ભરૂચ : સંકલ્પ ફાઉન્ડેશન અને જે.પી.કોલેજના સંયુક્ત ઉપક્રમે સ્વચ્છતા જાગૃતિ અંગે શેરી નાટક યોજાયું...
ST ડેપો ખાતે સ્વચ્છતા સંદર્ભે સમાજમાં જનજાગૃતિ ફેલાય તે હેતુસર સંકલ્પ ફાઉન્ડેશન દ્વારા શેરી નાટકનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
BY Connect Gujarat Desk15 Dec 2023 11:03 AM GMT
X
Connect Gujarat Desk15 Dec 2023 11:03 AM GMT
ભરૂચ શહેર એસટી. ડેપો ખાતે સ્વચ્છતા સંદર્ભે સમાજમાં જનજાગૃતિ ફેલાય તે હેતુસર સંકલ્પ ફાઉન્ડેશન દ્વારા શેરી નાટકનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
ભરૂચના સંકલ્પ ફાઉન્ડેશન તેમજ જે.પી.કોલેજના સંયુક્ત ઉપક્રમે સ્વચ્છતા અભિયાન અંતર્ગત શેરી નાટકનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચ શહેરના એસટી. ડેપો ખાતે સ્વચ્છતા સંદર્ભે સમાજમાં જનજાગૃતિ ફેલાય તે હેતુસર સંકલ્પ ફાઉન્ડેશન ભરૂચ દ્વારા જે.પી.કોલેજ NSS વિભાગના સહયોગથી શેરી નાટક યોજાયું હતું. જેમાં નાગરિકો જાગૃત, જવાબદાર અને સમજદાર બને અને શહેરને સ્વચ્છ અને સુંદર બનાવવા સહયોગ આપે તેવો સંદેશ આપવામાં આવ્યો હતો. આ પ્રસંગે સંકલ્પ ફાઉન્ડેશનના સંજય તલાટી, એસટી. ડેપોના અધિકારીઓ, કર્મચારીઓ અને જે.પી.કોલેજના પ્રધ્યાપકો સહિત મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Next Story