ભરૂચ : ઉમરાજના 3500 ઘરોમાં નળ મારફતે મળશે મીઠું પાણી,જુઓ કઈ યોજનાનો કરાયો પ્રારંભ

નલ સે જલ યોજના થકી ગ્રામજનોને પીવાના પાણીની રાહત , ઉમરાજ ગામના 3500 જેટલા ઘરોને યોજનાનો લાભ થશે

New Update
ભરૂચ : ઉમરાજના 3500 ઘરોમાં નળ મારફતે મળશે મીઠું  પાણી,જુઓ કઈ યોજનાનો કરાયો પ્રારંભ

ભરુચના ઉમરાજ ગામના 3500 જેટલા ઘરોને પીવાના પાણીની સમસ્યામાંથી મુક્તિ મળે તે માટે નળ સે જળ યોજનનનો પ્રારંભ કરવામાં આવ્યો છે જેનો આજરોજ ભૂમિપૂજન સમારોહ યોજાયો હતો

ગુજરાત સરકારના નલ સે જલ કાર્યક્રમ હેઠળ ભરુચ જિલ્લાના ઉમરાજ ગામે 2 કરોડ 61 લાખના ખર્ચે ઇન્ટરનલ પાઇપલાઇન તેમજ અંડર ગ્રાઉન્ડ સંપનું કામ પ્રારંભ થવા જઇ રહ્યું છે જેનો આજરોજ ભૂમિપૂજન સમારોહ યોજાયો હતો.પાણી પુરવઠા વિભાગ દ્વારા 6 લાખ લિટરનો સંપ ઉમરાજ ગામની અંદર બન્યો છે . ઉમરાજ ગામને પાણી પાલેજ જુથ યોજનામાથી પ્રાપ્ત થશે સાથે આ યોજના અંતર્ગત 3500 જેટલા ઘરોને પીવાનું મીઠુ પાણી પૂરું પાડવામાં આવશે. આજરોજ યોજાયેલ ભૂમિપૂજન સમારોહમાં ભરૂચના ધારાસભ્ય અને વિધાન સભાના નાયબ મુખ્ય દંડક દુષ્યંત પટેલ,ભરૂચ જિલ્લા પંચાયતની બાંધકામ સમિતિના અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી,જિલ્લા ભાજપ પ્રમુખ મારૂતિસિંહ અટોદદરિયા તેમજ સ્થાનિક આગેવાનો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા

Read the Next Article

અંકલેશ્વર : ઉદ્યોગ મંડળની ચૂંટણીનો ધમધમાટ,સહયોગ અને વિકાસ પેનલ વચ્ચે પ્રતિષ્ઠાનો જંગ

અંકલેશ્વર ઉદ્યોગ મંડળની તારીખ 20મી જુન શુક્રવારના રોજ ચૂંટણી યોજાશે,જે અંગેની તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે,અને ઉદ્યોગનગરમાં ઉત્તેજનાસભર માહોલ જોવા મળી રહ્યો છે.

New Update
  • ઉદ્યોગ મંડળની ચૂંટણીની તૈયારીઓ પૂર્ણ

  • 20 જૂને યોજાશે મતદાન અને ગણતરી

  • 10 બેઠકો પર 20 ઉમેદવારો વચ્ચે જંગ

  • સહયોગ અને વિકાસ પેનેલ વચ્ચે ચૂંટણી જંગ

  • અસ્તિત્વ અને પ્રતિષ્ઠા માટેનો ચૂંટણી જંગ 

અંકલેશ્વર ઉદ્યોગ મંડળની તારીખ 20મી જુન શુક્રવારના રોજ ચૂંટણી યોજાશે,જે અંગેની તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે,અને ઉદ્યોગનગરમાં ઉત્તેજનાસભર માહોલ જોવા મળી રહ્યો છે.

અંકલેશ્વરના ઉદ્યોગનગરના માળખાની દેખરેખ રાખતા ઉદ્યોગ મંડળનો ચૂંટણીનો જંગ તારીખ 20મી જૂન શુક્રવારના રોજ યોજાશે.આ ચૂંટણીમાં કોર્પોરેટ,રિઝર્વ અને જનરલ કેટેગરી માટે ચૂંટણીમાં મતદારો મતદાન કરશે.

ઉદ્યોગ મંડળમાં સત્તારૂઢ સહયોગની સામે વિકાસ પેનલનો મુકાબલો રસપ્રદ બની રહેશે. કોર્પોરેટની એક બેઠક માટે 2 , રિઝર્વ કેટેગરીની એક બેઠક માટે 2 અને જનરલની 8 બેઠક પર 16 ઉમેદવાર મેદાનમાં છે. સત્તા મેળવવા માટે 15 બેઠક જરૂરી છે.અંકલેશ્વર વસાહતના 1300 થી વધુ સભ્ય સંખ્યા ધરાવતા ઉદ્યોગ મંડળમાં પ્રતિ વર્ષ 10 સભ્યોની મુદત પૂરી થાય છે.અને ખાલી પડતી બેઠકો માટે ચૂંટણી યોજાય છે.

AIA સંકુલ ખાતે ચૂંટણીને શાંતિપૂર્ણ રીતે અને નિર્વિઘ્ને પાર પાડવા માટે મંડપ સહિતની તમામ વ્યવસ્થા પૂર્ણ કરવામાં આવી છે,તો ઉમેદવારોએ પણ મતદારોને રીઝવવા માટે અંતિમ તબક્કા સુધીના પ્રયાસો સતત ચાલુ રાખ્યા છે.ઉદ્યોગમંડળમાં હાલમાં સત્તાના સુકાન સંભાળનાર સહયોગ માટે પોતાનું અસ્તિત્વ ટકાવવા માટેનો જંગ છે,તો સતત બે વર્ષથી ઉદ્યોગ મંડળમાં પોતાની દાવેદારી મજબૂત કરતા વિકાસ પેનેલ માટે પણ આ ચૂંટણી પ્રતિષ્ઠાનાં જંગ સમાન બની રહેશે.