ભરૂચ: નબીપુર ખાતે જિલ્લા પોલીસ દ્વારા યોજાયો લોકદરબાર, SP ડો.લીના પાટીલ રહ્યા ઉપસ્થિત
ભરૂચ જિલ્લા પોલીસ વડા ડો.લીના પાટીલની અધ્યક્ષતામાં નબીપુર ખાતે લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું
BY Connect Gujarat Desk2 March 2023 9:18 AM GMT
X
Connect Gujarat Desk2 March 2023 9:18 AM GMT
ભરૂચ જિલ્લા પોલીસ વડા ડો.લીના પાટીલની અધ્યક્ષતામાં નબીપુર ખાતે લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું
ભરૂચ જિલ્લાના નબીપુર પોલીસ મથકનું વાર્ષિક ઇન્સ્પેકશન સાથે સાથે લોક દરબાર કાર્યક્ર્મ ભરૂચ પોલીસ અધિક્ષક ડૉ . લીના પાટીલની અધ્યક્ષતામાં યોજાયો હતો. કાર્યક્રમના પ્રારંભે પોલીસ અધિક્ષક ડૉ.લીના પાટીલને પોલીસ સબ ઇન્સ્પેકટર તેમજ પોલીસ જવાનોએ સલામી આપી હતી . ત્યારબાદ પોલીસ અધિક્ષકે પોલીસ જવાનોનું ઇન્સ્પેકશન કર્યું હતું. ત્યારબાદ પોલીસ અધિક્ષક દ્વારા નબીપુર પોલીસ મથકના તાબા હેઠળ આવેલા ગામોના સરપંચોનો અભિપ્રાય લીધા હતા. લોક દરબારમાં એસ.પી ડો. લીના પાટીલે જણાવ્યું હતું કે જે કોઈ પણ પોતાનું મકાન ભાડે આપે તો પેહલા ભાડા કરાર કરાવી પોલીસ મથકે જાણ કરવી જો કોઈ આમ નહિ કરે તો પોલીસ કાયદેસરની કાર્યવાહી કરશે એમ જણાવ્યું હતું
Next Story