Connect Gujarat
ભરૂચ

ભરૂચ: આડાસંબંધના વહેમમાં પતિએ પત્નીની પાવડાના ઘા મારી કરી કરપીણ હત્યા

ભરૂચમાં આડાસંબંધના વહેમમાં હત્યા, પતિએ પત્નીની હત્યા કરી.

X

ભરૂચમાં આડાસંબંધના વહેમમાં પતિએ પત્નીની પાવડાના ઘા મારી હત્યા કરતા ચકચાર મચી જવા પામી છે. હત્યાના ગુનાને અંજામ આપ્યા બાદ હત્યારો ફરાર થઈ ગયો હતો.

ભરૂચમાં આડા સંબંધના વહેમે એક પરિવારનો માળો વેરવિખેર કરી નાખ્યો છે. ભરૂચની સાબુગર ઝૂપડપટ્ટી નજીક આવેલ મહાવીર નગરમાં રહેતી 32 વર્ષીય નઝમા સૈયદની તેના પતિ રફાકત અલી સૈયદે હત્યા કરી દીધી હતી. ગતરાત્રિના બન્ને સૂઈ રહ્યા હતા એ દરમ્યાન રફકત સૈયદે તેની પત્નીને પાવડાના ઉપરા છાપરી ઘા ઝીંકી દીધા હતા જેમાં ગંભીર ઇજાના પગલે તેનું કરૂણ મોત નીપજયું હતું.

હત્યાના ગુનાને અંજામ આપી પતિ ફરાર થઈ ગયો હતો. પતિને તેની પત્નીના ચારિત્ર્ય પર શંકા હતી અને આડા સંબંધના વહેમમાં તેની હત્યા કરી દીધી હતી. પતિના શંકાશીલ સ્વભાવના કારણે 3 બાળકીઓએ માતાની હુંફ ગુમાવી છે. બનાવ સંદર્ભે ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસે હત્યા અંગેનો ગુનો નોંધી ફરાર હત્યારાની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.

Next Story