ભરૂચ : ગુમાનદેવ મંદિરે રામલક્ષ્મણદાસ મહરાજની 18મી પુણ્યતિથિ નિમિત્તે ધાર્મિક કાર્યક્રમો સંપન્ન…

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના ગુમાનદેવ મંદિર ખાતે રામલક્ષ્મણદાસ મહરાજની 18મી પુણ્યતિથિ નિમિત્તે કોરોના ગાઈડલાઈનના પાલન સાથે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.

New Update
ભરૂચ : ગુમાનદેવ મંદિરે રામલક્ષ્મણદાસ મહરાજની 18મી પુણ્યતિથિ નિમિત્તે ધાર્મિક કાર્યક્રમો સંપન્ન…

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના ગુમાનદેવ મંદિર ખાતે રામલક્ષ્મણદાસ મહરાજની 18મી પુણ્યતિથિ નિમિત્તે કોરોના ગાઈડલાઈનના પાલન સાથે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.

ઝઘડીયા તાલુકાના ગુમાનદેવ હનુમાનજી મંદિર ખાતે સાકેતવાસી મહંત રામલક્ષ્મણદાસ મહારાજની 18મી પુણ્યતિથિ નિમિત્તે મંદિર પરીસરમાં ભંડારો, શોભાયાત્રા તેમજ સુંદરકાંડ સહીતના વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. કોરોનાની વકરતી સ્થિતિને ધ્યાનમાં રાખી નિયમોના પાલન સાથે રાજ્યભરમાંથી પધારેલા મહંતોની હાજરીમાં ઉજવણી પ્રસંગ સંપન્ન કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે કશ્યપ ઋષિ આશ્રમ બરવાલા કુંડથી પધારેલા રાષ્ટ્રીય સંઘ સુરક્ષા પરિષદના રાષ્ટ્રીય અધ્યક્ષ સ્વામી રાજેશ્વરગીરી સહિત મોટી સંખ્યામાં સંતો-મહંતો ઉપસ્થિત રહ્યા હતા.

Read the Next Article

અંકલેશ્વર: ખરોડ ગામે યુવાનની હત્યા કરનાર આરોપીની ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ, અગાઉ થયેલ માથાકૂટની રીસ રાખી હત્યા કરાય

અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામેથી મળી આવેલ મૃતદેહના મામલામાં ચોકાવનારો ખુલાસો થયો છે પોલીસે યુવાનની હત્યા કરનાર આરોપીની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

New Update

અંકલેશ્વરના ખરોડમાં મળી આવ્યો હતો મૃતદેહ

હત્યા થઈ હોવાનું આવ્યું બહાર

પોલીસે હત્યારાની કરી ધરપડક

અગાઉના ઝઘડાની રીસ રાખી કરાય હત્યા

પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી


અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામેથી મળી આવેલ મૃતદેહના મામલામાં ચોકાવનારો ખુલાસો થયો છે પોલીસે યુવાનની હત્યા કરનાર આરોપીની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અંકલેશ્વરના ખરોડ ગામની સીમમાં આવેલ બાકરોલ વગામાં ખેતરના શેઢા ઉપર અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ વિકૃત હાલતમાં મળી આવ્યો હતો.આ બાબતે પાનોલી પોલીસે ગુનો નોંધી મૃત્યુનું કારણ જાણવા તપાસ શરૂ કરી હતી.આ તરફ ક્રાઇમ બ્રાન્ચ પણ તપાસમાં જોડાય હતી દરમ્યામ પોલીસને બાતમી મળી હતી કે આ ગુનામાં  અક્કલકુવાનો શંકર મોવરીયા વસાવા નામનો ઈસમ સંડોવાયો છે જે અંકલેશ્વર તથા પાનોલી વિસ્તારમા છુટક મજુરી કરે છે.પોલીસે હ્યુમન ઇન્ટેલીજન્સના આધારે આરોપીની ખરોડ નજીકથી ધરપકડ કરી હતી. પોલીસની પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો. આ મામલામાં મરણ જનાર ઇસમે થોડા દિવસ અગાઉ મારમારી 1500 રૂપિયા લૂંટી લીધા હતા જેની રીસ રાખી આરોપી શંકર વસાવાએ મૃતકને શોધી તેને મજૂરી કામ અપાવવાના બહાને ખરોડ ગામની સીમમાં લઈ ગયો હતો અને ત્યાં પથ્થરના ઘા મારી હત્યા કર્યા બાદ તેના વતન ફરાર થઇ ગયો હતો.પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Latest Stories