ભરૂચ: નેશનલ હાઇવે પરથી પસાર થતાં મહાકાય ટેન્કરમાં ભિષણ આગ, અફરાતફરીનો માહોલ
ભરૂચ નજીક નેશનલ હાઇવે પર ટોલ પ્લાઝા નજીક મહાકાય તેંકારમાં આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી
BY Connect Gujarat Desk10 May 2023 6:13 AM GMT
X
Connect Gujarat Desk10 May 2023 6:13 AM GMT
ભરૂચ નજીક નેશનલ હાઇવે પર ટોલ પ્લાઝા નજીક મહાકાય તેંકારમાં આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી
ભરૂચના ઝાડેશ્વરથી અંકલેશ્વરને જોડતા નેશનલ હાઇવે 48 ઉપર આજે સવારના સુમારે કન્ટેનરમાં એકાએક આગ ભભુકી ઉઠતા ભારે નાશભાગ મચી જવા પામી હતી જોત જોતામાં ધુમાડાના ગોટેગોટા નજરે પડતા ઉપસ્થિત લોકોએ મામલે અંકલેશ્વર ફાયર વિભાગમાં જાણ કરી હતી જે બાદ ફાયરના લશ્કરોએ ઘટના સ્થળે પહોંચી જઈ આગની ચપેટમાં રહેલા કન્ટેનર ઉપર પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી.અચાનક કન્ટેનરમાં લાગેલ આગના પગલે એક સમયે હાઇવે ઉપર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.જોકે ગણતરીના સમયમાં આગ કાબુમાં આવી જતા માર્ગને ખુલ્લો મુકવામાં આવ્યો હતો.આગની ઘટનામાં સદનસીબે કોઈ જાનહાની ન થતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો
Next Story