ચૂંટણી વિશ્લેષણ ડીબેટમાં ભરૂચના પત્રકાર દ્વારા કરાયેલ ટિપ્પણીથી આદિવાસી સમાજની લાગણી દુભાઈ હોવાના આક્ષેપ સાથે સાંસદ મનસુખ વસાવાએ સમર્થકો સાથે ક્લેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર આપી કાર્યવાહીની માંગ કરી હતી. તો પત્રકાર દ્વારા પણ આદિવાસી સમાજને ખોટી રીતે ગુમરાહ કરવાનો પ્રયાસ અને તેઓની ફરતી કરાયેલ ક્લિપ અંગે કાર્યવાહી કરવાની ચીમકી ઉચ્ચારી હતી.
હાલમાં ચૂંટણી સંપન્ન થયા બાદ પરિણામ અંગેની અટકળોનો દૌર ચાલી રહ્યો છે. જેમાં વિવિધ ચેનલો પર આ મુદ્દે પત્રકારો તેઓના મંતવ્ય રજૂ કરી રહ્યા છે. આવા જ એક કાર્યક્રમ દરમ્યાન ભરૂચના વરિષ્ઠ પત્રકાર નરેશ ઠક્કરે આદિવાસી વિસ્તારમાં દારૂની પ્રથા અંગે ટિપ્પણી કરી હતી. જેને લઇને સાંસદ મનસુખ વસાવા છેલ્લા 2 દિવસથી સોશિયલ મીડિયા પર નારાજગી દર્શાવી રહ્યા હતા. જે બાદ આજરોજ આ મુદ્દે તેઓ દેડિયાપાડાના પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવા તેમજ વાલીયાના સેતુર વસાવા સહિત અન્ય આદિવાસી ભાઈ-બહેનો સાથે કલેકટર કચેરી ખાતે જિલ્લા કલેકટરને આવેદન પત્ર પાઠવી આ મામલે કાર્યવાહી કરવાની માંગ કરી હતી.
તો બીજી તરફ, આ મુદ્દે વરિષ્ઠ પત્રકાર નરેશ ઠક્કરે ચૂંટણી વિશ્લેષણ ડીબેટ અંગે તેઓની ક્લિપ એડિટ કરી મુકાઈ હોવાનો આક્ષેપ કરી આ મુદ્દે કાર્યવાહી કરવાની ચીમકી ઉચ્ચારી હતી. આ સાથે જ પત્રકાર નરેશ ઠક્કરે આદિવાસી સમાજને ઉશ્કેરવાનો પ્રયાસ કરાયો હોવાનો આક્ષેપ કરી આજે સાંસદ મનસુખ વસાવાને આદિવાસી સમાજ યાદ આવ્યો છે, તેમ કહી તેમના ચૂંટણી પ્રચાર દરમ્યાન ભરૂચના વોર્ડ નંબર 8માં પછાત સમાજના લોકો માટે અલગ જમણવાર કરવાની ફરિયાદ ઊઠી હતી, ત્યારે સાંસદ મનસુખ વસાવા કેમ કશું બોલ્યા ન હતા તેવો પ્રશ્ન ઉઠાવ્યો હતો.
ભરૂચ : ચૂંટણી ડીબેટમાં આદિવાસી સમાજ અંગેની ટિપ્પણીથી સાંસદ નારાજ, તો પત્રકારે પણ ફરતી થયેલી ક્લિપ અંગે કાર્યવાહીની ચીમકી ઉચ્ચારી
હાલમાં ચૂંટણી સંપન્ન થયા બાદ પરિણામ અંગેની અટકળોનો દૌર ચાલી રહ્યો છે. જેમાં વિવિધ ચેનલો પર આ મુદ્દે પત્રકારો તેઓના મંતવ્ય રજૂ કરી રહ્યા છે.
ચૂંટણી વિશ્લેષણ ડીબેટમાં ભરૂચના પત્રકાર દ્વારા કરાયેલ ટિપ્પણીથી આદિવાસી સમાજની લાગણી દુભાઈ હોવાના આક્ષેપ સાથે સાંસદ મનસુખ વસાવાએ સમર્થકો સાથે ક્લેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર આપી કાર્યવાહીની માંગ કરી હતી. તો પત્રકાર દ્વારા પણ આદિવાસી સમાજને ખોટી રીતે ગુમરાહ કરવાનો પ્રયાસ અને તેઓની ફરતી કરાયેલ ક્લિપ અંગે કાર્યવાહી કરવાની ચીમકી ઉચ્ચારી હતી.
હાલમાં ચૂંટણી સંપન્ન થયા બાદ પરિણામ અંગેની અટકળોનો દૌર ચાલી રહ્યો છે. જેમાં વિવિધ ચેનલો પર આ મુદ્દે પત્રકારો તેઓના મંતવ્ય રજૂ કરી રહ્યા છે. આવા જ એક કાર્યક્રમ દરમ્યાન ભરૂચના વરિષ્ઠ પત્રકાર નરેશ ઠક્કરે આદિવાસી વિસ્તારમાં દારૂની પ્રથા અંગે ટિપ્પણી કરી હતી. જેને લઇને સાંસદ મનસુખ વસાવા છેલ્લા 2 દિવસથી સોશિયલ મીડિયા પર નારાજગી દર્શાવી રહ્યા હતા. જે બાદ આજરોજ આ મુદ્દે તેઓ દેડિયાપાડાના પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવા તેમજ વાલીયાના સેતુર વસાવા સહિત અન્ય આદિવાસી ભાઈ-બહેનો સાથે કલેકટર કચેરી ખાતે જિલ્લા કલેકટરને આવેદન પત્ર પાઠવી આ મામલે કાર્યવાહી કરવાની માંગ કરી હતી.
તો બીજી તરફ, આ મુદ્દે વરિષ્ઠ પત્રકાર નરેશ ઠક્કરે ચૂંટણી વિશ્લેષણ ડીબેટ અંગે તેઓની ક્લિપ એડિટ કરી મુકાઈ હોવાનો આક્ષેપ કરી આ મુદ્દે કાર્યવાહી કરવાની ચીમકી ઉચ્ચારી હતી. આ સાથે જ પત્રકાર નરેશ ઠક્કરે આદિવાસી સમાજને ઉશ્કેરવાનો પ્રયાસ કરાયો હોવાનો આક્ષેપ કરી આજે સાંસદ મનસુખ વસાવાને આદિવાસી સમાજ યાદ આવ્યો છે, તેમ કહી તેમના ચૂંટણી પ્રચાર દરમ્યાન ભરૂચના વોર્ડ નંબર 8માં પછાત સમાજના લોકો માટે અલગ જમણવાર કરવાની ફરિયાદ ઊઠી હતી, ત્યારે સાંસદ મનસુખ વસાવા કેમ કશું બોલ્યા ન હતા તેવો પ્રશ્ન ઉઠાવ્યો હતો.
અંકલેશ્વર: અસ્થિર મગજના ઇસમે વૃદ્ધ પર ચપ્પુના ઘા ઝીંકી ગામ માથે લીધું, અંતે પાલિકા અને પોલીસની ટીમે પકડ્યો
અંકલેશ્વરમાં અસ્થિર મગજના ઈસમે ગામ માથે લીધું હતું.ચપ્પુ લઇ એક વૃદ્ધ પર 3 થી 4 ઘા ઝીંકી દીધા હતા.લોકો પકડવા દોડ્યા તો ડાંગ અને છરી લઇ ભરૂચ | ગુજરાત | Featured | સમાચાર
અંકલેશ્વર- હાંસોટ પંથકમાં સમી સાંજે વરસાદી માહોલ, વાતાવરણમાં ઠંડક
હાંસોટ પંથકમાં સમી સાંજના સમયે કાળા ડીબાગ વાદળોની ફૌજ સાથે મેઘરાજાની શાહી સવારી આવી પહોંચી હતી અને પવન સાથે વરસાદ વરસ્યો ભરૂચ | ગુજરાત | સમાચાર |
અંકલેશ્વર: GIDCની ETL ચોકડી નજીક ટેન્કરની ટકકરે સાયકલ સવારનું મોત,પોલીસે તપાસ શરૂ કરી
અકસ્માતમાં ગંભીર ઇજાઓને પગલે આધેડને તાત્કાલિક સારવાર અર્થે ભરૂચની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.જ્યાં તેનું સારવાર દરમિયાન કરુણ મોત નીપજ્યું ગુજરાત | સમાચાર |
ભરૂચ: હાંસોટ સામુહિક આરોગ્ય કેન્દ્રને 10 કી.મી.દૂર કુડાદરા ગામે ખસેડાયુ, જર્જરીત મકાનનું કરાશે નવીનીકરણ
હાંસોટ ખાતે આવેલ આરોગ્ય કેન્દ્રમાં અનેક ગામોમાં દર્દીઓ સારવાર લેવા આવતા હોય છે પરંતુ આરોગ્ય કેન્દ્રને કુડાદરા ગામે ખસેડાતા લોકોએ મુશ્કેલીનો સામનો કરવો પડશે ભરૂચ | ગુજરાત
ભરૂચ: ભોલાવમાં ચાલી રહેલ ગટરની કામગીરી સામે સ્થાનિકોનો વિરોધ, પાણી ભરાવાની સમસ્યા સર્જાય એવી દહેશત
ભોલાવ ગ્રામ પંચાયત દ્વારા ગટરની કામગીરી ચાલી રહી છે જેની સામે નારાયણ એવન્યુ સોસાયટી સહિત અન્ય સોસાયટીના રહીશોએ એકત્રિત થઈ વિરોધ વ્યક્ત કરતા મામલો ગરમાયો ભરૂચ | ગુજરાત
ભરૂચ: પરશુરામ સંગઠનના સ્થાપના દિવસ નિમિત્તે આઈ ચેકઅપ- ડેન્ટલ ચેકઅપ કેમ્પ યોજાયો
શ્રી પરશુરામ સંગઠન ૧૧ વર્ષ પૂર્ણ કરી બારમા વર્ષમાં મંગલ પ્રવેશ નિમિતે શાળાના વિદ્યાર્થીઓ માટે આઈ ચેકઅપ તેમજ ડેન્ટલ ચેકઅપ કેમ્પ નું આયોજન કરવામા આવ્યું ભરૂચ | આરોગ્ય |
અમરેલી : રૂ. 4.28 કરોડના ખર્ચે નિર્માણ પામેલ બગસરા આરોગ્ય કેન્દ્રનું આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે લોકાર્પણ...
અંકલેશ્વર: અસ્થિર મગજના ઇસમે વૃદ્ધ પર ચપ્પુના ઘા ઝીંકી ગામ માથે લીધું, અંતે પાલિકા અને પોલીસની ટીમે પકડ્યો
આંધ્રપ્રદેશ સરકારે રાજ્યભરમાં મહિલાઓ માટે મફત બસ મુસાફરી સેવા કરશે શરૂ
અંકલેશ્વર- હાંસોટ પંથકમાં સમી સાંજે વરસાદી માહોલ, વાતાવરણમાં ઠંડક
અંકલેશ્વર: GIDCની ETL ચોકડી નજીક ટેન્કરની ટકકરે સાયકલ સવારનું મોત,પોલીસે તપાસ શરૂ કરી