ભરૂચ : 15 વર્ષ બાદ નોટરીનું લાયસન્સ રીન્યુ નહિ થાય, નોટરીઓમાં ફેલાયો રોષ

કેન્દ્ર સરકાર નોટરી એકટમાં સુધારો કરવા જઇ રહી છે ત્યારે 15 વર્ષથી નોટરી રહેલાંઓના લાયસન્સ રીન્યુ નહિ કરવાની સુચિત જોગવાઇ સામે ભરૂચ અને અંકલેશ્વરના નોટરીઓએ વિરોધ નોંધાવ્યો છે.

New Update
ભરૂચ : 15 વર્ષ બાદ નોટરીનું લાયસન્સ રીન્યુ નહિ થાય, નોટરીઓમાં ફેલાયો રોષ

કેન્દ્ર સરકાર નોટરી એકટમાં સુધારો કરવા જઇ રહી છે ત્યારે 15 વર્ષથી નોટરી રહેલાંઓના લાયસન્સ રીન્યુ નહિ કરવાની સુચિત જોગવાઇ સામે ભરૂચ અને અંકલેશ્વરના નોટરીઓએ વિરોધ નોંધાવ્યો છે.

કેન્દ્ર સરકાર એક પછી એક કાયદાઓમાં સુધારાઓ કરી રહી છે અને તેની સામે વિરોધ પણ જોવા મળી રહયો છે. તબીબો બાદ હવે નોટરીઓ પણ કાયદામાં સુધારાના વિરોધમાં મેદાનમાં આવ્યાં છે. વર્તમાન નોટરી એકટ પ્રમાણે નોટરીઓ અસંખ્ય વખત તેમના લાયસન્સ રીન્યુ કરાવી શકે છે પણ હવે સરકાર નોટરી એકટ 1992માં સુધારો કરવા જઇ રહી છે. નવા સુચિત સુધારા મુજબ 15 વર્ષ સુધી નોટરીની કામગીરી કરનારા લોકોના લાયસન્સ રીન્યુ નહી થાય તથા વધુમાં વધુ 15 વર્ષ સુધી જ નોટરીનું લાયસન્સ રીન્યુ કરી શકાશે. સુચિત સુધારાના વિરોધમાં ભરૂચ- અંકલેશ્વર નોટરી એસોસિએશનના હોદ્દેદારોએ આવેદનપત્ર આપ્યું છે. ભરૂચ કલેકટર કચેરી ખાતે આવેદનપત્ર આપતી વેળા એસોસીએશનના પ્રમુખ સુરેશ મહેતા સહિત પ્રકાશ મોદી, જયોતિબેન પરમાર, મહેન્દ્ર કંસારા, રૂપલ મોદી, લતાબેન શેલત, પીંકી ગાંધી અને ફાલ્ગુનીબેન સહિતના હોદ્દેદારો અને નોટરીઓ હાજર રહયાં હતાં.

Latest Stories
Read the Next Article

અંકલેશ્વર : શહેર ભાજપ યુવા મોરચા દ્વારા ડો.શ્યામા પ્રસાદ મુખર્જીના બલિદાન દિવસ નિમિત્તે રક્તદાન શિબિરનું કરાયું આયોજન

અંકલેશ્વર શહેરમાં ભાજપ યુવા મોરચા દ્વારા ડો.શ્યામા પ્રસાદ મુખર્જીના બલિદાન દિવસ નિમિત્તે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.

New Update
  • શહેર ભાજપ યુવા મોરચા દ્વારા રક્તદાન શિબિર યોજાઈ 

  • ડો.શ્યામા પ્રસાદ મુખર્જીના બલિદાન દિવસ નિમિત્તે આયોજન

  • પાલિકા ડિસ્પેન્સરી ખાતે કરાયું રક્તદાન શિબિરનું આયોજન

  • ભાજપ જિલ્લા પ્રમુખ સહિતના આગેવાનો રહ્યા ઉપસ્થિત

  • ભાજપના કાર્યકર્તાઓએ ઉત્સાહભેર કર્યું રક્તદાન 

અંકલેશ્વર શહેરમાં ભાજપ યુવા મોરચા દ્વારા ડો.શ્યામા પ્રસાદ મુખર્જીના બલિદાન દિવસ નિમિત્તે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.

અંકલેશ્વર પાલિકા ડિસ્પેન્સરી ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું,રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાના પર્યાય ભારતીય જનસંઘના સંસ્થાપક ડો.શ્યામા પ્રસાદ મુખર્જીના બલિદાન દિવસ નિમિત્તે ભારતીય જનતા યુવા મોરચા દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરાયું હતું,આ રક્તદાન શિબિરમાં મોટી સંખ્યામાં રકતદાતાઓએ ઉત્સાહભેર રક્તદાન કરીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.આ પ્રસંગે ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી,અંકલેશ્વર શહેર ભાજપ પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કર્ણા,પાલિકા પ્રમુખ લલિતા રાજપુરોહિત તેમજ મોટી સંખ્યામાં ભાજપ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

Latest Stories