ભરૂચ : સંકલ્પ ફાઉન્ડેશન અને જે.પી.કોલેજના સંયુક્ત ઉપક્રમે સ્વચ્છતા જાગૃતિ અંગે શેરી નાટક યોજાયું...

ST ડેપો ખાતે સ્વચ્છતા સંદર્ભે સમાજમાં જનજાગૃતિ ફેલાય તે હેતુસર સંકલ્પ ફાઉન્ડેશન દ્વારા શેરી નાટકનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.

New Update
ભરૂચ : સંકલ્પ ફાઉન્ડેશન અને જે.પી.કોલેજના સંયુક્ત ઉપક્રમે સ્વચ્છતા જાગૃતિ અંગે શેરી નાટક યોજાયું...

ભરૂચ શહેર એસટી. ડેપો ખાતે સ્વચ્છતા સંદર્ભે સમાજમાં જનજાગૃતિ ફેલાય તે હેતુસર સંકલ્પ ફાઉન્ડેશન દ્વારા શેરી નાટકનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.

ભરૂચના સંકલ્પ ફાઉન્ડેશન તેમજ જે.પી.કોલેજના સંયુક્ત ઉપક્રમે સ્વચ્છતા અભિયાન અંતર્ગત શેરી નાટકનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચ શહેરના એસટી. ડેપો ખાતે સ્વચ્છતા સંદર્ભે સમાજમાં જનજાગૃતિ ફેલાય તે હેતુસર સંકલ્પ ફાઉન્ડેશન ભરૂચ દ્વારા જે.પી.કોલેજ NSS વિભાગના સહયોગથી શેરી નાટક યોજાયું હતું. જેમાં નાગરિકો જાગૃત, જવાબદાર અને સમજદાર બને અને શહેરને સ્વચ્છ અને સુંદર બનાવવા સહયોગ આપે તેવો સંદેશ આપવામાં આવ્યો હતો. આ પ્રસંગે સંકલ્પ ફાઉન્ડેશનના સંજય તલાટી, એસટી. ડેપોના અધિકારીઓ, કર્મચારીઓ અને જે.પી.કોલેજના પ્રધ્યાપકો સહિત મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Read the Next Article

અંકલેશ્વર: GIDCમાં માનવ મંદિર નજીક 2 વૃક્ષ ધરાશાયી, માર્ગ પર વાહનવ્યવહાર થયો પ્રભાવિત

અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં આવેલ માનવ મંદિરથી ઉદ્યોગ મંડળની ઓફિસ જવાના માર્ગ પર વરસાદી માહોલ વચ્ચે 2 વૃક્ષ ધારાશયી થઈ ગયા હતા

New Update
Screenshot_2025-06-24-14-52-29-42_92460851df6f172a4592fca41cc2d2e6

અંકલેશ્વરમાં આજે સવારથી જ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે ઠેર ઠેર તારાજીના દ્રશ્યો પણ નજરે પડી રહ્યા છે.

અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં આવેલ માનવ મંદિરથી ઉદ્યોગ મંડળની ઓફિસ જવાના માર્ગ પર વરસાદી માહોલ વચ્ચે 2 વૃક્ષ ધારાશયી થઈ ગયા હતા

Screenshot_2025-06-24-14-52-45-27_92460851df6f172a4592fca41cc2d2e6

જેના પગલે દોડધામ મચી જવા પામી હતી. મુખ્ય માર્ગ પર વૃક્ષ ધરાશાય થતા વાહન વ્યવહાર પ્રભાવિત થઈ ગયો હતો. આ અંગેની જાણ કરવામાં આવતા જ તંત્ર દ્વારા માર્ગ પરથી વૃક્ષ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી.વૃક્ષ ધરાશાયી થતા નજીકમાં પાર્ક કરેલ કાર અને ટેમ્પાને સામાન્ય નુકશાન પહોંચ્યું હતું.