ભરૂચ : 15 વર્ષ બાદ નોટરીનું લાયસન્સ રીન્યુ નહિ થાય, નોટરીઓમાં ફેલાયો રોષ

કેન્દ્ર સરકાર નોટરી એકટમાં સુધારો કરવા જઇ રહી છે ત્યારે 15 વર્ષથી નોટરી રહેલાંઓના લાયસન્સ રીન્યુ નહિ કરવાની સુચિત જોગવાઇ સામે ભરૂચ અને અંકલેશ્વરના નોટરીઓએ વિરોધ નોંધાવ્યો છે.

New Update
ભરૂચ : 15 વર્ષ બાદ નોટરીનું લાયસન્સ રીન્યુ નહિ થાય, નોટરીઓમાં ફેલાયો રોષ

કેન્દ્ર સરકાર નોટરી એકટમાં સુધારો કરવા જઇ રહી છે ત્યારે 15 વર્ષથી નોટરી રહેલાંઓના લાયસન્સ રીન્યુ નહિ કરવાની સુચિત જોગવાઇ સામે ભરૂચ અને અંકલેશ્વરના નોટરીઓએ વિરોધ નોંધાવ્યો છે.

કેન્દ્ર સરકાર એક પછી એક કાયદાઓમાં સુધારાઓ કરી રહી છે અને તેની સામે વિરોધ પણ જોવા મળી રહયો છે. તબીબો બાદ હવે નોટરીઓ પણ કાયદામાં સુધારાના વિરોધમાં મેદાનમાં આવ્યાં છે. વર્તમાન નોટરી એકટ પ્રમાણે નોટરીઓ અસંખ્ય વખત તેમના લાયસન્સ રીન્યુ કરાવી શકે છે પણ હવે સરકાર નોટરી એકટ 1992માં સુધારો કરવા જઇ રહી છે. નવા સુચિત સુધારા મુજબ 15 વર્ષ સુધી નોટરીની કામગીરી કરનારા લોકોના લાયસન્સ રીન્યુ નહી થાય તથા વધુમાં વધુ 15 વર્ષ સુધી જ નોટરીનું લાયસન્સ રીન્યુ કરી શકાશે. સુચિત સુધારાના વિરોધમાં ભરૂચ- અંકલેશ્વર નોટરી એસોસિએશનના હોદ્દેદારોએ આવેદનપત્ર આપ્યું છે. ભરૂચ કલેકટર કચેરી ખાતે આવેદનપત્ર આપતી વેળા એસોસીએશનના પ્રમુખ સુરેશ મહેતા સહિત પ્રકાશ મોદી, જયોતિબેન પરમાર, મહેન્દ્ર કંસારા, રૂપલ મોદી, લતાબેન શેલત, પીંકી ગાંધી અને ફાલ્ગુનીબેન સહિતના હોદ્દેદારો અને નોટરીઓ હાજર રહયાં હતાં.

Read the Next Article

અંકલેશ્વર : આશીર્વાદરૂપ આયુષ્યમાન વયવંદના સ્કીમ,ભડકોદ્રા ખાતે વડીલોના સન્માન સાથે નોંધણીનો કાર્યક્રમ યોજાયો

ભારત સરકાર દ્વારા વૃદ્ધો માટે આયુષ્યમાન વયવંદના સ્કીમ શરૂ કરવામાં આવી છે,આ સુવિધામાં સિનિયર સિટીઝન્સને રૂપિયા 5 લાખ સુધીની ફ્રી કેશલેસ સારવાર મળે છે.

New Update
  • વયવંદના સ્કીમ હેઠળ યોજાયો કેમ્પ

  • ભાજપ દ્વારા કરવામાં આવ્યું આયોજન

  • ભડકોદ્રા ગામ ખાતે કેમ્પનું કરાયું આયોજન

  • વય વંદના કાર્ડ નોંધણી કેમ્પ યોજાયો

  • 125થી વધુ કાર્ડની કરાય નોંધણી

  • સાંસદ મનસુખ વસાવા અને આગેવાનો રહ્યા ઉપસ્થિત

ભારત સરકાર દ્વારા વૃદ્ધો માટે આયુષ્યમાન વયવંદના સ્કીમ શરૂ કરવામાં આવી છે,આ સુવિધામાં સિનિયર સિટીઝન્સને રૂપિયા 5 લાખ સુધીની ફ્રી કેશલેસ સારવાર મળે છે.આ સ્કીમનો લાભ 70 વર્ષ કે તેથી વધુ ઉંમરના વડીલો લઇ શકે છે.જે અંતર્ગત અંકલેશ્વર તાલુકાના ભડકોદ્રા ગામ ખાતે આયુષ્યમાં વયવંદના નોંધણી તથા વડીલોના સન્માનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.જેનો મોટી સંખ્યામાં લાભાર્થીઓએ લાભ લીધો હતો.

ભારત સરકારે વૃદ્ધો માટે એક ખાસ'શરૂ કરી છે. આ યોજનાની શરૂઆત 29 ઓક્ટોબર2024ના રોજ થઈ હતી. જે અંતર્ગત સિનિયર સિટીઝન્સને 5 લાખ રૂપિયા સુધીની ફ્રી કેશલેસ સારવાર મળે છે. આયુષ્યમાન વય વંદના કાર્ડ ખાસ કરીને 70 વર્ષ કે તેથી વધુ ઉંમરના લોકો માટે બનાવવામાં આવ્યું છે. આ કાર્ડની સૌથી મોટી ખાસિયત એ છે કે તેને બનાવવા માટે વૃદ્ધોએ પોતાની આવક કે આર્થિક સ્થિતિ અંગે કોઈ જાણકારી આપવાની નથી રહેતી. ભલે ને તેઓ કોઈપણ વર્ગમાંથી આવતા હોયજે પણ વડીલની  ઉંમર 70 વર્ષથી વધુ છેતો તેઓ સરળતાથી આ સ્કીમનો લાભ ઉઠાવી શકે છે.સમગ્ર દેશમાં અત્યાર સુધીમાં આ સ્કીમ અંતર્ગત 25 લાખથી વધુ વૃદ્ધોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. લગભગ 22,000 લોકોને 40 કરોડથી વધુની સારવાર મળી ચુકી હોવાનું જાણવા મળ્યું છે.આ સ્કીમ દેશભરની 30 હજારથી વધુ હોસ્પિટલ્સમાં માન્ય છે. જેમાં 13 હજારથી વધુ પ્રાઇવેટ હોસ્પિટલો પણ સામેલ છે.

આ હોસ્પિટલોમાં 1961 પ્રકારની અલગ-અલગ બીમારીઓ અને બાકીની સ્વાસ્થ્ય સંબંધિત પ્રક્રિયાઓની સારવાર મફત મળે છે. વધુ ઉંમરના લોકોમાં સામાન્ય રીતે હાર્ટ સર્જરીઘૂંટણ  અથવા થાપામાં દુખાવોમોતિયાનું ઓપરેશન જેવી સમસ્યાઓ થાય છે. આ બધા રોગોની સારવાર આ કાર્ડની મદદથી કોઈ પણ પ્રકારની ફી વિના જ સંભવ છે.

આયુષ્યમાન વય વંદના સ્કીમ અંતર્ગત અંકલેશ્વર તાલુકાના ભડકોદ્રા ગામ ખાતે વય વંદના નોંધણી અભિયાન તથા વડીલોના સન્માન માટેનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.આ પ્રસંગે ભડકોદ્રા ગામના આગેવાનો તેમજ મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.અને 70 વર્ષ કે તેથી વધુ ઉંમરના વડીલોનું સ્થળ પર વય વંદના સ્કીમ હેઠળ નોંધણી કરવામાં આવી હતી.

આ કેમ્પમાં 125થી વધુ વડીલોને આયુષ્માન કાર્ડનું રજીસ્ટ્રેશન કરી આપવામાં આવ્યું હતું.આ પ્રસંગે ભરૂચના સાંસદ મનસુખ વસાવાભરૂચ જિલ્લા ભાજપના પ્રમુખ પ્રકાશ મોદીભાજપના આગેવાન એલ.બી.પાંડેમગન પટેલભરત પટેલચંદ્રેશ પટેલ,ચીમન વસાવા અને પરેશ પટેલ સહિતના આગેવાનો તેમજ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.