ભરૂચ: RSS દ્વારા વિચાર ગોષ્ઠીનું કરાયું આયોજન,સાંપ્રત સમયના બદલાતા પ્રવાહ વિષય પર ચર્ચા
ભરૂચના લીંક રોડ ઉપર આવેલ મંગલમ હોલ ખાતે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ ભરૂચ જીલ્લા દ્વારા વિચાર ગોષ્ઠીનું આયોજન કરવામાં આવ્યું હતું
ભરૂચના લીંક રોડ ઉપર આવેલ મંગલમ હોલ ખાતે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ ભરૂચ જીલ્લા દ્વારા વિચાર ગોષ્ઠીનું આયોજન કરવામાં આવ્યું હતું.
રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ હિંદુ સમાજનું સંરક્ષણ અને સંગઠન માટે સતત પ્રયત્નશીલ છે સાંપ્રત સમાજમાં બદલાતા સામાજિક અને રાષ્ટ્રીય પ્રવાહો પર ગણમાન્ય પ્રબુદ્ધ નાગરિકો સાથે ચર્ચા અને વિચાર ગોષ્ટીનું આયોજન કરવામાં આવે છે જેના ભાગરૂપે આજરોજ ભરૂચના લીંક રોડ ઉપર આવેલ મંગલમ હોલ ખાતે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ ભરૂચ જીલ્લા દ્વારા વિચાર ગોષ્ઠીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અખિલ ભારતીય સંપર્ક ટોળીના સભ્ય રવિ ઐયરએ સાંપ્રત સમયમાં બદલાતા પ્રવાહો અને દિશા સુચન અંગે પ્રવચન આપ્યું હતું આ વિચાર ગોષ્ઠીમાં જીલ્લા સંઘચાલક કૌશલ પટેલ,અલ્કેશ પ્રજાપતિ અને ચેનલ નર્મદાના ડિરેક્ટર નરેશ ઠક્કર તેમજ રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.