ભરૂચ: જંબુસર તલાટીમંડળ દ્વારા પડતર પ્રશ્નોના નિરાકરણ માટે ધારાસભ્યને પાઠવાયું આવેદનપત્ર
જંબુસર તલાટી મંડળ દ્વારા ધારાસભ્યને આવેદનપત્ર પાઠવી તેઓના પડતર પ્રશ્નોનું નિરાકરણ લાવવાની માંગ કરવામાં આવી હતી
BY Connect Gujarat12 Aug 2022 7:52 AM GMT
X
Connect Gujarat12 Aug 2022 7:52 AM GMT
જંબુસર તલાટી મંડળ દ્વારા ધારાસભ્યને આવેદનપત્ર પાઠવી તેઓના પડતર પ્રશ્નોનું નિરાકરણ લાવવાની માંગ કરવામાં આવી હતી.
સમગ્ર ગુજરાતમાં પંચાયત તલાટી કમ મંત્રીઓના પડતર પ્રશ્નોની વારંવાર રજુઆતો કરવામાં આવી હોવા છતાં પ્રશ્નોનું નિરાકરણ આવતું ન હોય તમામ તલાટી દ્વારા તારીખ ૨/૮/૨૨ થી અચોક્કસ મુદ્દતની હડતાલ પર બેઠા છે જે અંતર્ગત ભરૂચ જિલ્લા તલાટી કમ મંત્રી મંડળ જંબુસર તાલુકાના તમામ પંચાયત તલાટીઓ હડતાલને સમર્થન આપી પડતર પ્રશ્નોને લઇ હડતાલ પર ઉતરી ગયા છે
જંબુસર તાલુકાના ગામડાના તલાટીઓ હડતાલ પર ઉતરતા ગ્રામજનોના કામો અટવાયા છે ત્યારે તલાટીઓએ જંબુસર મત વિસ્તાર ધારાસભ્ય સંજય સોલંકીને આવેદનપત્ર આપી વહેલી તકે તમામ પ્રશ્નોનું નિરાકરણ આવે તેવી માગ કરી છે. આ અંગે ધારાસભ્ય દ્વારા તલાટી કમ મંત્રીઓને તેમના પ્રશ્નોની ઉચ્ચકક્ષાએ રજુઆત કરવા હૈયાધારણા આપી હતી
Next Story