ભરૂચ : જંબુસરના મંગણાદ ગામે શ્વાને ભર્યા 4થી વધુ બાળકોને બચકાં, ઇજાગ્રસ્ત બાળકો સારવાર હેઠળ...
જંબુસર તાલુકાના મંગણાદ ગામમાં શ્વાનનો આતંક સામે આવ્યો છે. જેમાં 4થી વધુ બાળકોને ઇજા પહોચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
BY Connect Gujarat Desk13 Jan 2023 11:42 AM GMT
X
Connect Gujarat Desk13 Jan 2023 11:42 AM GMT
ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના મંગણાદ ગામમાં શ્વાનનો આતંક સામે આવ્યો છે. જેમાં 4થી વધુ બાળકોને ઇજા પહોચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
મળતી માહિતી અનુસાર, ભરૂચના જંબુસર તાલુકાના મંગણાદ ગામમાં આવેલ સુપર સોલ્ટ કંપનીના વસાહત વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસોથી શ્વાન આતંક મચાવી રહ્યો છે. જેમાં એકાએક શ્રમિકોની વસાહતમાં શ્વાને ધસી આવી 4થી વધુ બાળકોને બચકાં ભર્યા હતા. જેમાં ચારેય ઇજાગ્રસ્ત બાળકોને સારવાર અર્થે જંબુસર રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જોકે, સ્થાનિકોએ કોન્ટ્રાક્ટર તેમજ જીવદયા સંસ્થા અને ગ્રામ પંચાયત કચેરીમાં કરી બનાવના આંગે જાણ કરી હતી, ત્યારે હાલ તો આતંક મચાવનાર શ્વાનને પકડવાની કવાયત હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
Next Story