ભરૂચ: SP ડો.લીના પાટીલની અધ્યક્ષતામાં લોક દરબાર યોજાયો, ટ્રાફિક અને ચોરીના પ્રશ્ને કરવામાં આવી રજૂઆત

શહેરમાં લોકોની સમસ્યાઓ જાણવા અને તેના નિરાકરણ માટે ભરૂચ જિલ્લા પોલીસ વડા ડો.લીના પાટીલ દ્વારા લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું

New Update
ભરૂચ: SP ડો.લીના પાટીલની અધ્યક્ષતામાં લોક દરબાર યોજાયો, ટ્રાફિક અને ચોરીના પ્રશ્ને કરવામાં આવી રજૂઆત

ભરૂચ શહેરમાં લોકોની સમસ્યાઓ જાણવા અને તેના નિરાકરણ માટે ભરૂચ જિલ્લા પોલીસ વડા ડો.લીના પાટીલ દ્વારા લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું

ભરૂચ શહેરમાં લોકોની સમસ્યાઓ જાણવા અને તેના નિરાકરણ માટે શહેરના આગેવાનો સાથે ખાસ વાતચિત માટે એ ડિવિઝન પોલીસ ખાતે ભરૂચ એસપી ડો. લીના પાટીલની અધ્યક્ષતામાં લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં એ ડિવિઝન અને બી ડિવિઝન પોલીસ સ્ટેશનના વિસ્તારને આવરી લેવામાં આવ્યો હતો. લોકદરબારમાં સ્થાનિકોએ સૌથી મોટી સમસ્યા તરીકે ટ્રાફિકનો પ્રશ્ન ઉઠાવ્યો હતો. જેના પગલે એસપી પાટીલે જણાવ્યું હતું કે, પાલિકાની ટીમને સાથે રાખી શહેરના મુખ્ય રસ્તાઓ પરના દબાણો દુર કરવા સાથે આડેધડ પાર્કિંગને લઇને કાર્યવાહી કરવાની બાંહેધરી આપી હતી.ઉપરાંત તમામ પીએસઆઇને સાંજના 5 વાગ્યેથી મુખ્ય ટ્રાફિક પોઇન્ટ પર તૈનાત રહી સમસ્યાનું નિરાકરણ લાવવા સુચના આપવામાં આવી હતી. શહેરમાં ચોરીની ઘટનાઓને લઇને પુછાયેલાં પ્રશ્નમાં તેમણે જણાવ્યું હતું કે, રાત્રીના સમયે પોલીસની નાઇટ પેટ્રોલીંગ સતત ચાલુ હોય છે. તેમ છતાંય જે લોકો તેમના મકાનોને તાળું મારી બહાર ગામ જતાં હોય છે તેઓએ પોલીસને તે અંગેની જાણ કરવી જરૂરી છે. તેમ કરવાથી પોલીસ આવા મકાનો પર ખાસ ધ્યાન રાખશે. રૂંગટા સ્કૂલ સામે વિદ્યાર્થીઓને અકસ્માત ન થાય તે માટે ડીવાઇડરની માગ કરાય છે.

Read the Next Article

ભરૂચ: ક્રાઇમ બ્રાન્ચે નબીપુર નજીકથી કેમિકલ ચોરીનું મોટું કૌભાંડ ઝડપી પાડ્યું, રૂ.39 લાખના મુદ્દામાલ સાથે 3 આરોપીની ધરપકડ

ભરૂચ ક્રાઇમ બ્રાન્ચના પી.એસ.આઈ. ડી.એ.તુવરની ટીમ નેહા.૪૮ પર નાઈટ પેટ્રોલીંગમાં હતી દરમ્યાન બાતમી મળી હતી કે નેશનલ હાઇવે ૪૮ ઉપર ભરૂચથી વડોદરા જતા ટ્રેક

New Update
css bh
ભરૂચ ક્રાઇમ બ્રાન્ચના પી.એસ.આઈ. ડી.એ.તુવરની ટીમ નેહા.૪૮ પર નાઈટ પેટ્રોલીંગમાં હતી દરમ્યાન બાતમી મળી હતી કે નેશનલ હાઇવે ૪૮ ઉપર ભરૂચથી વડોદરા જતા ટ્રેક ઉપર રીલીફ હોટલ નજીક ટેન્કર નંબર GJ 12 AZ 1612 માંથી ત્રણ ઇસમો ગેરકાયદેસર રીતે પ્લાસ્ટિકના કારબામાં કંઇક પ્રવાહી કાઢી પીકઅપ ડાલામાં મુકે છે જે આધારે પોલીસે દરોડા પાડતા 3 આરોપીઓ કેમિકલની ચોરી કરતા રંગેહાથ ઝડપાય ગયા હતા. આરોપીઓ હજીરા અદાણી પોર્ટમાંથી સ્ટાયરીન (SM) કેમીકલ ભરી વડોદરા નંદેસરી જી.આઈ.ડી.સી.માં ખાલી કરવાં જતું હતું અને ડ્રાઈવર દ્વારા નંદેસરી પહોંચે તે પહેલા કેમીકલ માફીયાઓનો સંપર્ક કરી ટેન્કરનું સીલ તોડી, કેમિકલ ચોરી પ્લાસ્ટીકના કારબાઓ ભરી એક કારબો ૧૫૦૦/- માં વહેંચતા હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે  તુલસારામ જસારામ જાટ ઉ.વ.૪૫ રહેવાસી, ધને કી ધાની ગામ તા & થાના સીન્ધરી જિ.બલોતરા (રાજસ્થાન) (ટેન્કર ડ્રાઈવર), સત્તાર ઉર્ફે સમીર મલંગશા દિવાન ઉ.વ.૩૪ હાલ રહે.પાલેજ સાલેહ પાર્ક પ્લોટ નં.૧૨૨/૧૨૩ મહેરબાન ગુલામભાઇના મકાનમાં ભાડેથી તા.જિ.ભરૂચ મૂળ રહેવાસી.ઘર નં.૦૭ રાજાવાડી સૈયદપુરા સુરત શહેર, વસીમ સીરાજ દીવાન ઉ.વ.૧૯ રહેવાસી. માલપુર ગામ પટેલ ફળીયુ તા.શીનોર જિ.વડોદરાની ધરપકડ કરી રૂ.39 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.