ભરૂચ: નબીપુર ખાતે જિલ્લા પોલીસ દ્વારા યોજાયો લોકદરબાર, SP ડો.લીના પાટીલ રહ્યા ઉપસ્થિત

ભરૂચ જિલ્લા પોલીસ વડા ડો.લીના પાટીલની અધ્યક્ષતામાં નબીપુર ખાતે લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું

New Update
ભરૂચ: નબીપુર ખાતે જિલ્લા પોલીસ દ્વારા યોજાયો લોકદરબાર, SP ડો.લીના પાટીલ રહ્યા ઉપસ્થિત

ભરૂચ જિલ્લા પોલીસ વડા ડો.લીના પાટીલની અધ્યક્ષતામાં નબીપુર ખાતે લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું

ભરૂચ જિલ્લાના નબીપુર પોલીસ મથકનું વાર્ષિક ઇન્સ્પેકશન સાથે સાથે લોક દરબાર કાર્યક્ર્મ ભરૂચ પોલીસ અધિક્ષક ડૉ . લીના પાટીલની અધ્યક્ષતામાં યોજાયો હતો. કાર્યક્રમના પ્રારંભે પોલીસ અધિક્ષક ડૉ.લીના પાટીલને પોલીસ સબ ઇન્સ્પેકટર તેમજ પોલીસ જવાનોએ સલામી આપી હતી . ત્યારબાદ પોલીસ અધિક્ષકે પોલીસ જવાનોનું ઇન્સ્પેકશન કર્યું હતું. ત્યારબાદ પોલીસ અધિક્ષક દ્વારા નબીપુર પોલીસ મથકના તાબા હેઠળ આવેલા ગામોના સરપંચોનો અભિપ્રાય લીધા હતા. લોક દરબારમાં એસ.પી ડો. લીના પાટીલે જણાવ્યું હતું કે જે કોઈ પણ પોતાનું મકાન ભાડે આપે તો પેહલા ભાડા કરાર કરાવી પોલીસ મથકે જાણ કરવી જો કોઈ આમ નહિ કરે તો પોલીસ કાયદેસરની કાર્યવાહી કરશે એમ જણાવ્યું હતું

Read the Next Article

અંકલેશ્વર: સુરવાડી ટી બ્રિજ પર વરસાદના પ્રથમ રાઉન્ડમાં જ સળિયા દેખાવા લાગ્યા, તંત્રએ થીંગડા માર્યા બાદ પણ પરિસ્થિતિ યથાવત

અંકલેશ્વરના સુરવાડી ફાટક પર 2021માં તત્કાલીન નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના હસ્તે લોકાર્પણ કરાયેલા બ્રિજના સળિયા દેખાવા લાગ્યા છે.

New Update
  • ટી બ્રિજ પર ખાડા પડવાની શરૂઆત

  • સુરવાડી ટી બ્રિજનો રસ્તો જર્જરીત હાલતમાં

  • બ્રિજ પર સળિયા દેખાવા લાગ્યા

  • વાહન ચાલકોમાં અકસ્માતની દહેશત

  • તંત્ર દ્વારા થીંગડા માર્યા બાદ પણ કોઈ સુધારો નહીં

અંકલેશ્વરના સુરવાડી ટી બ્રિજ પર વરસાદના પ્રથમ રાઉન્ડમાં જ સળિયા દેખાવા લાગતા વાહનચાલકો અકસ્માતની ભીતિ સેવી રહ્યા છે,ત્યારે તંત્ર દ્વારા બ્રિજના માર્ગ પર થીંગડા મારવાની કામગીરી કરવામાં આવી હતી,પરંતુ પુનઃ ખાડામાં સળિયા દેખાવા લાગ્યા હતા.

અંકલેશ્વરના સુરવાડી ફાટક પર 2021માં તત્કાલીન નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના હસ્તે લોકાર્પણ કરાયેલા બ્રિજના સળિયા દેખાવા લાગ્યા છે. અંદાજે 104.80 કરોડના ખર્ચે નિર્માણ પામેલા બ્રિજ પર એક વર્ષમાં જ ખાડા દેખાવા માંડ્યા હતા.જેના પગલે તંત્ર દ્વારા વારંવાર ડામરના થીંગડા મારવા પડી રહ્યા છે.4 મહિના પૂર્વે પણ માર્ચ માસમાં સળિયા દેખાવાના  અહેવાલ પ્રકાશિત થતા જ ત્યાં સિમેન્ટના થીંગડા મારી દેવામાં આવ્યા હતા.જે ચોમાસાના પ્રથમ રાઉન્ડમાં પુનઃ નીકળી જતા હવે તો પહેલા કરતા વધુ સળિયા બહાર આવી ગયા છે,અને આખે આખી સળિયાની જાળી બહાર આવી ગઈ છે.ત્યારે તંત્ર દ્વારા ફરી એકવાર સિમેન્ટનું લીપણ કરીને થીંગડા મારવાની કામગીરી કરવામાં આવી હતી.જોકે આ સમારકામ વરસાદના જોર સામે વધુ ટક્યું નહોતું,અને પુનઃ બ્રિજના માર્ગ પર સળિયા દેખાવા લાગતા વાહનચાલકો અકસ્માતનો ભય વ્યક્ત કરી રહ્યા છે.