ભરૂચ : હાંસોટ તાલુકાના 4થી વધુ ગામોના 357 વ્યક્તિઓનું સ્થળાંતર, તંત્રએ કરી રહેવા-જમવાની વ્યવસ્થા

હાંસોટ તાલુકાના વિવિધ ગામોમાં વરસ્યો હતો વરસાદ,4થી વધુ ગામોના 357 વ્યક્તિઓનું સ્થળાંતર કરાયું

New Update
ભરૂચ : હાંસોટ તાલુકાના 4થી વધુ ગામોના 357 વ્યક્તિઓનું સ્થળાંતર, તંત્રએ કરી રહેવા-જમવાની વ્યવસ્થા

ભરૂચ જિલ્લાના હાંસોટ તાલુકાના વિવિધ ગામોમાં વરસેલા ભારે વરસાદના કારણે વહીવટી તંત્ર દ્વારા 350થી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું. તો બીજી તરફ સામાજિક આગેવાનો દ્વારા તમામ અસરગ્રસ્તો માટે આવાસ તેમજ ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી.

Advertisment

રાજ્યભરમાં છેલ્લા 4 દિવસથી અવિરત મેઘમહેરની સાથે ભરૂચ જીલ્લા સહિત દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદના કારણે ઠેર ઠેર જળ બંબાકારની સ્થિતિ સર્જાય હતી, ત્યારે ભરૂચ જિલ્લામાં પડેલા ભારે વરસાદના કારણે જનજીવન પ્રભાવિત થયુ હતું. તેવામાં હાંસોટ તાલુકાના કઠોદરા, ઓભા, આસરમા અને પાંજરોલી સહિતના 350થી વધુ અસરગ્રસ્ત ગ્રામજનોનું વહિવટી તંત્ર દ્વારા સ્થળાંતર કરવામાં આવ્યું હતું. તો બીજી તરફ તમામ અસરગ્રસ્તો માટે સામાજિક આગેવાનો દ્વારા આવાસ અને ભોજનની વિશેષ સુવિધા પુરી પાડવામાં આવી હતી.

Advertisment
Read the Next Article

અંકલેશ્વર: કમોસમી વરસાદ સાથે પ્રદૂષણના દ્રશ્યો સામે આવ્યા, રાસાયણિક પાણી ખાડીમાં વહ્યું !

અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં સી પમ્પીંગ સ્ટેશન ગેટ અને કેનાલ ઓવરફલો થતા રાસાયણિક પાણી અમરાવતી નદી અને છાપરા ખાડીમાં વહી ગયું જીપીસીબી દ્વારા નમૂના લેવામાં આવ્યા

New Update
  • અંકલેશ્વરમાં કમોસમી વરસાદ

  • કમોસમી વરસાદ સાથે પ્રદૂષણના દ્રશ્યો

  • પ્રદુષિત પાણી ઓવરફ્લો થયું

  • લાખો લીટર પાણી ખાડીમાં વહ્યું

  • જીપીસીબી દ્વારા નમૂના લેવામાં આવ્યા

Advertisment
અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં સી પમ્પીંગ સ્ટેશન ગેટ અને કેનાલ ઓવરફલો થતા રાસાયણિક પાણી અમરાવતી નદી અને છાપરા ખાડીમાં વહી ગયું હતું. હજુ ચોમાસુ બેઠું નથી એ પૂર્વે જ અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં વરસાદી પાણી સાથે રાસાયણિક પાણી વિપુલ માત્રામાં વહી ગયું હતું.10 દિવસમાં બીજી વાર પડેલા માવઠામાં પ્રથમ માવઠામાં અમરાવતી નદીમાં માછલાંના મોત થયા હતા અને હવે બીજા માવઠામાં જળ સંપદા અને જમીન સંપદાને વ્યાપક નુકશાન થવાના દ્રશ્યો સામે આવ્યા છે.
ખાસ કરીને સી પમ્પીંગ સ્ટેશન પાસે નોટીફાઈડ વિભાગ દ્વારા બનાવેલ પાળો અને તેની નજીક મુકેલ ગેટ પર ઓવરફ્લો થઇને ઔદ્યોગિક વસાહતનું રાસાયણિક પાણી ખાડીમાં ધોધ સ્વરૂપે વહી રહ્યું હતું.આ અંગે જીવદયા પ્રેમીઓ જીપીસીબીને જાણ કરતા અધિકારીઓએ ત્વરિત અસરથી સ્થળ પર દોડી આવ્યા હતા અને સેમ્પલ લીધા હતા તેમજ નોટીફાઈડ વિભાગના અધિકારીઓ અને ઉદ્યોગ મંડળને પ્રિ મોન્સૂન કામગીરી અંતર્ગત પાળો ઉંચો કરવા તાકીદ કરવામાં આવી હતી. 
Advertisment