ભરૂચ : પશ્ચિમ વિસ્તારના મચ્છી માર્કેટમાં સાફ-સફાઈનો અભાવ, પાલિકા સામે વેપારીઓમાં રોષ...

પશ્ચિમ વિસ્તારમાં આવેલ વર્ષો જૂની મચ્છી માર્કેટમાં મચ્છીના વેપાર સાથે સંકળાયેલી મહિલાઓ અને વેપારીઓની હાલત અત્યંત દયનીય થવા પામી છે.

New Update
ભરૂચ : પશ્ચિમ વિસ્તારના મચ્છી માર્કેટમાં સાફ-સફાઈનો અભાવ, પાલિકા સામે વેપારીઓમાં રોષ...

ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલ વર્ષો જૂની મચ્છી માર્કેટમાં મચ્છીના વેપાર સાથે સંકળાયેલી મહિલાઓ અને વેપારીઓની હાલત અત્યંત દયનીય થવા પામી છે.

ભરૂચનું સૌથી જૂનું કહેવાતું મચ્છી માર્કેટ જાણે નગરપાલિકાની સફાઈ અભિયાનની પોલ ખૂલતું હોય તેમ જણાય રહ્યું છે. ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં આવેલ વોર્ડ નંબર 10માં ચાર રસ્તા નજીક વર્ષોથી ભરૂચ શહેરના માછીમાર સમાજ દ્વારા મચ્છીનો વેપાર કરવામાં આવી રહ્યો છે. જોકે, પાલિકા હસ્તક શહેરમાં ડાંડીયા બજાર અને ચાર રસ્તા સ્થિત એમ 2 માર્કેટ આવેલા છે. પરંતુ ઘણા સમયથી નગરપાલિકા દ્વારા મચ્છી માર્કેટમાં સફાઈવેરા સહિતના વેરા ઉઘરાવવા છતાં પણ કોઈપણ જાતની તકેદારી ન રાખતા માર્કેટમાં વેપાર કરવા આવતી મહિલાઓ, વેપારીઓ અને ગ્રાહકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

જોકે, ભરૂચ નગરપાલિકા સામે આક્રોશ ઠાલવતી કેટલીક મહિલા વેપારીઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, ઘણા વખતથી આ માર્કેટમાં કોઈપણ જાતની સાફ-સફાઈ કરવામાં આવી નથી. કચરો ઉઠાવવા માટે પણ કોઈ આવતું નથી. સાથે સાથે 4થી 5 વખત રજૂઆત કરવા છતાં પણ નગરપાલિકા સત્તાધીશોનું પેટનું પાણી હાલતું નથી. આ બાબતે ઘણી વખત રજૂઆત કરવા છતાં પણ કોઈપણ પાલિકાનો કર્મચારી આ તરફ ફરકતું નથી. સમસ્યા ત્યાં સુધી હવે વકરી ગઈ છે કે, માર્કેટમાં કચરામાંથી ઇયળો પણ નીકળીને બાજુમાં આવેલા અનાજ કરિયાણાની દુકાનોમાં પ્રવેશે છે, ત્યારે આવનાર સમયમાં આ સમસ્યાનું વહેલી તકે નિરાકરણ નહીં આવે તો પાલિકા કચેરીમાં કચરો ઠાલવી વિરોધ નોંધાવવા અંગે વેપારીઓએ ચીમકી ઉચ્ચારી હતી.

Read the Next Article

ભરૂચ: આમોદ ન.પા.માં ભાજપના જ આગેવાન અને કોન્ટ્રાકટરે આત્મવિલોપની ચીમકી ઉચ્ચારી, બાકી પેમેન્ટ માટે ટકાવારી માંગતી હોવાના આક્ષેપ

ભરૂચને આમોદ નગરપાલિકામાં કોન્ટ્રાક્ટર એવા ભાજપના જ આગેવાને બાકી પેમેન્ટ બાબતે 15મી ઓગસ્ટના રોજ આત્મવિલોપન કરી લેવાની ચીમકી ઉચ્ચારતા ખળભળાટ મચી જવા પામ્યો છે

New Update
  • ભરૂચની આમોદ નગરપાલિકાનો વિવાદ

  • કોન્ટ્રાકટરે આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી

  • બાકી પેમેન્ટ ન ચૂકવાતા આક્ષેપ

  • શાસકો ટકાવારી માંગતા હોવાના આક્ષેપ

  • પ્રમુખે તમામ આક્ષેપ ફગાવ્યા

ભરૂચ ને આમોદ નગરપાલિકામાં કોન્ટ્રાક્ટર એવા ભાજપના જ આગેવાને બાકી પેમેન્ટ બાબતે 15મી ઓગસ્ટના રોજ આત્મવિલોપન કરી લેવાની ચીમકી ઉચ્ચારતા ખળભળાટ મચી જવા પામ્યો છે સાથે જ નગરપાલિકાના પ્રમુખથી મારી અધિકારીઓ બાકી પેમેન્ટની ચુકવણી માટે ટકાવારી માંગતા હોવાના પણ આક્ષેપ કરવામાં આવ્યા છે.
ભરૂચની આમોદ નગરપાલિકામાં કોન્ટ્રાક્ટર અને ભાજપના જ  રૂ.14.20 લાખનું પેમેન્ટ બાકી હોવા છતાં ચુકવણી ન થતા ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો વચ્ચે કોન્ટ્રાક્ટરે 15મી ઓગષ્ટના રોજ નગરપાલિકા પરિસરમાં આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારતા ખળભળાટ મચી જવા પામ્યો છે. ભાજપના આગેવાન મૈલેશ મોદી લાંબા સમયથી નગરપાલિકામાં  કોન્ટ્રાકટર તરીકે કામ કરે છે.ભાજપના ન આગેવાન અને કોન્ટ્રાક્ટર મૈલેશ મોદીએ જણાવ્યું હતું 31-10-2023 થી 31-10-2024 દરમિયાન કરેલા સ્વભંડોળના વિકાસ કામોના રૂ.13.10 લાખમાંથી રૂ.12.60 લાખ હજુ બાકી છે, સાથે બીજા સ્વભંડોળના કામની રકમ મેળવી કુલ રૂ.14.20 લાખનું પેમેન્ટ આઠ મહિનાથી અટક્યું છે.
તેઓએ આક્ષેપ કર્યો છે કે બાકી પેમેન્ટ માટે નગરપાલિકાના પ્રમુખ, પદાધિકારીઓ અને અધિકારીઓ ટકાવારી માગે છે.તેમના મુજબ ચીફ ઓફિસર 3%, નગરપાલિકા બોડી 7%, હિસાબી શાખા 3% અને એન્જિનિયર 1% કમિશન લે છે. આ રેશિયો તમામ કોન્ટ્રાક્ટરો માટે નક્કી છે અને નફાકારક કામોમાં સીધો હિસ્સો પણ માંગવામાં આવે છે. 
કોન્ટ્રાકટરે કરેલા આક્ષેપ અંગે આમોદ નગરપાલિકાના પ્રમુખ જલ્પાબેન પટેલે જણાવ્યું હતું કે પેમેન્ટ સ્વભંડોળના અભાવે અટક્યું છે કારણ કે નગરપાલિકાની આવક અને વેરા વસૂલાત ઓછી હોવાથી પગાર અને પી.એફ. ચુકવવામાં મુશ્કેલી પડે છે. સ્વભંડોળ પ્રાપ્ત થયા બાદ કોન્ટ્રાક્ટરને ચુકવણી કરી દેવાશે.