Connect Gujarat
ભરૂચ

ભરૂચ: નન્નુમિયા નાળાની દીવાલનો ભાગ ધરાશાયી, સમારકામ ન કરાતા લોકોમાં રોષ

નન્નુમિયા નાળાની દીવાલનો ભાગ ધરાશાયી, થોડા સેમી અગાઉ સર્જાય હતી દુર્ઘટના.

X

ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તારમાં મહંમદપુરા નજીક આવેલ નન્નુમિયા નાળાની દીવાલનો કેટલોક ભાગ થોડા દિવસ અગાઉ ધરાશયી થયો હોવા છતા આજદિન સુધી સમારકામ ન કરાતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તારમાં મહંમદપુરા નજીક આવેલ એસ.પી ઓફિસ માર્ગ પરના નન્નુમિયા નાળાની દીવાલનો કેટલોક ભાગ ચોમાસાની ઋતુમાં થોડા દિવસો અગાઉ તૂટી પડયો હતો, મુખ્ય માર્ગ પર આવેલ નાળાની દીવાલ તૂટતા જે તે સમયે તો સદનસીબે કોઈ જાનહાની ન થઈ હતી પરંતુ દીવાલ તૂટ્યાને ઘણા દિવસો બાદ પણ તેના રીપેરીંગ માટે તંત્રને મુહૂર્ત ન મળતું હોય તેવી સ્થિતિનું સર્જન થયું છે.

ભરૂચ નગરપાલિકાના વોર્ડ નંબર ૧ વિસ્તારમાં આવેલ નન્નુમિયા નાળાની દીવાલ ધરાશાય થયાની જાણ વિપક્ષના સભ્ય સમસાદ અલી સૈયદ અને સ્થાનિક કોર્પોરેટર હમેન્દ્ર કોઠીવાલા, સલીમ અમદાવાદી સહિતના સભ્યોએ પાલિકાના તંત્રને કરી હતી છતાં આજદિન સુધી તેનું રિપેરિંગ કામ હાથ ધરવામાં ન આવતા સ્થાનિકો સહિત પાલિકા સભ્યોમાં તંત્ર કામગીરી સામે રોષ જોવા મળી રહ્યો છે ત્યારે તાકીદે સમારકામ શરૂ કરવામાં આવે એવી માંગ કરવામાં આવી છે.

Next Story