ભરૂચ : મહાશિવરાત્રી પર્વે તુલસીધામમાં ભવ્ય શિવ દર્શન મેળો, શિવભક્તોને લ્હાવો લેવા બ્રહ્માકુમારીઝનું નિમંત્રણ

મહાશિવરાત્રી પર્વને લઇ ભરૂચ શહેરના ઝાડેશ્વર વિસ્તાર સ્થિત પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય દ્વારા શિવ દર્શન મેળાનું આયોજન કરવામાં આવ્યું છે.

New Update
ભરૂચ : મહાશિવરાત્રી પર્વે તુલસીધામમાં ભવ્ય શિવ દર્શન મેળો, શિવભક્તોને લ્હાવો લેવા બ્રહ્માકુમારીઝનું નિમંત્રણ

મહાશિવરાત્રી પર્વને લઇ ભરૂચ શહેરના ઝાડેશ્વર વિસ્તાર સ્થિત પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય દ્વારા શિવ દર્શન મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 15 ફૂટ ઊંચા શિવલિંગ સહિત બાર જ્યોતિર્લિંગના દર્શનનો લ્હાવો લેવા શિવભક્તોને નિમંત્રણ પાઠવાયું છે.

ભરૂચના ઝાડેશ્વર પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય દ્વારા દર વર્ષે મહાશિવરાત્રી પર્વ પર લોકોને શિવ સંદેશ પાઠવવા માટે અનેક પ્રકારના આયોજન કરાય છે, ત્યારે આ વર્ષે ભરૂચના ઝાડેશ્વર વિસ્તાર સ્થિત તુલસીધામ ખાતે શિવ દર્શન મેળાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જેમાં બાર જ્યોતિર્લિંગ દર્શન સહિત 15 ફૂટ ઊંચા શિવલિંગ, મહાઆરતી સાથે જ બાળકો માટે વેલ્યુસ ગેમ અને રાજીયોગનું પણ આયોજન કરાયું છે. શિવ દર્શન મેળો આવતીકાલે તા. 17 ફેબ્રુઆરીથી તા. 23 ફેબ્રુઆરી સુધી ચાલનાર છે. રોજ સવારે 7થી 10 અને સાંજે 4થી 10 સુધી શહેરીજનો મેળાના દર્શન કરી શકશે.

પ્રસંગે મેળા દરમ્યાન રોજ સાંજે 6:30 કલાકે ભવ્ય મહાઆરતીનામાં જિલ્લાભરના મહાનુભાવો ભાગ લેશે. શિવદર્શન મેળો આયોજિત કરવાનું ખાસ ઉદ્દેશ એ છે કે, લોકોમાં પરમાત્મા પ્રત્યે જાગૃતિ આવે, પરમાત્મા કોણ છે, પરમાત્માનો પરિચય અને પરમાત્માના સ્વરૂપોનું વર્ણન આ મેળામાં કરવામાં આવ્યું છે, ત્યારે ઝાડેશ્વર બ્રહ્માકુમારી સેન્ટરના ઇન્ચાર્જ પ્રભાદીદી, પન્નાદીદી, ટીકુદીદી સહિતના સમર્પિત બહેનોએ મેળાની સ્થળ મુલાકાત લીધી હતી. આ સાથે જ ભરૂચ જિલ્લાવાસીઓને શિવદર્શન મેળાનો લાભ લેવા બ્રહ્માકુમારી પરિવાર દ્વારા હાર્દિક નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

Read the Next Article

અંકલેશ્વર: NH 48 પર ટ્રાફિકજામની રોજિંદી સમસ્યા, બિસ્માર માર્ગોના પગલે સમસ્યા

અંકલેશ્વર નેશનલ હાઇવે પર  આમલાખાડી પરના બિસ્માર બ્રિજ અને હાઇવેનો માર્ગ ખખડધજ બનતા સતત ટ્રાફિકજામની પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે. અંકલેશ્વર નેશનલ હાઇવે

New Update
MixCollage-09-Jul-2025-08-21-PM-8778

અંકલેશ્વર નેશનલ હાઇવે પર  આમલાખાડી પરના બિસ્માર બ્રિજ અને હાઇવેનો માર્ગ ખખડધજ બનતા સતત ટ્રાફિકજામની પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે.

અંકલેશ્વર નેશનલ હાઇવે ઉપર આવેલ આમલાખાડી પરનો બ્રિજ છેલ્લા ઘણા સમયથી બિસ્માર બન્યો છે.બીજી તરફ ચોમાસુ જામતા જ હાઇવે પર ખાડાઓની ભરમાર છે.તેવામાં રોજેરોજ ટ્રાફિકજામની પરિસ્થિતિનું નિર્માણ થતા વાહન ચાલકો હેરાન પરેશાન બન્યા છે.વાહનોનું ભારણ અને બ્રિજ જર્જરિત,રસ્તા પર ખાડાઓ પડતા વાહન ચાલકો પોતાનો કિંમતી સમય સાથે ઇંધણ બગાડી રહ્યા છે.દિવસે દિવસે માથાના દુખાવા સમાન બનેલ આ ટ્રાફિકની સમસ્યા હલ કરવામાં આવે તે જરૂરી છે.તંત્ર યોગ્ય નિરાકરણ લાવે એવી વાહનચાલકો માંગ કરી રહ્યા છે