ભરૂચ: નગર સેવા સદનની સામાન્ય સભા મળી, 31મી માર્ચ સુધીમાં બાકી વેરો ભરી દેનારાઓની પેનલ્ટી થશે માફ

ભરૂચ નગર સેવા સદન્ની આજરોજ સામાન્ય સભા મળી હતી જેમાં 31 માર્ચ 2022 સુધી બાકી પડતો વેરો કરદાતા ભરશે તો નોટિસ ફી, વ્યાજ, પેનલ્ટી અને વોરન્ટ ફી માં 100 % રકમ માફ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો

New Update
ભરૂચ: નગર સેવા સદનની સામાન્ય સભા મળી, 31મી માર્ચ સુધીમાં બાકી વેરો ભરી દેનારાઓની પેનલ્ટી થશે માફ

ભરૂચ નગર સેવા સદન્ની આજરોજ સામાન્ય સભા મળી હતી જેમાં 31 માર્ચ 2022 સુધી બાકી પડતો વેરો કરદાતા ભરશે તો નોટિસ ફી, વ્યાજ, પેનલ્ટી અને વોરન્ટ ફી માં 100 % રકમ માફ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

ભરૂચ નગર સેવા સદનની આજરોજ વિશેષ સામાન્ય સભા મળી હતી. રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં પાલિકા વિસ્તારમાં વેરા ધારકો માટે મોટી જાહેરાત કરી હતી અને રાજ્યમાં "આઝાદી કા અમૃત મહોત્સવ પ્રોત્સાહક વળતર યોજના" અંગે વિશેષ પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. અગાઉ સરકાર દ્વારા સ્વર્ણિમ જયંતિ પ્રોત્સાહક વળતર યોજના દાખલ કરી હતી જે બાદ હવે "આઝાદી કા અમૃત મહોત્સવ પ્રોત્સાહક વળતર યોજના" અમલ આ મૂકી છે. તારીખ 31 માર્ચ 2022 સુધી બાકી પડતો વેરો કરદાતા ભરશે તો નોટિસ ફી, વ્યાજ,પેનલ્ટી અને વોરન્ટ ફીમાં 100 % રકમ માફ કરવામાં આવશે. નાણાકીય વર્ષ 2022-23 માં 31 મી મે 2022 સુધી એડવાન્સ ટેક્સ ભરપાઈ પર 10 % વળતર મળશે. મિલકત ધારકો પાછલી બાકી રકમ સમયસર ભરતા ન હોવાના કારણે બાકી કરવેરાની વસુલાત મોટા પ્રમાણમાં બાકી રહેતી હોય છે.

પાલિકાની આવકમાં વધારો થાય તે માટે આ નવી પ્રોત્સાહક યોજના અમલમાં મુકવામાં આવી છે. સામાન્ય સભામાં નગર સેવા સદનના પ્રમુખ અમિત ચાવડા, ચીફ ઓફીસર દસરથ સિંહ ગોહિલ તેમજ ચૂંટાયેલા સભ્યો અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા