Connect Gujarat
ભરૂચ

ભરૂચ : અંગારકી વિનાયક ચતુર્થી નિમિત્તે સિદ્ધિવિનાયક મંદિરે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા...

મકતમપુર ગામ સ્થિત સિદ્ધિવિનાયક ગણેશ મંદિર ખાતે અંગારકી ચોથ નિમિત્તે ગણેશ યાગ સહિત વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા.

X

ભરૂચ શહેરના મકતમપુર ગામ સ્થિત સિદ્ધિવિનાયક ગણેશ મંદિર ખાતે અંગારકી ચોથ નિમિત્તે ગણેશ યાગ સહિત વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ વિધ્નહર્તાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

મંગળવાર અને ચતુર્થીની તિથી હોવાથી તેને અંગારકી ચોથ કહેવામાં આવે છે. આ દિવસે આવતી ચોથ ગણેશ ભક્તો માટે વિશેષ માહાત્મય ધરાવે છે. અંગારકી ચોથના દિવસે ભરૂચના ગણેશ મંદિરોમાં સવારથી જ ભક્તોની ભીડ ઉમટી હતી. અંગારકી ચોથના દિવસે દુંદાળા દેવને વિશેષ પૂજા અર્ચના કરીને ભકતોએ ગણેશજીને પ્રિય એવા મોદક, લાલ જાસૂદ, ગોળ અને પૂજાપા સાથે ગણેશજીની પૂજા અર્ચના કરી હતી, ત્યારે ભરૂચના મકતમપુર ગામ સ્થિત સિદ્ધિવિનાયક ગણેશ મંદિરમાં પણ પૂજા-અર્ચના સહિતના વિશેષ ધાર્મિક કાર્યક્રમોના આયોજન કરાયા હતા. જેમાં વહેલી સવારથી ગણેશ યાગનું આયોજન કરવામાં આવ્યું હતું, ગણેશ યાગમાં 5 યુગલોએ પૂજા-અર્ચના કરી હતી. આ સાથે જ પૂજન-અર્ચન, પ્રસાદી, મહાઆરતી સાથે ભક્તિ સભર માહોલમાં અંગારીકા ચોથની ઉજવણી કરવામાં આવી હતી.

Next Story