ભરૂચ:એકસપ્રેસ હાઇવેની જમીન સંપાદનના વળતરના મુદ્દે ખેડૂતોની MLA અરૂણસિંહ રણાને રજૂઆત

ભરૂચમાં એકસપ્રેસ હાઇવેની જમીન સંપાદનના વળતરના મુદ્દે અસરગ્રસ્ત ખેડૂતોએ વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ રણાને રજૂઆત કરી હતી.

New Update
ભરૂચ:એકસપ્રેસ હાઇવેની જમીન સંપાદનના વળતરના મુદ્દે ખેડૂતોની MLA અરૂણસિંહ રણાને રજૂઆત

ભરૂચમાં એકસપ્રેસ હાઇવેની જમીન સંપાદનના વળતરના મુદ્દે અસરગ્રસ્ત ખેડૂતોએ વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ રણાને રજૂઆત કરી હતી.

એકસપ્રેસ હાઇવે માટે સંપાદિત કરાયેલ જમીનના વળતરના મુદ્દે ભરૃચ જિલ્લાના અસરગ્રસ્ત ખેડૂતો સુરત અને વલસાડ જિલ્લાના ખેડૂતોને ચૂકવાયેલ વળતરની સમકક્ષ વળતરની માંગ સાથે આંદોલન કરી રહ્યા છે.બીજી બાજુ પોલીસ પ્રોટેક્શન સાથે અટકી રહેલ એક્ષપ્રેસ હાઇવેની કામગીરી શરૂ કરી દેવામાં આવતા આ મુદ્દે ખેડૂતો આક્રમક બન્યા છે ત્યારે વાગરા વિધાનસભાના ખેડૂતોએ વધુ વળતરના મુદ્દે ધારાસભ્ય અરૂણસિંહ રણાને ધારદાર રજૂઆત કરી હતી.ખેડૂતોની રજુઆતના પ્રત્યુત્તર આપતા ધારાસભ્ય અરૂણસિંહ રણાએ આ અંગે જિલ્લા કલેકટર ને રજૂઆત કરી હોવાનું જણાવવા સાથે આગામી દિવસો માં સારું વળતર ખેડૂતોને મળશે તેવી હૈયા ધારણા આપી હતી.

Read the Next Article

ભરૂચ: પ્લેન દુર્ઘટનામાં મૃત્યુ પામેલ પૂર્વ CM વિજય રૂપાણીને શ્રધ્ધાસુમન અર્પણ કરાયા, શોકસભાનું કરાયુ આયોજન

ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણી માટે શોકસભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભાજપના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા 

New Update
  • ભરૂચમાં કરવામાં આવ્યું આયોજન

  • ભાજપ દ્વારા શોકસભાનું આયોજન

  • સ્વ.વિજય રૂપાણીને શ્રદ્ધાસુમન અર્પણ કરાયા

  • ભાજપના આગેવાનો રહ્યા ઉપસ્થિત

  • સ્વ.વિજય રૂપાણીના કાર્યોને યાદ કરાયા

ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણી માટે શોકસભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભાજપના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા 
તાજેતરમાં વિમાન દુર્ઘટનામાં અવસાન પામેલા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી માટે ભરૂચ શહેરમાં શોકસભાનું આયોજન કરવામાં આવ્યું હતું.
શોકસભામાં ભરૂચના સાંસદ મનસુખ વસાવા, જિલ્લાના ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણા, જંબુસરના ધારાસભ્ય ડી.કે. સ્વામી,પૂર્વ ધારાસભ્ય અને સંઘ પ્રદેશ ભાજપના પ્રભારી દુષ્યંત પટેલ, પૂર્વ પ્રમુખ મારુતિસિંહ અટોદરીયા સહિતના આગેવાનોએ ઉપસ્થિત રહી પુર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.શોકસભામાં પક્ષના કાર્યકરો તથા વિભિન્ન સમાજના પ્રતિનિધિઓએ પણ હાજરી આપી દુઃખની લાગણી વ્યક્ત કરી હતી. કાર્યક્રમના અંતે સૌએ પ્રાર્થના કરી સ્વ.વિજય રૂપાણીના આત્માને શાંતિ મળે તે માટે પ્રાર્થના કરી હતી.