ભરૂચના આમોદના દોરા ગામે આવેલ તળાવમાં ગતરોજ મોડી સાંજે 44 વર્ષીય ઇન્દરસિંહ ચૌહાણ ડૂબી ગયા હતા.આ અંગેની જાણ ગ્રામજનોએ ફાયર વિભાગને કરતા કરજણ અને ભરૂચ નગર સેવા સદનના ફાયર ફાયટરો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને મૃતદેહની શોધખોળ શરૂ કરી હતી.
જે બાદ આજરોજ સવારના સમયે તેઓનો મૃતદેહ તળાવના પાણીમાંથી જ મળી આવ્યો હતો.બનાવની જાણ થતાની સાથે જ પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને મૃતકના મૃતદેહને સરકારી હોસ્પિટલ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.