક્ષેપ સાથે મૃતકના પરિવારજનોએ ભારે હોબાળો મચાવ્યો હતો

X

ભરૂચના ભારતી રો હાઉસ સોસાયટીમાં રહેતા વ્યક્તિને કમરના મણકાનો દુઃખાવો ઉપડતાં તેનું ઓપરેશન ભરૂચની ખાનગી હોસ્પિટલમાં ચાલી રહ્યું હતું તે દરમિયાન દર્દીનું મોત થતાં હોસ્પિટલના તબીબોની બેદરકારીને કારણે દર્દીનું મોત થયું હોવાના આક્ષેપ સાથે મૃતકના પરિવારજનોએ ભારે હોબાળો મચાવ્યો હતો

ભરૂચના જંબુસર તાલુકાના સાપલા ગામના અને હાલ ભરૂચના ભારતી રોહાઉસ સોસાયટીમાં રહેતા વિનય પટેલ કે જેઓને કમરમાં મણકાનો દુઃખાવો ઘણા સમયથી ઉપાડતો હતો જેના પગલે ભરૂચની એક ખાનગી હોસ્પિટલમાં તપાસ કરવામાં આવતા દર્દીનું ઓપરેશન કરવું પડશે તેમ તબીબોએ જણાવ્યું હતું અને બે દિવસ બાદ એપોઇન્ટમેન્ટ લઇ દર્દી વિનય પટેલને ઓપરેશન માટે દાખલ કરવામાં આવ્યા હતા. જો કે આ દરમ્યાન દર્દીનુ મોત નિપજતા પરિવારજનોએ હોસ્પિટલ પર ભારે હોબાળો મચાવ્યો હતો

જેના પગલે પોલીસ કાફલો દોડી આવ્યો હતો. પરિવારજનોએ આક્ષેપ કરતા જણાવ્યુ હતું કે તબીબોની બેદરકારીના કારણે મોત નીપજયું છે. બનાવની જાણ થતાની સાથે જ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને મૃતદેહને પેનલ પી.એમ.માટે

Next Story