ભરૂચ: ભાજપનું કાર્યાલય કમલમ બનાવવા રૂ.50 લાખ ઉઘરાવાયા, ચૈતર વસાવાનો આક્ષેપ...
BY Connect Gujarat Desk23 March 2024 12:07 PM GMT
X
Connect Gujarat Desk23 March 2024 12:07 PM GMT
ઇન્ડિયા અલાયન્સના ગઠબંધનમાં જ્યારથી ભરૂચ લોકસભા બેઠકના ઉમેદવાર તરીકે ચૈતર વસાવા અને ભાજપના ઉમેદવાર તરીકે સતત સાતમી વખતે મનસુખ વસાવાના નામની જાહેરાત થયા બાદ બંને વસાવા બંધુઓ એક બીજા પર આક્ષેપ-પ્રતિ આક્ષેપ કરી રહી છે ત્યારે ભાજપના ઉમેદવાર સાંસદ મનુસખ વસાવાએ પુનઃ એક વખત ચૈતર વસાવાનું નામ લીધા વગર પ્રહારો કર્યા હતા જેમાં તેમણે હોળીના બહાને કોન્ટ્રકરો અને અધિકારીઓ પાસે પૈસા ઉઘરાવતા હોવાના આક્ષેપ કર્યા હતા.મનુસખ વસાવાએ કરેલા આક્ષેપોથી રાજકારણ ગરમાયુ હતું.આ બાબતે ચૈતર વસાવાએ પલટવારમાં મનસુખ વસાવા અને ભાજપ પર ભ્રષ્ટાચાર અને નર્મદા જિલ્લામાં કમલમ.એટલે કે ભાજપ બનાવવા 50 લાખ ઉઘરવામાં આવ્યા હોવાના આક્ષેપ કર્યા હતા
Next Story