ભરૂચ : જે.પી.કોલેજના આચાર્ય ડો. નીતિન પટેલનો વિદાય સમારોહ યોજાયો, શ્રીફળ આપી-સાલ ઓઢાડી વિદાય અપાય...
ભરૂચ શહેરની જયેન્દ્રપુરી આર્ટસ એન્ડ સાયન્સ કોલેજના આચાર્ય ડો. નીતિન પટેલ વય મર્યાદાના પગલે નિવૃત્ત થતા તેઓનો વિદાય સમારોહ યોજાયો હતો.
BY Connect Gujarat Desk15 Jun 2023 12:58 PM GMT
X
Connect Gujarat Desk15 Jun 2023 12:58 PM GMT
ભરૂચ શહેરની જયેન્દ્રપુરી આર્ટસ એન્ડ સાયન્સ કોલેજના આચાર્ય ડો. નીતિન પટેલ વય મર્યાદાના પગલે નિવૃત્ત થતા તેઓનો વિદાય સમારોહ યોજાયો હતો.
ભરૂચની જે.પી.કોલેજના આચાર્ય ડો. નીતિન પટેલ વય મર્યાદાના પગલે નિવૃત્ત થતા સેમિનાર હૉલ ખાતે તેઓનો વિદાય સમારોહ યોજાયો હતો. જેમાં આમંત્રિત મહેમાનોએ નિવૃત્ત થઇ રહેલ આચાર્યને શ્રીફળ અને સાલ ઓઢાડી તેઓના નિવૃત્તિ કાળનું જીવન તંદુરસ્ત અને સ્વસ્થ રહે તેવી શુભેચ્છા પાઠવી હતી. આ પ્રસંગે જે.પી.કોલેજના પ્રોફેસર ડૉ. દીપક અદ્રોજા, સદવિદ્યા મંડળ ભરૂચના ચેરમેન શશિકાંત પટેલ, સેક્રેટરી જીવરાજ પટેલ, ડૉ. એન.એમ.રાઠોડ અને દેવાંગ ઠાકોર સહિત મોટી સંખ્યામાં આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા.
Next Story