ભરૂચ:વગુસણા નજીક ગુજકો ગ્રીન બનાના ફાઈબર પ્રોજેક્ટનું રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે લોકાર્પણ

ભરુચ જિલ્લા સૌ પ્રથમ ગુજકો ગ્રીન બનાના ફાઈબર પ્રોજેક્ટનું રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

New Update
ભરૂચ:વગુસણા નજીક ગુજકો ગ્રીન બનાના ફાઈબર પ્રોજેક્ટનું રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે લોકાર્પણ

ભરુચ જિલ્લા સૌ પ્રથમ ગુજકો ગ્રીન બનાના ફાઈબર પ્રોજેક્ટનું રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

Advertisment

ભરુચ જીલ્લામાં મોટાપાયે કેળાની ખેતી કરતાં ખેડૂતોના હિતને ધ્યાનમાં રાખી ખેડૂતોની આર્થિક સક્ષમતા વધે તે હેતુથી ગુજરાત સ્ટેટ કો-ઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન દ્વારા ભરૂચના વગુસણા ગામ પાસે ભરુચ જિલ્લા સૌ પ્રથમ ગુજકો ગ્રીન બનાના ફાઈબર પ્રોજેક્ટનું સ્થાપન કરવામાં આવ્યું છે જે કેન્દ્ર ખાતે કેળાંની લૂમ નીકળી ગયા બાદ થડનો પણ ઉપયોગ થાય તે માટે નવસારી કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ કેળાના થડના નકામા અવશેષોમાંથી સંશોધન બાદ રાસ્પાડોર મશીનનો ઉપયોગ કરી કેળાના થડમાંથી સૂકા રેશા,ઘન કચરો પ્રવાહી અને મધ્યગર સહિતના ઘટકો છૂટા પાડી તે ઘટકોમાંથી વિવિધ ચીજ વસ્તુઓ બનાવી હતી જેમાં કાપડ,ઉચ્ચ ગુણવત્તાના કાગળો હાથ બનાવટની અનેક વસ્તુઓ સાથે કાર્ડબોડ સહિતની વસ્તુઓ સાથે કંપોસ્ટ ખાતર અને માછલીઓનો ખોરાક તેમજ મધ્યગરમાંથી ખાવાલાયક ચીજ વસ્તુઓ જેવી કે કેન્ડી,શરબત સહિતની વસ્તુઓ બનાવી છે જે ગુજકો ગ્રીન બનાના ફાઈબર પ્રોજેક્ટનું આજરોજ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે રિબિંગ કટિંગ અને તખ્તી અનાવરણ કરી લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ગુજકોમાસોલના અધ્યક્ષ દિલીપ સંઘાણી,કુષિ મંત્રી રાઘવજી પટેલ, રાજ્ય કક્ષાના સહકાર મંત્રી જગદીશ પંચાલ, ગુજરાત વિધાનસભા ઉપાધ્યક્ષ જેઠા ભરવાડ,રાજ્ય કક્ષાના ગ્રામ વિકાસ મંત્રી કુંવરજીભાઈ હળપતિ, વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ રણા અને ગુજકોમાસોલ બિપિન પટેલ,કલેકટર તુષાર સુમારે અને એસપી મયુર ચાવડા સહિતના આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા.

Advertisment
Read the Next Article

ભરૂચ: મનરેગા કૌભાંડમાં હાંસોટના 4 ગામોમાં પોલીસની તપાસ, પંચકેસ સહિતની પ્રક્રિયા પૂર્ણ કરાય

ભરૂચમાં પણ મનરેગા કૌભાંડ બહાર આવ્યું છે.જેમાં બે એજન્સીએ મળી 11 ગામોમાં મનરેગા હેઠળ થયેલા કામોમાં ગેરરીતિ આચરી રૂપિયા 19.64 લાખ સરકાર પાસે વસૂલ્યા હોવાની પોલીસ ફરિયાદ નોંધાય 

New Update
  • ભરૂચમાં બહાર આવ્યું મનરેગા કૌભાંડ

  • 3 તાલુકાના ગામોમાં કૌભાંડ આચરાયું

  • પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો

  • ગામોમાં પંચકેસ સહિતની પ્રક્રિયા શરૂ કરાય

  • 9 પોલીસકર્મીઓનો તપાસ ટીમમાં સમાવે સમાવેશ થાય છે 

Advertisment

 

ભરૂચ જિલ્લામાં બહાર આવેલ મનરેગા કૌભાંડમાં પોલીસની ટીમ દ્વારા આજરોજ હાંસોટ તાલુકાના 4 ગામોમાં તપાસ કરી પંચકેસ સહિતની કાર્યવાહી કરી હતી ભરૂચમાં પણ મનરેગા કૌભાંડ બહાર આવ્યું છે.જેમાં બે એજન્સીએ મળી 11 ગામોમાં મનરેગા હેઠળ થયેલા કામોમાં ગેરરીતિ આચરી રૂપિયા 19.64 લાખ સરકાર પાસે વસૂલ્યા હોવાની પોલીસ ફરિયાદ નોંધાય  હતી.આ બે એજન્સીઓમાં વેરાવળની જલારામ એન્ટરપ્રાઇઝ અને મુરલીધર એજન્સીનો સમાવેશ થાય છે. આ મામલે ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાયા બાદ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

ભરૂચ જિલ્લા પોલીસવડા મયુર ચાવડા દ્વારા સ્પેશિયલ ટીમ બનાવવામાં આવી છે. જેમાં 3 અધિકારીઓ અને 6 પોલીસકર્મીઓનો સમાવેશ થાય છે. આ અંગે તપાસ અધિકારી આર.એમ.વસાવાએ જણાવ્યુ હતું કે ટીમ દ્વારા આજરોજ હાંસોટ તાલુકાના સમલી, કંટીયાજાળ, બોલાવ અને સુણેવખુદ ગામમાં તપાસ કરવામાં આવી હતી.પોલીસકર્મીઓ દ્વારા પંચકેસ સહિતની કાર્યવાહી કરવામાં આવી છે.ભરૂચ જિલ્લાના કુલ 56 ગામોમાં 7.30 કરોડનું કૌભાંડ આચરાયુ હોવાની આશંકા પોલીસ ફરિયાદમાં વ્યક્ત કરવામાં આવી છે જેમાં હાંસોટ તાલુકાના સૌથી વધુ ગામોનો સમાવેશ થાય છે.

Advertisment
Latest Stories