Connect Gujarat
ભરૂચ

ભરૂચ: આજે નર્મદા જયંતિ, જુઓ પરિક્રમાવાસીઓએ કેમ જવુ પડે છે હાંસોટના વમલેશ્વર ગામ

હાંસોટ તાલુકાના વમલેશ્વર ગામમાં આવેલ નર્મદા મૈયાના મંદિર ખાતે રોજેરોજ પરિક્રમાવાસીઓની મોટી સંખ્યામાં ભીડ જોવા મળે છે.

ભરૂચ: આજે નર્મદા જયંતિ, જુઓ પરિક્રમાવાસીઓએ કેમ જવુ પડે છે હાંસોટના વમલેશ્વર ગામ
X

ભરૂચ જિલ્લાના હાંસોટના નર્મદા નદીના કિનારે આવેલ વમલેશ્વર ગામ સ્થિત નર્મદા મૈયાના મંદિરે દર્શન કર્યા બાદ નર્મદા પરિક્રમાવાસીઓની પરિક્રમા પૂર્ણ થતી હોવાની માન્યતા છે.

ભરૂચ જિલ્લાના હાંસોટ તાલુકાના વમલેશ્વર ગામમાં આવેલ નર્મદા મૈયાના મંદિર ખાતે રોજેરોજ પરિક્રમાવાસીઓની મોટી સંખ્યામાં ભીડ જોવા મળે છે. મધ્ય પ્રદેશના સાતપુડા પર્વતીય માળામાંથી ખળખળ વહેતી નર્મદા નદીની પરિક્રમા અમરકંટકથી શરૂ કરવામાં આવે છે. જે નર્મદા નદીના પટમાંથી પરિક્રમાવાસીઓ અનેક કષ્ટ કાપી તેના છેલ્લા પડાવ વમલેશ્વર ગામમાં આવે છે પરિક્રમાવાસીઓ ગામમાં આવેલ નર્મદા મૈયાના મંદિરે દર્શન અને ટૂંકુ રોકાણ કરે છે અને નાવડીમાં સવાર થઈ સામે પાર જાગેશ્વર ગામમાં પહોંચી ત્યાંથી નર્મદા પરિક્રમાનો બીજો તબક્કો શરૂ કરે છે.પરંતુ વમલેશ્વર જ કેમ પરિક્રમાવાસીઓ આવતા હોય છે તેવા પ્રશ્ન વચ્ચે નર્મદા નદી વમલેશ્વર ગામ પાસે જ મળી જતી હોવાથી વમલેશ્વર ગામને નર્મદા નદી છેલ્લો ઘાટ માનવામાં આવે છે.અમરકંટકથી લઈ વમલેશ્વર લાખો નર્મદા પરિક્રમાવાસીઓ આવે છે. પરિક્રમાવાસીઓને આ સ્થળે ફરજિયાત આવવુ જ પડે છે તો જ તેમની પરિક્રમા પૂર્ણ થાય છે. આ સ્થળ એટલે કે રેવા સંગમ તીર્થધામ એટલે કે માં નર્મદા નદી અને સમુદ્રનો સંગમ એ જે જગ્યા એટલે કે વમળ ઉત્પન્ન થાય તેના નામ પરથી ગામનું નામ વમલેશ્વર પડ્યું છે. પરિક્રમાવાસીઓ અહીં આવી પોતાનું પુણ્ય પ્રાપ્ત કરે છે.નર્મદા પરિક્રમાવાસીઓ અહીં આવી નાવડીમાંથી સમુદ્ર પાર કરે છે.ઘણા સંતો સહિત શિક્ષિત લોકો પરિક્રમા માટે આવે છે.

Next Story