ભરૂચ: ભારે પવન ફૂંકાતા કેરી અને ચીકુના પાકનો દાટ વળ્યો, ભૂમિપુત્રોને મોટો આર્થિક ફટકો

દક્ષિણ ગુજરાત સહિત ભરૂચ અને અંકલેશ્વરમાં ગતરોજ ફૂંકાયેલા ભારે પવનના કારણે કેરી અને ચીકુના પાકને વ્યાપક નુકશાન પહોંચ્યું છે

New Update
ભરૂચ: ભારે પવન ફૂંકાતા કેરી અને ચીકુના પાકનો દાટ વળ્યો, ભૂમિપુત્રોને મોટો આર્થિક ફટકો

દક્ષિણ ગુજરાત સહિત ભરૂચ અને અંકલેશ્વરમાં ગતરોજ ફૂંકાયેલા ભારે પવનના કારણે કેરી અને ચીકુના પાકને વ્યાપક નુકશાન પહોંચ્યું છે જેના કારણે ખેડૂતોએ આર્થિક ફટકો સહન કરવાનો વારો આવ્યો છે

Advertisment

ગુજરાત સહિત દક્ષિણ ગુજરાતમાં માવઠાના કારણે કેરીના પાકને ભારે નુકશાન થયું છે.પવન સાથે વરસાદ વરસતા આંબા પરથી મોરવા તૂટી પડ્યા છે.આંબા પર ખીલેલા ફૂલ અને ખાખડી તૂટી પડતા મબલખ પાક ની આશા ઠગારી નીવડી છે. જેના કારણે કેરી મોંઘી થવાના અણસાર છે. આ પ્રકાર ની સ્થિતિ સર્જાતા ખેડૂતોએ સરકાર સર્વે કરી યોગ્ય વળતર આપે તેવી માંગ કરી છે.ભરૂચની વાત કરીએ તો ભરૂચમાં સોમવારના રોજ સાંજના સમયે ભારે પવન ફૂંકાયો હતો જેના કારણે આંબા પરનો મોર ખરી પડ્યો હતો.મોર અને ખાખડી ખરી પડતા કેરીનાં પાકને વ્યાપક નુકશાન પહોંચ્યું છે તો આ તરફ ચીકુના પાકને પણ નુકશાન પહોંચ્યું છે. ભારે પવનના કારણે ચીકુ ખરી પડતાં પાકનો દાટ વળી ગયો હતો જેના કારણે ચીકુ તેમજ કેરી પકવતા ખેડૂતોને વ્યાપક નુકશાન પહોંચ્યું છે અને આર્થિક ફટકો સહન કરવાનો વારો આવ્યો છે

Advertisment
Read the Next Article

ભરૂચ : ફરી એકવાર પાવન સલિલા માઁ નર્મદા નદીમાં કોઈ બે’જવાબદાર ઉદ્યોગ દ્વારા મુક્ત કરાયું પ્રદુષિત પાણી..!

ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા નદી પણ પ્રદૂષણના કહેરથી બચી શકી નથી. ભરૂચમાં ફરી એકવાર પાવન સલિલા માઁ નર્મદા નદીના પાણીને પ્રદૂષિત કરવાની ઘટના સામે આવી

New Update
  • ફરી એકવાર પાવન સલિલા માઁ નર્મદા નદીમાં ફેલાયું પ્રદૂષણ

  • નર્મદા નદીના પાણીને પ્રદૂષિત કરવાની ઘટના સામે આવી

  • અગાઉ પ્રદુષિત પાણીથી થયા હતા ગાય અને જળચરોના મોત

  • આ મામલે GPCB દ્વારા યોગ્ય તપાસની સ્થાનિકો દ્વારા માંગ

  • પ્રદુષિત પાણી છે કે કેમ તે અંગે કનેક્ટ ગુજરાત પુષ્ટિ કરતું નથી

Advertisment

ભરૂચમાં ફરી એકવાર પાવન સલિલા માઁ નર્મદા નદીના પાણીને પ્રદૂષિત કરવાની ઘટના સામે આવી છેત્યારે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા આ મામલે યોગ્ય તપાસ કરવામાં આવે તેવી લોકોની માંગ ઉઠી છે.

પ્રાકૃતિક ધરોહર કહેવાતી નદીઓ જે રીતે પ્રદૂષિત થઈ રહી છેતે ચિંતાનો વિષય બન્યો છે. એક તરફ પીવાના પાણીની સમસ્યાનો સામનો અનેક વિસ્તારો કરી રહ્યા છેત્યારે ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા નદી પણ પ્રદૂષણના કહેરથી બચી શકી નથી. ભરૂચમાં ફરી એકવાર પાવન સલિલા માઁ નર્મદા નદીના પાણીને પ્રદૂષિત કરવાની ઘટના સામે આવી છે. અગાઉ પણ નર્મદા નદીમાં ભળી ગયેલ કેમિકલયુક્ત પાણી પીવાથી ગાયનું મોત થયું હોવાનો પશુપાલક દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો.

આ તરફકેમિકલયુક્ત પાણીથી અગાઉ પણ આમલાખાડીમાં હજારો જળચરના મૃત્યુ થયા હતાત્યારે નર્મદા નદીમાં પ્રદુષણ ફેલાવવા સાથોસાથ નદીના જળચર જીવોને પણ તેની અસર થતી હોવાના આક્ષેપ સાથે સ્થાનિકોમાં રોષ ફેલાયો છે. ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા આ મામલે યોગ્ય તપાસ કરી કાર્યવાહી કરવામાં આવે તેવી લોકોની માંગ ઉઠી છે. જોકેકોઈ બેજવાબદાર ઉદ્યોગ દ્વારા નર્મદા નદીમાં છોડવામાં આવેલ કેમિકલયુક્ત પાણી પ્રદુષિત છે કેકેમ... તેની પુષ્ટી કનેક્ટ ગુજરાત ન્યૂઝ ચેનલ કરતું નથી. પરંતુ નર્મદા નદીને પ્રદૂષિત કરનાર તત્વો સામે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવે તેવી કાસિયા ગામના સ્થાનિકોએ માંગ કરી છે.

Advertisment
Latest Stories