Connect Gujarat
ભરૂચ

ભરૂચ : હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે ખાદી-ગ્રામોદ્યોગ પ્રદર્શન સહ વેચાણ સ્ટોલનો પ્રારંભ કરાયો...

ભરૂચ શહેરમાં આવેલ હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે ખાદી અને ગ્રામોદ્યોગ કમીશન-અમદાવાદ અને સૌરાષ્ટ્ર ગ્રામ વિકાસ ટ્રસ્ટ-સિહોર દ્વારા પી.એ.ઈ.જી.પી. પ્રદર્શન સહ વેચાણ સ્ટોલનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું.

X

ભરૂચ શહેરમાં આવેલ હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે ખાદી અને ગ્રામોદ્યોગ કમીશન-અમદાવાદ અને સૌરાષ્ટ્ર ગ્રામ વિકાસ ટ્રસ્ટ-સિહોર દ્વારા પી.એ.ઈ.જી.પી. પ્રદર્શન સહ વેચાણ સ્ટોલનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું.

ખાદી સાથે સંકળાયેલ કારીગરોને રોજગારી મળી રહે તે માટે સરકાર દ્વારા અનેકો પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. આ સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ખાદીની વસ્તુઓની ખરીદી કરવા લોકોને અપીલ કરવામાં આવી છે. જે અંતર્ગત ખાદી અને ગ્રામોદ્યોગ કમીશન-અમદાવાદ અને સૌરાષ્ટ્ર ગ્રામ વિકાસ ટ્રસ્ટ-સિહોર દ્વારા પી.એ.ઈ.જી.પી. પ્રદર્શન સહ વેચાણ સ્ટોલ ભરૂચના હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે ગતરોજ સાંજે આમંત્રિત મહેમાનોના હસ્તે રીબીંગ કટિંગ અને દીપપ્રાગટ્ય કરી ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું.

આ ખાદી પ્રદર્શન અને વેચાણ કેન્દ્રનું આમંત્રિતોએ નિહાળ્યું હતું. આ પ્રસંગે પૂર્વ મંત્રી ખુમાનસિંહ વાંસિયા, ભરૂચ જીલ્લા ભાજપ પ્રમુખ મારૂતીસિંહ અટોદરીયા, લોક ગાયક અભેસિંહ રાઠોડ, જીલ્લા પંચાયતના બાંધકામ સમિતિના ચેરમેન ધર્મેશ મિસ્ત્રી તેમજ ખાદી અને ગ્રામોદ્યોગ કમીશન-અમદાવાદ અને સૌરાષ્ટ્ર ગ્રામ વિકાસ ટ્રસ્ટ-સિહોરના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

Next Story