ભરૂચ : માલધારી સમાજ દ્વારા અતિ પૌરાણિક ખોડીયાર માતાજીના મંદિરે લીલુડો માંડવો યોજાયો...

માલધારી સમાજ દ્વારા અતિપૌરાણિક ખોડીયાર માતાજીના મંદિરે લીલુડો માંડવો સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.

New Update
ભરૂચ : માલધારી સમાજ દ્વારા અતિ પૌરાણિક ખોડીયાર માતાજીના મંદિરે લીલુડો માંડવો યોજાયો...

સમસ્ત ભરૂચ જિલ્લા માલધારી સમાજ દ્વારા અતિપૌરાણિક ખોડીયાર માતાજીના મંદિરે લીલુડો માંડવો સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.

સમસ્ત ભરૂચ જિલ્લા માલધારી સમાજ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ 1 હજાર વર્ષ જૂના અતિપૌરાણિક ટાવર નજીક આવેલ ખોડીયાર માતાજીના મંદિરે લીલુડો માંડવો, જાગરણ સહિત ભજન કીર્તન અને મહાપ્રસાદિનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં 24 કલાકના લીલુના માંડવામાં જીલ્લાભરમાંથી માલધારી સમાજના આગેવાનો અને લોકોએ ઉપસ્થિત રહી માતાજીના દર્શન કરી કરી ધન્યતા અનુભવી હતી. આ કાર્યક્રમમાં ભરૂચ જિલ્લાના ગામે ગામથી માલધારી સમાજના ભાઈ-બહેનો ઉપસ્થિત રહી માતાજીના દર્શન કરી મહાપ્રસાદીનો લાભ લીધો હતો.

Latest Stories