ચૂંટણી વિશ્લેષણ ડીબેટમાં ભરૂચના પત્રકાર દ્વારા કરાયેલ ટિપ્પણીથી આદિવાસી સમાજની લાગણી દુભાઈ હોવાના આક્ષેપ સાથે સાંસદ મનસુખ વસાવાએ સમર્થકો સાથે ક્લેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર આપી કાર્યવાહીની માંગ કરી હતી. તો પત્રકાર દ્વારા પણ આદિવાસી સમાજને ખોટી રીતે ગુમરાહ કરવાનો પ્રયાસ અને તેઓની ફરતી કરાયેલ ક્લિપ અંગે કાર્યવાહી કરવાની ચીમકી ઉચ્ચારી હતી.
હાલમાં ચૂંટણી સંપન્ન થયા બાદ પરિણામ અંગેની અટકળોનો દૌર ચાલી રહ્યો છે. જેમાં વિવિધ ચેનલો પર આ મુદ્દે પત્રકારો તેઓના મંતવ્ય રજૂ કરી રહ્યા છે. આવા જ એક કાર્યક્રમ દરમ્યાન ભરૂચના વરિષ્ઠ પત્રકાર નરેશ ઠક્કરે આદિવાસી વિસ્તારમાં દારૂની પ્રથા અંગે ટિપ્પણી કરી હતી. જેને લઇને સાંસદ મનસુખ વસાવા છેલ્લા 2 દિવસથી સોશિયલ મીડિયા પર નારાજગી દર્શાવી રહ્યા હતા. જે બાદ આજરોજ આ મુદ્દે તેઓ દેડિયાપાડાના પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવા તેમજ વાલીયાના સેતુર વસાવા સહિત અન્ય આદિવાસી ભાઈ-બહેનો સાથે કલેકટર કચેરી ખાતે જિલ્લા કલેકટરને આવેદન પત્ર પાઠવી આ મામલે કાર્યવાહી કરવાની માંગ કરી હતી.
તો બીજી તરફ, આ મુદ્દે વરિષ્ઠ પત્રકાર નરેશ ઠક્કરે ચૂંટણી વિશ્લેષણ ડીબેટ અંગે તેઓની ક્લિપ એડિટ કરી મુકાઈ હોવાનો આક્ષેપ કરી આ મુદ્દે કાર્યવાહી કરવાની ચીમકી ઉચ્ચારી હતી. આ સાથે જ પત્રકાર નરેશ ઠક્કરે આદિવાસી સમાજને ઉશ્કેરવાનો પ્રયાસ કરાયો હોવાનો આક્ષેપ કરી આજે સાંસદ મનસુખ વસાવાને આદિવાસી સમાજ યાદ આવ્યો છે, તેમ કહી તેમના ચૂંટણી પ્રચાર દરમ્યાન ભરૂચના વોર્ડ નંબર 8માં પછાત સમાજના લોકો માટે અલગ જમણવાર કરવાની ફરિયાદ ઊઠી હતી, ત્યારે સાંસદ મનસુખ વસાવા કેમ કશું બોલ્યા ન હતા તેવો પ્રશ્ન ઉઠાવ્યો હતો.
ભરૂચ : ચૂંટણી ડીબેટમાં આદિવાસી સમાજ અંગેની ટિપ્પણીથી સાંસદ નારાજ, તો પત્રકારે પણ ફરતી થયેલી ક્લિપ અંગે કાર્યવાહીની ચીમકી ઉચ્ચારી
હાલમાં ચૂંટણી સંપન્ન થયા બાદ પરિણામ અંગેની અટકળોનો દૌર ચાલી રહ્યો છે. જેમાં વિવિધ ચેનલો પર આ મુદ્દે પત્રકારો તેઓના મંતવ્ય રજૂ કરી રહ્યા છે.
ચૂંટણી વિશ્લેષણ ડીબેટમાં ભરૂચના પત્રકાર દ્વારા કરાયેલ ટિપ્પણીથી આદિવાસી સમાજની લાગણી દુભાઈ હોવાના આક્ષેપ સાથે સાંસદ મનસુખ વસાવાએ સમર્થકો સાથે ક્લેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર આપી કાર્યવાહીની માંગ કરી હતી. તો પત્રકાર દ્વારા પણ આદિવાસી સમાજને ખોટી રીતે ગુમરાહ કરવાનો પ્રયાસ અને તેઓની ફરતી કરાયેલ ક્લિપ અંગે કાર્યવાહી કરવાની ચીમકી ઉચ્ચારી હતી.
હાલમાં ચૂંટણી સંપન્ન થયા બાદ પરિણામ અંગેની અટકળોનો દૌર ચાલી રહ્યો છે. જેમાં વિવિધ ચેનલો પર આ મુદ્દે પત્રકારો તેઓના મંતવ્ય રજૂ કરી રહ્યા છે. આવા જ એક કાર્યક્રમ દરમ્યાન ભરૂચના વરિષ્ઠ પત્રકાર નરેશ ઠક્કરે આદિવાસી વિસ્તારમાં દારૂની પ્રથા અંગે ટિપ્પણી કરી હતી. જેને લઇને સાંસદ મનસુખ વસાવા છેલ્લા 2 દિવસથી સોશિયલ મીડિયા પર નારાજગી દર્શાવી રહ્યા હતા. જે બાદ આજરોજ આ મુદ્દે તેઓ દેડિયાપાડાના પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવા તેમજ વાલીયાના સેતુર વસાવા સહિત અન્ય આદિવાસી ભાઈ-બહેનો સાથે કલેકટર કચેરી ખાતે જિલ્લા કલેકટરને આવેદન પત્ર પાઠવી આ મામલે કાર્યવાહી કરવાની માંગ કરી હતી.
તો બીજી તરફ, આ મુદ્દે વરિષ્ઠ પત્રકાર નરેશ ઠક્કરે ચૂંટણી વિશ્લેષણ ડીબેટ અંગે તેઓની ક્લિપ એડિટ કરી મુકાઈ હોવાનો આક્ષેપ કરી આ મુદ્દે કાર્યવાહી કરવાની ચીમકી ઉચ્ચારી હતી. આ સાથે જ પત્રકાર નરેશ ઠક્કરે આદિવાસી સમાજને ઉશ્કેરવાનો પ્રયાસ કરાયો હોવાનો આક્ષેપ કરી આજે સાંસદ મનસુખ વસાવાને આદિવાસી સમાજ યાદ આવ્યો છે, તેમ કહી તેમના ચૂંટણી પ્રચાર દરમ્યાન ભરૂચના વોર્ડ નંબર 8માં પછાત સમાજના લોકો માટે અલગ જમણવાર કરવાની ફરિયાદ ઊઠી હતી, ત્યારે સાંસદ મનસુખ વસાવા કેમ કશું બોલ્યા ન હતા તેવો પ્રશ્ન ઉઠાવ્યો હતો.
ભરૂચ : નંદેલાવ બ્રિજ નીચે કેમિકલ ભરેલું કન્ટેનર પિલર સાથે ધડાકાભેર અથડાતા મંગલદીપ સોસાયટીની દિવાલ તૂટી
ભરૂચની મઢુલી ચોકડી નજીક કેમિકલ ભરેલ કન્ટેનરના ચાલકે નવા બ્રિજના પિલરને ટક્કર મારી હતી. ત્યારબાદ કન્ટેનર મંગલદીપ સોસાયટીની કમ્પાઉન્ડ વોલ સાથે અથડાતા અફરાતફરી મચી હતી ભરૂચ | ગુજરાત | સમાચાર
“યોગ ફોર વન અર્થ વન હેલ્થ” : ભરૂચ જિલ્લાકક્ષાના આંતરરાષ્ટ્રીય યોગ દિવસની GNFC ખાતે ઉજવણી કરાશે : કલેક્ટર ગૌરાંગ મકવાણા
ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા યોગ ફોર વન અર્થ વન હેલ્થ થીમ હેઠળ 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ-2025ની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે, ભરૂચ | ગુજરાત | સમાચાર
ભરૂચ: વાલિયા SBIના પૂર્વ બ્રાન્ચ મેનેજરે રૂ.21.57 લાખની કરી ઉચાપત, ખાતેદારોના એકાઉન્ટમાંથી જાણ બહાર રૂપિયા ટ્રાન્સફર કરી લીધા !
ભરૂચના વાલીયામાં આવેલ સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાના પૂર્વ બ્રાન્ચ મેનેજર સામે ₹21.57 લાખની ઉચાપતની પોલીસ ફરિયાદ નોંધાતા ખળભળાટ મચી જવા પામ્યો છે. ગુજરાત | સમાચાર
અંકલેશ્વર: મામલતદાર કચેરીમાં પાર્ક ટેમ્પામાંથી રૂ.21.95 લાખનું સીસું ચોરી કરનાર વધુ 2 આરોપી ઝડપાયા, ભંગારીયાઓની પણ સંડોવણી બહાર આવી
GST વિભાગે જપ્ત કરેલ ટ્રકમાંથી રૂ.21.95 લાખનું સીસું ચોરી થવાના મામલામાં પોલીસે વધુ 2 આરોપીઓની ધરપકડ ભંગારીયાઓની પણ સંડોવણી બહાર આવી ભરૂચ | ગુજરાત | સમાચાર |
ભરૂચ: સેવાશ્રમ રોડ પર વ્યાજે લીધેલા નાંણા બાબતે લારીધારક પર હુમલો, સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડાયો
થોડા સમય પહેલાં તેને નાણાંકિય જરૂરિયાત ઉભી થઇ હતી આથી તેણે શહેરના બાવારેહાન વિસ્તારમાં રહેતાં અસલમ નામના રિક્ષાવાલા પાસેથી 10 હજાર રૂપિયા લીધાં હતાં. જેનું તેણે વ્યાજ પણ ચુકવ્યું હતું. : ભરૂચ | ગુજરાત | સમાચાર
અંકલેશ્વર : ઉદ્યોગ મંડળની ચૂંટણીનો ધમધમાટ,સહયોગ અને વિકાસ પેનલ વચ્ચે પ્રતિષ્ઠાનો જંગ
અંકલેશ્વર ઉદ્યોગ મંડળની તારીખ 20મી જુન શુક્રવારના રોજ ચૂંટણી યોજાશે,જે અંગેની તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે,અને ઉદ્યોગનગરમાં ઉત્તેજનાસભર માહોલ જોવા મળી રહ્યો છે. ભરૂચ | ગુજરાત | સમાચાર
ભરૂચ : નંદેલાવ બ્રિજ નીચે કેમિકલ ભરેલું કન્ટેનર પિલર સાથે ધડાકાભેર અથડાતા મંગલદીપ સોસાયટીની દિવાલ તૂટી
“યોગ ફોર વન અર્થ વન હેલ્થ” : ભરૂચ જિલ્લાકક્ષાના આંતરરાષ્ટ્રીય યોગ દિવસની GNFC ખાતે ઉજવણી કરાશે : કલેક્ટર ગૌરાંગ મકવાણા
જૂનાગઢ : વિસાવદરમાં પેટા ચૂંટણીમાં સાંજે 5 વાગ્યા સુધીમાં 54.61 ટકા નોંધાયું મતદાન
ભરૂચ: વાલિયા SBIના પૂર્વ બ્રાન્ચ મેનેજરે રૂ.21.57 લાખની કરી ઉચાપત, ખાતેદારોના એકાઉન્ટમાંથી જાણ બહાર રૂપિયા ટ્રાન્સફર કરી લીધા !
અંકલેશ્વર: મામલતદાર કચેરીમાં પાર્ક ટેમ્પામાંથી રૂ.21.95 લાખનું સીસું ચોરી કરનાર વધુ 2 આરોપી ઝડપાયા, ભંગારીયાઓની પણ સંડોવણી બહાર આવી