“મમ્મી, હું પણ એક દિવસ વિમાન ઉડાવીશ” કહેનાર ભરૂચના કીમોજની ખેડૂતપુત્રી બની પાયલોટ...

જંબુસર તાલુકાના કિમોજ ગામમાં ખેડૂતના ઘરે ઉર્વશી દૂબેનો જન્મ થયો હતો. સામાન્ય પરિવારમાં જન્મેલી ઉર્વશી પાયલોટ બનવાના સ્વપ્ન જોઇ ભણી રહી હતી

New Update
“મમ્મી, હું પણ એક દિવસ વિમાન ઉડાવીશ” કહેનાર ભરૂચના કીમોજની ખેડૂતપુત્રી બની પાયલોટ...

પાયલોટના કપડા પહેરી ગામના કાચા મકાન પાસે ઊભેલી આ દીકરીને જુઓ, આ દીકરીનું નામ છે ઉર્વશી દુબે. ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના છેવાડાના કિમોજ ગામે ખેડૂત પુત્રી રાત્રે ઘરની બહાર સૂઇને આકાશમાં વિમાન જોઇ તેની માતાને કહેતી કે, મમ્મી હું પણ એક દિવસ વિમાન ઉડાવીશ, અને એજ ઉર્વશી આજે બની ગઈ છે પાયલોટ. જુઓ અમારો વિશેષ અહેવાલ...

ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના કિમોજ ગામમાં ખેડૂતના ઘરે ઉર્વશી દૂબેનો જન્મ થયો હતો. સામાન્ય પરિવારમાં જન્મેલી ઉર્વશી પાયલોટ બનવાના સ્વપ્ન જોઇ ભણી રહી હતી, ત્યારે કોઇને એમ ન લાગ્યું હતું કે, આ દીકરી એક દિવસ પાયલોટ બની જશે. ગામની ગુજરાતી શાળામાં પ્રાથમિક શિક્ષણ મેળવી ઉર્વશીએ નક્કી કર્યું કે, તે પાયલોટ બનશે અને પાયલટ માટે શું જરૂરી છે, એ સમજી અભ્યાસમાં આગળ ભણી હતી. પાયલોટ બનવા પાછળ ઘણો જ શિક્ષણ ખર્ચ આવે છે, એ જાણીને પણ એમના પિતા અને કાકાએ નક્કી કર્યું કે, તેઓ દીકરીની ઈચ્છા પૂર્ણ કરશે. શરૂઆતમાં ઉર્વશીના કાકાએ દીકરીનો ખર્ચ ઉઠાવ્યો. પરંતુ અકાળે કોરોનામાં એમનું મૃત્યુ થતાં ઉર્વશીના અભ્યાસમાં મુશ્કેલી ઊભી થઈ હતી. પણ પિતાનો દ્રઢ નિર્ણય અને ઉર્વશીના અથાગ પરિશ્રમના કારણે આખરે તે પાયલોટ બની છે. એટલું જ નહીં, ઉર્વશીને પાયલોટ બનવા માટે સંતો પણ મેદાનમાં હતા. સ્તંભેશ્વર મહાદેવ મંદિરના સંત વિદ્યાનંદજી મહારાજ દ્વારા પણ ઉર્વશીને યોગ્ય માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. ઉર્વશીના પાયલોટ બનવાથી ગુજરાતીની ઉક્તિ સાર્થક સાબિત થઈ કે, મન હોય તો માળવે જવાય અને આત્મવિશ્વાસની સાથે પરિવારનો વિશ્વાસ એક દીકરીની પ્રગતિ માટે કેટલો જરૂરી છે, એ આ વાત પરથી સાબિત થાય છે.

Read the Next Article

ભરૂચ : વરસાદથી ક્ષતિગ્રસ્ત અંકલેશ્વર-ઝઘડીયા-રાજપીપલા સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા માર્ગનું યુદ્ધના ધોરણે સમારકામ

ભરૂચ જિલ્લામાં વરસાદના કારણે ક્ષતિગ્રસ્ત થયેલા માર્ગોનું સમારકામ યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવ્યું છે. જે અંતર્ગત અત્યાર સુધીમાં માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ) દ્વારા

New Update
MixCollage-13-Jul-2025-08-

ભરૂચ જિલ્લામાં વરસાદના કારણે ક્ષતિગ્રસ્ત થયેલા માર્ગોનું સમારકામ યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવ્યું છે.

જે અંતર્ગત અત્યાર સુધીમાં માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ) દ્વારા ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના કુલ ખરાબ ૧૫.૪૦૦ કિમીથી વધુ લંબાઈના માર્ગોની મરામત કામગીરી પૂર્ણ કરાઈ છે. જેમાં કુલ ૧૨ જેસીબી, ૨૧ ડમ્પર અને ૧૦ રોલરની મદદથી ૧૧૭ થી વધુ શ્રમયોગીઓ દ્વારા આ સમગ્ર કામગીરી કરવામાં આવી રહી છે. 
આ મરામત કામગીરીમાં માર્ગના ક્ષતિગ્રસ્ત ભાગોનું સમારકામ, પેચવર્કની કામગીરી આયોજનબદ્ધ રીતે હાથ ધરવામાં આવી રહી છે.ભરૂચ જિલ્લામાં પણ માર્ગ અને મકાન વિભાગ દ્વારા અંકલેશ્વરથી ઝઘડીયા અને રાજપીપલા-સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતો હાઈવે નં- ૬૪, રાજપારડી- નેત્રંગ, અસા - ઉમલ્લા -પાણેથા, રોડ ઉપર કુલ ૧૨ જેસીબી, ૨૧ ડમ્પર, ૧૦ રોલર, ગ્રેટર ૨ ટ્રેક્ટરો તેમજ અને લોડરની મદદથી થી ૧૧૭ વધુ શ્રમયોગીઓ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે.
Latest Stories