ભરૂચ: ચેનલ નર્મદાના રજત જયંતિ વર્ષની ઉજવણીના ભાગ રૂપે મીટ વિથ સીનિયર સિટીઝન્સ કાર્યક્રમ યોજાયો

ભરૂચની ચેનલ નર્મદાનાં રજત જયંતિ મહોત્સવની ઉજવણી અંતર્ગત મીટ વિથ સીનિયર સિટીઝન્સ કાર્યક્રમ યોજાયો હતો

New Update
ભરૂચ: ચેનલ નર્મદાના રજત જયંતિ વર્ષની ઉજવણીના ભાગ રૂપે મીટ વિથ સીનિયર સિટીઝન્સ કાર્યક્રમ યોજાયો

ભરૂચની ચેનલ નર્મદાનાં રજત જયંતિ મહોત્સવની ઉજવણી અંતર્ગત મીટ વિથ સીનિયર સિટીઝન્સ કાર્યક્રમ યોજાયો હતો

ભરૂચ શહેર અને જિલ્લામાં વિઝ્યુઅલ મીડિયામાં 20 ઓગસ્ટ,1998માં પદાર્પણ કર્યાના 24 વર્ષ પૂર્ણ થતાં 20 ઓગસ્ટ 2022 થી રજત જયંતિ વર્ષની ઉજવણીનો ચેનલ નર્મદાના સંચાલકોએ નીર્ધાર કર્યો.રજત જ્યંતીના 25 કાર્યક્રમો પૈકી 15મો કાર્યક્રમ 11મી એપ્રિલ 2023 ને મંગળવારે રૂંગટા સ્કૂલના સંસ્કાર ભારતી હોલમાં "મિટ વિથ સિનિયર સિટીઝન્સ" યોજ્યો, જેમાં ભરૂચ સિનિયર સિટીઝન્સ ગ્રુપ ના 125 થી વધુ આદરણીય વડીલોએ ઉત્સાહ અને ઉમંગ સાથે ભાગ લીધો.આ કાર્યક્રમમાં વયસ્ક, અત્યંત અનુભવી એવા જુદા જુદા ફિલ્ડના મહાનુભાવો,વડીલોને એમના બચપણને યાદ કરાવવાનો સ્તુત્ય પ્રયાસ ઋષિ દવે અને જીગર દવે એ માનવીય કુકીઓ વડે 'સાપ સીડી'ની રમત રમાડી ને સહુને બાળપણની યાદો તાજી કરાવી.પ્રિન્ટેડ મોટી સાપ સીડીના બોર્ડ પર સશક્ત અને ઉત્સાહી 14 જેટલા વડીલો ને ' સેલ્ફ કુકીઓ' બનાવી પાસાઓ સાથે રમાડી-ચલાવીને બે વિજેતાઓ નક્કી કરવામાં આવ્યા.આ રમત સ્પર્ધામાં પ્રથમ વિજેતા તરીકે તરુણભાઈ ઠાકોર બોર્ડ પર 100 નંબર પર પોહચતા તેમને પ્રથમ ઇનામ ઋષિ દવે દ્વારા સ્નેક્સ એન્ડ લેડર બોર્ડ આપવામાં આવ્યું.જ્યારે દ્વિતિય વિજેતા તરીકે જ્યોતિબેન પરીખને નરેશ ઠક્કર દ્વારા ફોટો ફ્રેમ આપવામાં આવી.

Read the Next Article

ભરૂચ: અષાઢી બીજે 6 સ્થળોએથી નિકળશે ભગવાન જગન્નાથની રથયાત્રા, પોલીસ ડ્રોન કેમેરાથી રાખશે નજર

અષાઢી બીજ નિમિત્તે ભરૂચ જિલ્લામાં છથી વધુ રથયાત્રા નિકળશે જેને ધ્યાને લઈ પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આવતીકાલે અષાઢી બીજના

New Update

ભરૂચમાં આવતીકાલે કરવામાં આવ્યું આયોજન

6 સ્થળોએથી રથયાત્રાનું આયોજન

પોલીસનો રહેશે ચુસ્ત બંદોબસ્ત

ડ્રોન કેમેરાથી રાખવામાં આવશે નજર

700થી વધુ પોલીસકર્મીઓ રહેશે તૈનાત

અષાઢી બીજ નિમિત્તે ભરૂચ જિલ્લામાં છથી વધુ રથયાત્રા નિકળશે જેને ધ્યાને લઈ પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

આવતીકાલે અષાઢી બીજના પાવન દિવસે ભરૂચ જિલ્લાભરમાં વિવિધ સ્થળોએ કુલ 6 રથયાત્રાઓ યોજાવાની છે. ભરૂચ શહેરમાં ત્રણ, અંકલેશ્વરમાં બે તથા ઝઘડિયામાં એક રથયાત્રા યોજાવાની છે. ભક્તિભાવ અને શાંતિપૂર્ણ માહોલ જળવાઈ રહે તે હેતુસર જિલ્લા પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.ભરૂચ શહેરની અતિ પૌરાણિક ગણાતી દત્ત મંદિરથી ભોઈવાડ સુધીની રથયાત્રાના માર્ગ પર આજે પોલીસ વિભાગ દ્વારા ફ્લેગ માર્ચ યોજાઈ હતી. આ ફ્લેગ માર્ચ ફુરજા ચોકથી શરૂ થઈ લાલ બજાર, ચકલા, હાથીખાના બજાર, અને સોનેરીમહલ સુધી યોજાઈ હતી. સમગ્ર ફ્લેગ માર્ચ ડીવાયએસપી  સી.કે. પટેલના માર્ગદર્શન હેઠળ સંપન્ન થઈ હતી.રથયાત્રા દરમ્યાન પોલીસ બંદોબસ્તમાં 3 ડીવાયએસપી, 8 પીઆઈ, 23 પીએસઆઈ, 456 હેડ કોન્સ્ટેબલ તથા પોલીસ જવાનો સાથે 266 હોમગાર્ડનો સમાવેશ થાય છે. ઉપરાંત ડ્રોન કેમેરાની મદદથી સમગ્ર યાત્રામાર્ગ ઉપર નજર રાખવામાં આવશે.