ભરૂચ: અંકલેશ્વરમાં ધોરણ 1થી5ના વિદ્યાર્થીઓને નોટબુકનું કરવામાં આવ્યું વિતરણ

વિદ્યાર્થીઓને નોટબુકનું વિતરણ કરતો કાર્યક્રમ યોજાયો હતો॰સાથે સાથે નાના ભૂલકાઓને બિસ્કીટના પેકેટ પણ આપવામાં આવ્યા

New Update
ભરૂચ: અંકલેશ્વરમાં ધોરણ 1થી5ના વિદ્યાર્થીઓને નોટબુકનું કરવામાં આવ્યું વિતરણ

અંકલેશ્વર ખાતે આવેલ તાડ ફળિયા વિસ્તારમાં ભારતીય પત્રકાર સંઘ દ્વારા જરૂરિયાતમંદ ધોરણ ૧ થી૫ ના વિદ્યાર્થીઓને નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું હતું અંકલેશ્વરમાં આવેલ તાડફળિયા વિસ્તારમાં જરૂરિયાતમંદ ધોરણ 1 થી 5 ના વિદ્યાર્થીઓને નોટબુકનું વિતરણ કરતો કાર્યક્રમ યોજાયો હતો॰સાથે સાથે નાના ભૂલકાઓને બિસ્કીટના પેકેટ પણ આપવામાં આવ્યા હતા.આ કાર્યક્રમમાં અંકલેશ્વર નગરપાલિકાના પ્રમુખ વિનય વસાવા ભારતીય પત્રકાર સંઘના જિલ્લા પ્રભારી અકબરભા દિવાન, જિલ્લા પ્રમુખ વિરલ ઞોહીલ તેમજ સંગઠનના સભ્યો હાજર રહ્યા હતા